ડાયાબિટીસ અને શ્વાસને લગતા દરેક રોગમાથી કાયમી છુટકારો આપનાર 100% અસરકારક આયુર્વેદની સર્વશ્રેષ્ઠ ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉટંગણના છોડ વેલા જેવા હોય છે. તે જમીન ઉપર ફેલાય છે. એ મોટા ભાગે જુવાર તથા બાજરીનાં ખેતરોમાં વધુ જોવામાં આવે છે. એનાં પાન દાંતવાળાં સંખ્યાબંધ તથા કાંટાવાળાં અને નાનાં હોય છે. પ્રાચીન ગ્રંથોમાં એનો ઉપયોગ થયેલો જણાવાયો છે. તેમાં મુખ્યત્વે કેટલાંક શાક બનાવીને પણ લે છે. એનું પંચાંગ દવામાં વપરાય છે. તેની ડાંડીના કાંટાથી શરીર રાતું થઈ જાય છે. સાથે ખૂજલી તથા બળતરા ઉત્પન્ન કરે છે.

ઉટંગણનુ ફળ પીળું હોય છે. તેનાં બીજ અળસીનાં બીજ જેવા પણ તલથી સહેજ મોટાં ચપટાં તેમ જ ઘેરાં અને કાળાશ પડતાં હોય છે. ઔષધમાં સંગીન અને કાળાશ પડતાં બીજ વપરાય છે. ગુજરાતમાં એને ચોપાનીવેલ કહે છે. કેમ કે તે વેલામાં ચાર ચાર પાન એક સાથે જ હોય છે. એનાં પાનનો સ્વાદ ખટાશ જેવો હોય છે. ઉતાંગનના છોડનો સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા ભાગ તેના બીજ અને પાંદડા છે, તે ખૂબ સમૃદ્ધ છોડ છે!

ઉટંગણનાં બીજ પૌષ્ટિક પાકમાં નાખવામાં આવે છે. એનાં બીજને પાણીમાં પલાળી તેને પ્રમેહ તથા પેશાબની બળતરામાં અપાય છે. એનાં બીજનું ચૂર્ણ સાકરની સાથે લેવાથી પ્રમેહમાં ઘણી રાહત થાય છે. ઉટંગણ દમ, ખાંસી, જલંદર તથા મૂત્રપિંડના રોગોમાં વપરાય છે. તેનાથી યકૃત તથા પ્લીહાનાં દર્દોમાં ફાયદો થાય છે.

ઉટંગણના પાનને ઉકાળી ઉકાળો બનાવી પીવાથી છાતીનાં દર્દમાં રાહત થાય છે. તેને ગોખરુ, સીંગોડા તથા જવખાર સાથે આપવાથી મૂત્રમાર્ગની શુદ્ધિ થાય છે. એ વીર્ય વધારનાર છે. એનાથી કમરનો દુ:ખાવો પણ મટે છે. ખોરાકનું બરાબર પાચન કરે છે. ધાતુ પૌષ્ટિકની અન્ય દવાઓમાં પણ એ વપરાય છે. જેઠીમધ સાથેનો તેનો ઉકાળો પીવાથી મૂત્રાશયના રોગમાં લાભ કરે છે.

ઉટંગણનાં બીજ, જાયફળ, ધોળી મૂસળી, ગોખરુ, કવચ, નાગકેસર, તમાલપત્ર, તજ, ચણાકબાબ, લવિંગ, જાવંત્રી, અક્કલકરો, સૂંઠ, મલકાંગણી, જીરું બધી ચીજો દરેક પા તોલો જેટલી લઈ તેને વાટી બારીક ગોળી બનાવી શકાય. આ ગોળીના ઉપયોગથી ધાતુ ઘટ્ટ થાય છે. ઉપરાંત તે  પુરુષત્વમાં પણ વધારો કરે છે અને પ્રમેહમાં પણ રાહત કરે છે.

ઉટંગણનાં મૂળ, તેનાં બીજ, પટોળ, દેવદાર, મોથ, કાળી દ્રાક્ષ, સુંઠ, ચણી કબાબ, લીમડાની છાલ, ભોરીંગણીનું મૂળ અને ધાવડીનાં ફૂલ એ દરેક ચીજો દસ દસ વાલ જેટલી લઈ તેનો કવાથ બનાવવો. આ કવાથના ઉપયોગથી જવર, ગ્રહણી, અતિસાર મટે છે. આ ઉપરાંત કૃમિ, શ્વાસ, શૂળમાં પણ એ વપરાય છે.

ઉટંગણનાં મૂળ, તેનાં બીજ, ખસખસ, જેઠીમધ, તગર, પીપરીમૂળ અને અક્કલકરો એ દરેક સરખે વજને લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણના ઉપયોગથી ક્ષય રોગ નાબૂદ થાય છે. આ ઉપરાંત શરીરની ક્ષીણતા મટાડે છે અને પ્રમેહમાં પણ ખૂબ લાભ કરે છે. આ ચૂર્ણ સહેજ લઈ તેને ઘી સાથે લઈ શકાય છે. 1-2 ગ્રામ ઉંટગણ બીજ નુ સેવન કરો અથવા આ દાણા પીસી લો અને છાતી પર લગાવો. તેને છાતી પર લગાવવાથી પણ કફથી રાહત મળે છે.

ઉંટગણ નો ઉપયોગ માસિક સ્રાવની સમસ્યાઓથી રાહત આપે છે. આ માટે માસિક સ્રાવ દરમિયાન એકથી બે ગ્રામ ઉંટગણ પાવડર લો. ઉંટગણ ના પાંદડા પીસી લો અને તેને ઘા પર લગાવો. તેને લગાવવાથી ઘા ઝડપથી મટાડવામાં આવે છે અને પીડાથી પણ રાહત મળે છે.

ઉટગણના બીજના 1-2 ગ્રામ પાવડરમાં સમાન પ્રમાણમાં ખાંડ અને મધ મિક્સ કરો. આ શરીરની નબળાઈ ને દૂર કરે છે અને શક્તિમાં વધારો કરે છે. ઉંટગણ પાંદડાથી બનેલુ શાક ખાવાથી સારી ઉંઘ આવે છે. ખંજવાળથી પરેશાની થાય છે, તો પછી ઉંટગણના પાંદડા પીસી લો અને તેને ખંજવાળના વિસ્તાર પર લગાવો, તેનાથી આરામ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top