આ છે ફુલેલી અને જાંબલી થતી નસોનું કારણ અને તેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કાયમની અતિશય ફૂલેલી નસોને  પણ કહેવામાં આવે છે. જ્યારે નસો મોટી, પહોળી અથવા લોહીથી વધારે ભરેલી હોય છે ત્યારે આ સમસ્યા ઉત્પન થાય છે. કાયમની અતિશય ફૂલેલી નસો ઘણીવાર સોજેલી અને ઊપસેલી દેખાય છે, અને વાદળી અથવા લાલ રંગની દેખાય છે, જેમાં ઘણીવાર પીડા થાય છે.

ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. લગભગ 25 ટકા પુખ્ત વયની મહિલા નસોની સમસ્યાથી પીડાય છે અને મોટાભાગના કિસ્સાઓમાં કાયમની અતિશય ફૂલેલી નસો પગને અસર કરે છે. દર્દીએ ફક્ત ફળોના રસ અને ફળોને અનુસરીનેજ આહાર યોજના અપનાવવી જોઈએ. આ ઉપચારમાં સવારના નાસ્તામાં નારંગી કે નારંગી અને મોસંબીનો મિક્સ રસ પીવો એ લાભદાયી માનવામાં આવે છે.

જ્યારે નસો યોગ્ય રીતે કાર્ય કરતી નથી, ત્યારે ફૂલેલી નસોની સમસ્યા થાય છે. નસની એક બાજુનો વાલ્વ લોહીનો પ્રવાહ બંધ કરે છે. જ્યારે આ વાલ્વ કામ કરવાનું બંધ કરે છે, ત્યારે હૃદય સુધી પહોંચવાને બદલે લોહી નસોમાં એકઠું થવા લાગે છે અને નસોનું કદ વધે છે. આ સમસ્યા હંમેશા પગને જ અસર કરે છે.

કાયમની અતિશય ફૂલેલી નસોની યોગ્ય સારવાર માટે, દર્દીએ શરૂઆતમાં માત્ર ચારથી પાંચ દિવસ સુધી ફળોનો રસ જ પીવો જોઈએ અથવા આઠથી દસ દિવસ સુધી ફક્ત ફળજ ખાવા જોઈએ. આ સ્થિતિમાં, દર્દીએ ગરમ પાણી પીવું જેનાથી તેના આંતરડા સાફ રહે અને કબજિયાત ન થાય.

બપોરના ભોજન માટે મોસમના પાંદડાવાળા શાકભાજી પર ઓલિવ તેલ અને લીંબુનો રસ નાખીને ભોજનમાં લઈ શકાય છે. અને સાંજના ભોજનમાં પાલક, કોબી, ગાજર, સલગમ, કોબીજ વરાળમાં રાંધીને તેની સાથે કિસમિસ, અંજીર અને ખજૂર લેવા જોઈએ. બ્રેડ, બટેટા અથવા સ્ટાર્ચયુક્ત આહારને આ ઉપચારમાં શામેલ ન કરવો જોઇએ. નહિંતર, આ આહારની સંપૂર્ણ અસર નાશ થઈ જાય છે.

કાચા શાકભાજી, ખાસ કરીને ગાજરના રસમાં પાલકનો રસ મિક્ષ કરવાથી કાયમની અતિશય ફૂલેલી નસોની સારવારમાં ઘણી મદદ મળે છે. આ રોગની સારવારમાં, આ બંને રસ નીચે મુજબ લઈ શકાય છે – 300 મિલી ગાજરનો રસ અને 200 મિલી પાલકનો રસ લેવો જોઈએ.

ગાજર અને પાલક નો રસ દિવસ માં એક પછી એક અથવા તો એક દિવસે ગાજરનો રસ અને બીજા દિવસે પાલકનો રસ એમ પણ આપી શકાય છે. ગરમ અને ઠંડા પાણીમાં નહાવાથી નસોની સમસ્યામાં ખૂબ ફાયદો થઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ઠંડા પાણીથી શેક કરવો જોઈએ. રાત્રે માટી પલાળીને તેના પર લેપ કરવો અને સવાર સુધી તે માટી એમજ રહવા દેવાથી લાભ મળે છે.

હોટ એપ્સમ મીઠાનો બાથ લેવાથી પણ આરામ મળે છે અને આ બાથ સવારના સમયે બે વાર લેવો જોઈએ. સફરજન ના વીનેગરની મદદથી દિવસમાં બે વાર પગની માલિશ કરવાથી કાયમની ફુલેલી નસો જેવા રોગોથી દૂર રહી શકો છો. દિવસમાં બે વખત પાણીમાં લાલ કેપ્સિકમ પાવડર મિક્સ કરીને પીવાથી રોગથી સરળતાથી મુક્તિ મેળવી શકાય છે.

ઓલિવ તેલથી કાયમની ફુલેલી નસો વાળી જગ્યા પર માલિશ કરવાથી મહિનામાં આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આ રોગથી રાહત મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં લસણનું તેલ લગાવો. આ તેલની માલિશ કરવાથી બીમારી ટૂંક સમયમાં ગાયબ થઈ જશે.

કાયમની અતિશય ફૂલેલી નસોમાં ફ્લેવોનોઇડ્સ વાળો નો આહાર ખૂબ મદદગાર સાબિત થાય છે. ફ્લેવોનોઇડ્સ લોહીના પ્રવાહમાં સુધારો કરે છે. તે ધમનીઓમાં બ્લડ-પ્રેશરને ઘટાડે છે અને રુધિરવાહિનીઓને આરામ આપે છે, જે કાયમની અતિશય ફૂલેલી નસોને ઘટાડી શકે છે. ડુંગળી, પાલક અને બ્રોકોલી જેવા શાકભાજી, સાઇટ્રસ ફળો જેવા કે દ્રાક્ષ, ચેરી અને બ્લુબેરી અને લસણમાં ફ્લેનોઇડ્સ હોય છે.

અસરગ્રસ્ત વિસ્તારની માલિશ કરવાથી પણ રાહત મળે છે. તેલ દ્વારા માલિશ કરી શકાય છે. નસોમાં વધારે દબાણ ન કરો કારણ કે તે નાજુક પેશીઓને નુકસાન પહોંચાડે છે. આ ઘરેલું ઉપાયોની મદદથી, કાયમની અતિશય ફૂલેલી નસોની સમસ્યાને ખૂબ હદ સુધી ઠીક કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top