આ ચમત્કારી ઔષધિ વર્ષો જૂનો સંધિવાનો દુખાવો માત્ર થોડા સમયમાં કરી દેશે ગાયબ, દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નસોતર ખૂબ જ સારી ઔષધિ છે. નસોતરમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. નસોતરની વેલ ઘણાં વર્ષો સુધી જીવે છે. તેનું મૂળ જાડા, સ્થૂળ, ડાળીઓવાળા છે. નસોતર બે પ્રકારની જેમ કે કાળી અને ધોળી વેલ હોય છે. સફેદ નસોતરના મૂળ સફેદ રંગના છે અને કાળા નસોતરના મૂળ કાળા રંગના છે.

શું તમે જાણો છો કે નસોતરનો ઉપયોગ તાવ, બળતરા, પેટની બિમારી અને હૃદય રોગ વગેરેમાં થાય છે. એટલું જ નહીં, ગળા, બરોળના રોગ, એનિમિયા, ઘા વગેરેને લગતા રોગોમાં નસોતરના ઔષધીય ગુણ પણ ફાયદાકારક છે. તો ચાલો હવે આપણે જાણીએ આ નસોતરથી થતાં અનેક ફાયદાઓ વિશે વિગતવાર.

કાળી નસોતરના પાવડરમાં મધ અને ખાંડ મિકસ કરો. તેને કાજલની જેમ આંખોમાં લગાવવાથી આંખોના રોગોમાં ફાયદો થાય છે. કાળી નસોતરના મૂળનો રસ કાઢો. તેમાં સમાન માત્રામાં મધ મેળવીને મસ્કરાની જેમ આંખોમાં લગાવવાથી પોપચાને લગતા રોગ મટે છે.

નસોતરના ઔષધીય ગુણધર્મોના ફાયદા પિત્ત સંબંધી રોગોમાં જોવા મળે છે. નસોતરની પેસ્ટ બનાવો. આ પેસ્ટ અને એરંડાના મૂળનો ઉકાળો બનાવો. આ ઉકાળમાં દૂધ અને પાણી બંને નાંખવું. આ ઉકાળો પીવાથી પેટ સાફ થાય છે અને પિત્ત સંબંધી રોગો દૂર થાય છે.

નસોતર ના પાનની  શાકભાજી પેટ ફૂલવાના રોગમાં લાભ પૂરો પાડે છે. રોગ અને પાચનની શક્તિ અનુસાર નસોતર નો પાઉડર ૧-૨ ગ્રામ દૂધ અથવા દ્રાક્ષના રસ સાથે પીવાથી ફાયદો થાય છે. જો પેટની બીમારીને કારણે દર્દીને કબજિયાત થઈ જાય છે, તો જમતા પહેલાં નસોતર, દાંતી અને ચિરબીલનાં પાનનું શાક ખાવું ફાયદાકારક છે.

નસોતરનો પાઉડર 1-2 ગ્રામ લો. તેમાં તજ અને મરીના પાવડરનો ચોથો ભાગ ઉમેરો. ખાંડ અને મધ સાથે આા ચૂર્ણ લેવાથી કબજિયાત મટે છે. જો પેટના કૃમિ હોય તો નસોતર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ૧-૨ ગ્રામ નસોતરની પેસ્ટ છાશ સાથે પીવાથી પેટના કીડા મરી જાય છે.

રાત્રે 2-3 ગ્રામ નસોતરનો પાવડર લેવાથી તે પેટ સાફ કરે છે અને આંતરડાના રોગોમાં ફાયદો કરે છે.  20 મિલી ત્રિફળાના ઉકાળામાં નસોતરનો 2 ગ્રામ પાવડર મેળવી આા ઉકાળો પીવાથી પેટ સાફ થાય છે. તે બવાસીર જેવા રોગો મટાડે છે. નસોતરના પાનનું શાક ઘી અથવા તેલમાં બનાવો અને તેને દહીં સાથે ખાવાથી બવાસીર મટે છે.

ત્રિફલાના ઉકાળા સાથે નસોતરનો 2-3 ગ્રામ પાવડર મેળવીને ઉકાળો તૈયાર કરો અને આ ઉકાળો પીવો. આ ઉકાળો કમળાની સારવાર કરવામાં મદદ કરે છે. સંધિવામાં ગોખરુ અને નસોતરનો ઉકાળો બનાવીને 10-20 મિલીલીટર ઉકાળો પીવો જોઈએ. આ સંધિવાની સારવારમાં મદદ કરે છે.

તાવ આવતો હોય તો મધ અને ઘી વાળા નસોતરના  1-2 ગ્રામ પાવડરનું સેવન કરવું જોઈએ. તેની જગ્યાએ દૂધ સાથે નસોતર ચુર્ણનો ઉપયોગ પણ કરી શકો છો. ઝેરી જીવાતોના કરડવા પર સમાન પ્રમાણમાં નગોડના મૂળ અને 1-2 ગ્રામ નસોતર પાવડર મેળવી તેમાં ઘી મિક્સ કરીને પીવો.

તે જંતુના કરડવાથી ની અસરને દૂર કરે છે. ટીબી રોગમાં નસોતર ફાયદાકારક છે. કાળી નસોતર ના પાઉડર ને ખાંડ, મધ અને ઘી અથવા દ્રાક્ષનો રસ વગેરે સાથે મિક્સ કરીને પીવાથી ટીબીનો રોગ મટે છે. નસોતર સંગ્રહણી રોગમાં ઉત્તમ પરિણામ આપે છે. સંગ્રહણીમાં જઠરાગ્નિની મંદતા મુખ્યરૂપમાં હોય છે.

નસોતર આ મંદ જઠરાગ્નિને સારી કરનાર ઔષધ છે. નસોતર, ચિત્રક, સૂંઠ અને બિલાંનો ગર્ભ સરખા ભાગે લઈ, ખાંડીને બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી જેટલું સવારે અને સાંજે છાશમાં મેળવીને પીવાથી સંગ્રહણીનો રોગ પણ મટે છે.

થોરના દૂધમાં નસોતર અને નગોદનો પાવડર 1-2 ગ્રામ લેવાથી ઉંદરના કરડવાથી ચડેલું ઝેર દૂર થાય છે. ત્રિફળા, દ્રાક્ષ અને કુટકીના 10-20 મિલી ઉકાળામાં ચોથા ભાગની ખાંડ અને નસોતર પાવડર ઉમેરો. તેનું સેવન કરવાથી ટાઇફોઇડ ની સારવાર કરવામાં મદદ મળે છે. નસોતરના પાવડરમાં મધ મેળવીને લેવાથી ટાઇફોઇડ મટે છે.

નસોતર ચરબી-મેદનો નાશ કરનાર ઔષધ છે. જેમને શરીરમાં ચરબી વધારે હોય તેમણે નસોતર, હિંગ, સંચળ, જીરું, ચિત્રક, સૂંઠ, મરી અને પીપર આ બધાં ઔષધ સરખા ભાગે લઈ, ખાંડીને ચૂર્ણ કરી લેવું. રોજ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ જવનાં પાણીમાં મેળવી, તેમાં થોડું દહીંનું પાણી મેળવીને પીવાથી ચરબી ઓગળીને વજન ઘટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top