રોજ કરો આ વસ્તુનું સેવન કમ્પ્યુટર કરતાં પણ વધારે દોડશે મગજ, અહી ક્લિક કરીને જાણો તેના જબરજસ્ત ફાયદાઓ….

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના ભૌતિક જીવનમાં દરેક લોકો તીવ્ર મનની ઇચ્છા રાખે છે. હાલના યુગ મુજબ, પોતાને સુંદર બનાવવું મહત્વપૂર્ણ છે, તમારા મગજને વધુ તેજ કરવું જરૂરી છે.  તણાવ અને ખોટા આહારને કારણે ઘણી વખત આપણું મગજ કામ કરવાનું બંધ કરે છે.

જેના કારણે આપણી યાદશક્તિ નબળી થવા લાગે છે. આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાયો જણાવીશું, જેના ઉપયોગથી તમે તમારા મગજને તીક્ષ્ણ બનાવી શકો છો. માનસિક તણાવથી છૂટકારો મેળવવા અને મનને તીક્ષ્ણ બનાવવા માટે રાત્રે સુતા પહેલા મધમાં થોડું તજ પાવડર નાખીને ખાઓ.

તુલસીમાં ઘણી એન્ટિબાયોટિક અને એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે, તેથી તુલસીનું સેવન કરવાથી મન તીવ્ર બને છે, અને શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ બરાબર થાય છે. આમળા માં ઘણા બધા પોષક તત્વો હોય છે, જે આપણને અનેક રોગોથી બચાવે છે. આમળા નું સેવન મગજને ઝડપી બનાવવા માટે ખૂબ ફાયદાકારક છે. આમળા સ્વાદે કડવા હોય છે, તેથી તમે આમળા ના રસમાં મધ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

હળદરનો ઉપયોગ કરવાથી મગજ મજબૂત બને છે. હળદરમાં ઘણા ગુણધર્મો છે જે કેન્સર જેવા જોખમી રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે. શારીરિક અને માનસિક તાણને લીધે મગજ નબળું બને છે. દહીં ખાવાથી તણાવ ઓછો થાય છે, તેથી તમારા દૈનિક ભોજનમાં દહીંનો ઉપયોગ કરવો જોઈએ.

તાણ, ઓછી ઉંઘ અને વધુ ગુસ્સો મનને નબળું બનાવે છે આ બધી મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે કેસરનો દરરોજ ઉપયોગ કરવો જોઇએ. કેસરનું દૂધ પીવું ખૂબ ફાયદાકારક ગણાય છે. જો તમારે મગજને ઝડપી બનાવવું હોય તો, બ્રાહ્મીનો ઉપયોગ શરૂ કરવો શ્રેષ્ઠ ગણાય છે. એક ચમચી પાણીમાં અડધી ચમચી બ્રહ્મીનું મિશ્રણ કરીને પીવાથી મન તીવ્ર બને છે. નાના બાળકોને દિમાગમાં તીક્ષ્ણ બનાવવાની આ શ્રેષ્ઠ રીત છે.

દૂધ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. ઘણા પોષક તત્ત્વો દૂધમાં જોવા મળે છે, જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. દૂધમાં મધનું મિશ્રણ કરીને પીવાથી મન ઉત્તેજીત બને છે. સફરજનના સેવન થી યાદશક્તિ વધી જાય છે. તેના માટે એક કે બે દિવસ સફરજન છોતરા ઉતર્યા વગર ચાવી ચાવીને ભોજનના 15 મિનીટ પહેલા ખાવા જોઈએ. તે મસ્તિક ને શક્તિ આપવા સાથે સાથે લોહીની ઉણપ પણ દુર કરે છે.

અખરોટ ખાવાથી મન તીક્ષ્ણ બને છે, અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. અખરોટ સાથે કિસમિસનું સેવન કરવું વધુ ફાયદાકારક નીવડે છે. ધ્યાન એ આરોગ્ય સુધારનાર છે. ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, અને મનને તીવ્ર પણ કરવામાં મદદ કરે છે.

ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓ ખોરાકમાં જાયફળનો ઉપયોગ કરતી જ હોય છે પરંતુ એનો ઉપયોગ મગજને તેજ કરવા માટે પણ થતો હોય છે. અળસી ના બીજમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે તેથી તેના ઉપયોગથી મગજ તેજ બને છે.

બદામને રાત્રે પાણીમાં પલાળો. સવારે આ બદામની છાલ ખાવાથી મગજની તીવ્રતા વધે છે. મનને તીવ્ર બનાવવા માટે ગાજરનું સેવન પણ કરી શકો છો. ગાજરમાં એન્ટીઓક્સિડેન્ટ તત્વો હોય છે, જેના કારણે દરરોજ ગાજર ખાવાથી મન તીક્ષ્ણ બને છે, અને ત્વચા પણ સુધરે છે. ગાજરનો રસ પણ પી શકાય છે.

મગજની નબળાઈથી થનારી યાદશક્તિની ખામી માટે એક કપ કેરીનો રસ, થોડું દૂધ અને એક ચમચી આદુનો રસ અને ખાંડ ભેળવીને પીવાથી મગજમાં તાજગી નો સંચાર થાય છે. દુધમાં કેરીનો રસ ભેળવીને પીવાથી પણ મગજમાં તેજ આવી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top