Breaking News

આ વસ્તુના ફાયદા જાણી તમે પણ કરશો તેનું સેવન, જેનાથી વજન ઘટાડવાથી લઈને દાંત અને ચામડીના દરેક રોગોથી છુટકારો મેળવી શકાય છે તો જાણો તેના અઢળક ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

છેલ્લા ઘણાં સમયથી લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ્સા જાગૃત થયા છે. તેઓ તળેલા કે ગળ્યા પદાર્થો  ઘણાં ઓછા પ્રમાણમાં ખાય છે. એટલું જ નહીં, પોતાનું વજન વધી ન જાય અને આરોગ્ય સારું રહે તેને માટે શું ખાવુ-પીવું તેનું ધ્યાન પણ રાખતા થયા છે. આવા જ એક પીણાંની વાત કરીએ તો તે છે ગ્રીન ટી.

જે લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માગે છે તેઓ ગ્રીન ટી પીએ છે. ગ્રીન ટી પીવાથી વાળ અને ચહેરાની સુંદરતામાં વધારો થાય છે, સાથે સાથે ગ્રીન ટી પીવાથી પણ અનેક રોગો સામે રક્ષણ મળે છે. દરરોજ એક કપ ગ્રીન ટી પીવાથી શરીરની કાર્ય કરવાની ક્ષમતા વધે છે, અને મન પણ તીક્ષ્ણ હોય છે.

જો આપણે રોજ ચાના બદલે એક કપ ગ્રીન ટી પીએ છીએ, તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે ગ્રીન ટી પીવાના ફાયદાઓ વિશે પણ જણાવીશું. ગ્રીન ટી પીવાથી મોઢામાં ચેપ ફેલાવતા બેક્ટેરિયા દૂર થાય છે. જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવતી દૂર થાય છે. મોઢાના કેન્સરનું જોખમ પણ ઘટે છે. ગ્રીન ટી પીવાથી દાંતનું પીળાપણું પણ દૂર થાય છે.

જડાપણાથી પીડિત લોકો માટે દરરોજ ગ્રીન ટીનું સેવન ખૂબ ફાયદાકારક છે. જો રોજ યોગ અને વ્યાયામ કર્યા પછી પણ વજન ઓછું નથી થતું, તો દરરોજ ગ્રીન ટી પીવાનું શરૂ કરો. ગ્રીન ટીમાં કેફીનની માત્રા વધારે હોવાને કારણે શરીરમાંથી વધારે પડતી ચરબી દૂર કરે છે. ફિટ રેહવા માટે ખોરાક લીધા પછી એક કપ ગ્રીન ટી પીવો. રાત્રે સુતા પહેલા એક કપ ગ્રીન ટી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે.

ગ્રીન ટીમાં એન્ટીઓકિસડન્ટો અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. તેથી ગ્રીન ટી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે. જે લોકો દરરોજ 2 થી 3 કપ ગ્રીન ટી પીતા હોય છે, તેઓના શરીરમાં ઓછી માંદગી હોય છે.

ગ્રીન ટી ઉકાળીને તેને ઠંડી કર્યા પછી તેને વાળ પર લગાવવાથી વાળ કુદરતી રીતે સુંદર બને છે. ગ્રીન ટી વાળ માટે સારા કન્ડિશનરનું કામ કરે છે. ડાયાબિટીઝના દર્દીએ દરરોજ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. ગ્રીન ટી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવા દેતી નથી.

ગ્રીન ટીના દૈનિક સેવનથી બ્લડ પ્રેશર 50૦% સુધી નિયંત્રિત કરી શકાય છે. ગ્રીન ટી લોહી વહેતી ધમનીઓને આરામ આપે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થાય છે. જે દરરોજ ગ્રીન ટી પીવે છે, તે લોકોમાં હાર્ટ એટેકનું જોખમ ઓછું હોય છે. ગ્રીન ટી લોહીને પાતળું કરે છે. ગ્રીન ટી પીવાથી શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.

ગ્રીન ટી પીવાથી થાક દૂર થાય છે, અને શરીરની કામ કરવાની ક્ષમતા વધે છે. તેથી જ જ્યારે તમે વધુ કામ કર્યા પછી કંટાળો અનુભવો છો તો એક કપ ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી પીવાથી તણાવ ઓછો થાય છે. ગ્રીન ટી ની સુગંધ મનને શાંત કરે છે. ગ્રીન ટીના પાંદડા પણ માથાનો દુખાવો ઘટાડવા માટે વપરાય છે.

ચહેરાની સુંદરતા વધારવા માટે દરરોજ આહારમાં ગ્રીન ટી પણ ઉમેરી શકો છો. ગ્રીન ટી પીવાથી ત્વચા કડક રહે છે, અને ઉમર સાથે ચહેરા પર કરચલીઓ આવતી નથી. પગની ગંધ દૂર કરવા માટે ગ્રીન ટીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વપરાયેલી ગ્રેન ટીને પાણીમાં નાખો. પછી પગને આ પાણીમાં 20 થી 25 મિનિટ સુધી પલાળી રાખો.

ગ્રીન ટીનો ઉપયોગ કેન્સર જેવા જોખમી રોગોની સારવારમાં પણ થાય છે. ગ્રીન ટી કેન્સર પેદા કરતા કોષોને વધતા અટકાવે છે. જે મહિલાઓ દરરોજ ગ્રીન ટીનું સેવન કરે છે, તેમને  બ્રેસ્ટ કેન્સરનું જોખમ 20% ઓછું થાય છે. ગ્રીન ટી મોંના કેન્સરથી પીડિત લોકો માટે સારી દવા તરીકે કામ કરે છે.

ગ્રીન ટી પીવાથી થતાં નુકશાન : ગ્રીન ટી પીવાથી ભૂખ ઓછી લાગે છે. ગ્રીન ટી પીવાથી નિંદ્રા ઓછી થઈ જાય છે. ગ્રીન ટી પીવાથી બાળકોનું વજન ઓછું થવા લાગે છે. વધારે ગ્રીન ટી પીવાથી કિડની અને યકૃતની સમસ્યા થાય છે. જે મહિલાઓ માતા બનવા જઇ રહી છે, તેઓ માટે ગ્રીન ટી પીવી જોખમી બની શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!