કિશોરાવસ્થામાં પહોંચી રજોસ્ત્રાવ શરૂ થતાંની સાથે જ પ્રત્યેક સ્ત્રી શરીરમાં અમુક વિશિષ્ટ ફેરફાર થવાનાં શરૂ થાય છે. અવાજમાં સ્ત્રીસહજ તીવ્રતા આવવી, છાતી, કમર અને નિતંબ પર ચરબીનો સંચય વધવો, પ્રતિમાસ અંડાશયમાં બીજોત્પત્તિ થવી, ગર્ભાધાન ન થતાં યોનિમાંથી રક્તસ્ત્રાવ થવો તથા બાકીના સમયે ગર્ભાશય તથા યોનિમાર્ગની માર્દવતા જળવાઈ રહે તેવો પારદર્શક, ચીકણો સ્ત્રાવ નિયત માત્રામાં થતો રહેતો હોય છે.
આ સ્ત્રાવ યોનિ વગેરે અવયવોની સ્નિગ્ધતા જાળવી રાખવાની સાથે ઘર્ષણ, જીવાણુઓથી કે ફુગથી થતાં સંક્રમણથી રક્ષણાત્મક જવાબદારી પણ બજાવે છે. પરંતુ આ સ્ત્રાવ જયારે પ્રમાણથી વધુ નીકળવા લાગે ત્યારે સ્ત્રી માટે ક્ષોભ અને અગવડનું કારણ બને છે.
માત્ર પ્રમાણથી વધુ સ્ત્રાવ થવાથી વધુ ભીનાશ અને સતત ભેજને કારણે મૂત્રમાર્ગ તથા તેની આસપાસની ત્વચા પર આડઅસર થતી હોય છે. આ પ્રમાણે પ્રમાણથી વિશેષ થતાં સ્ત્રાવને સામાન્ય ભાષામાં ‘સફેદ પાણી પડવું’ કેહવાતું હોય છે. જેને ચિકિત્સા શાસ્ત્રમાં લ્યુકોરિયા કહે છે.
માસિક ચક્રનાં અમુક સમય દરમ્યાન આવો સ્ત્રાવ વધુ થવો એ સામાન્ય બાબત છે. પરંતુ સતત વધુ પ્રમાણમાં સ્ત્રાવ થાય ત્યારે ટ્રીટમેન્ટની જરૂર પડે છે. તેમાં પણ જો બેક્ટેરિયા કે ફૂગનું ઇન્ફેકશન લાગવાથી પીળાશ પડતું કે ઘટ્ટ પ્રવાહી વધુ પ્રમાણમાં નીકળવા લાગે ત્યારે યુરીનરી ટ્રેકમાં પણ ઇન્ફેકશન લાગે છે. તે સાથે પેશાબમાં બળતરા, ઠંડી લાગવી, તાવ આવવો, પેઢુમાં દુઃખાવો, કમરમાં દુખાવો તથા પગમાં કળતર જેવી તકલીફ થતી હોય છે.
મોટાભાગે આવી તકલીફમાં એન્ટીબાયોટીક ટેબલેટ તથા યોનિમાર્ગમાં એન્ટીફંગલ ટેબલેટ મૂકી સારવાર કરવામાં આવતી હોય છે. પરંતુ વારંવાર આવા ઇન્ફેકશનની ભોગ બનતી સ્ત્રીઓ, એન્ટીબાયોટીકસ લેવાથી કંટાળી અને સતત થતાં સ્ત્રાવથી નબળાઈ અનુભવતી સ્ત્રીઓ આયુર્વેદ પાસે કુદરતી અને કાયમી ઈલાજની આશા સાથે આવતી હોય છે.
યોનિમાંથી થતા સ્ત્રાવનું મુખ્ય કારણ ઓવલ્યુશન છે. જો સ્ત્રાવ પાતળો, ચિકણો અને સફેદ છે તો એનો અર્થ છે કે ડિમ્બ ઉત્સર્જિત થઈ રહ્યું છે. આ સમયે ગર્ભવતી થવાની શકયતા વધારે હોય છે. યોનિમાંથી થતા સ્ત્રાવનું એક બીજું કારણ ગર્ભાવસ્થા છે. જો સ્ત્રાવની માત્રા વધારે છે અને આ પીળા રંગનો છે તો એનો અર્થ છે કે જલ્દી જ પ્રસવ પીડા શરૂ થવાની છે. જો ગર્ભવતી છો અને સ્ત્રાવ બલગમ જેવો છે અને વધારે માત્રામાં થઈ રહ્યો છે તો એનું અર્થ છે કે જલ્દી જ પ્રસવ પીડા શરૂ થવાની છે.
ચટપટા, તીખાં, ટેસ્ટી ખોરાક જ ખાવા ટેવાયેલી, ફાસ્ટફૂડ, વધુ તેલ-મસાલાવાળા ખોરાક ખાતી સ્ત્રીઓની વિટામિન્સ-મિનરલ્સ વગેરે પૌષ્ટિક તત્વોની જરૂરિયાત પૂરી થતી નથી. આથી દાળ, કઠોળ, લીલા શાકભાજી, સિઝનલ ફળો, કાચા કચુંબરો, છાશ, લીંબુનું શરબત તથા શતાવરી ચૂર્ણ નાખેલું દૂધ નિયમિત લેવું. આમ કરવાથી વારંવાર થતાં ઇન્ફેકશન સામે શારીરિક ઇમ્યુનિટી વધે છે.
કટિ સ્નાન – વારંવાર ઇન્ફેકશન – સોજો થતો હોય તો દરરોજ નવશેકા ગરમ પાણીનાં ટબમાં કમર સુધીનો ભાગ ડૂબે તે રીતે ૫ થી ૧૦ મિનીટ બેસવું. રક્તપરિભ્રમણ સુધરવાની સાથે મૂત્રમાર્ગ સંકોચ-સોજો તથા યોનિ-પેઢુમાં પણ ફાયદો થાય છે.
અશોક ચૂર્ણ દૂધ અથવા પાણી સાથે સૂચવાય છે. આધુનિક વિજ્ઞાનાનુસાર તેમાં રહેલી કલોરોફોર્મ અને મેન્થોલ પ્રોપર્ટીઝ અશોકને માસિકસ્ત્રાવ દરમ્યાન થતાં માથાનો દુખાવો, પેઢુનાં દુખાવામાં મદદ કરે છે. અશોકની છાલમાં એન્ટીબેક્ટેરીયલ તથા એન્ટીફંગલ ગુણો છે. જેથી તેનાં નિયમિત ઉપયોગથી વારંવાર થતાં ઇન્ફેકશનમાં રોક લાગે છે.
અશોકના આયુર્વેદિય દ્રવ્યગુણ વિજ્ઞાનાનુસાર રૂક્ષ અને સ્તંભક ગુણો એક્સેસીવ બ્લીડીંગ અને વ્હાઈટ ડિસચાર્જ માટેની ખૂબ અસરકારક અને કુદરતી ઔષધિ બનાવે છે. અશોક ચૂર્ણ, અશોકનાં ફૂલોનો રસ, અશોકનાં બીજનું ચૂર્ણ તથાવિશિષ્ટ પદ્ધતિથી બનાવેલ અશોકારિષ્ટ જેમાં અશોક ઉપરાંત દારૂહળદર, ત્રિફળા, ઇન્ફેકશન અટકાવી તથા લ્યુકોરિયા મટાડવામાં મદદરૂપ થાય છે.
જે તે સ્ત્રીની પ્રકૃતિ મુજબ કયા ઔષધ વાપરવા તે માટે આયુર્વેદીય સિદ્ધાંતાનુસાર વૈદ સૂચવી શકે છે. દરેક સ્ત્રીઓને ‘અરિષ્ટ’ માફક ન પણ આવે. વેજાઈનલ પેસરીની માફક ઉદુમ્બરાદિ તેલ, ઇરિમેદાદિ તેલ વગેરે આવશ્યકતાનુસાર પ્રયોગ કરવાથી યોનિની ત્વચા વારંવાર થતાં ઇન્ફેકશનથી બચી શકે છે.
ભીંડા ને સફેદ પાણી ની સમસ્યા માટે લોકપ્રિય ઉપાય માનવામાં આવે છે. તેનો લાભ લેવા માટે તમારા રોજિંદા ભોજન માં ભીંડા ને શામિલ કરવી. લગભગ 15 મિનિટ માટે 50 ગ્રામ ભીંડો કાપી ને 500 મીલીમીટર પાણી માં ઉકાળો તેમાં 50 મીલીમીટર મધ નાખો આ મિશ્રણ ને દિવસ માં બે વાર લેવું. ઝડપ થી સફેદ પાણી ની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.
ભીંડા અથવા લ્યુકોરિઆ માટે ઓકરા ખૂબ જ લોકપ્રિય ઉપાય માનવામાં આવે છે. તેના ફાયદા માટે તમે આ શાકભાજીને તમારા દૈનિક આહારમાં શામેલ કરી શકો છો.ભીંડા નો ઉપયોગ કરીને ખૂબ લોકપ્રિય તંદુરસ્ત ડોઝ તૈયાર કરી શકો છો. 50 ગ્રામ ભીંડાને ઉકાળો લગભગ 500 મિનિટ સુધી 500 મિલી પાણીમાં કાપીને આ મિશ્રણને દિવસમાં બે વાર 50 મિલી મધ સાથે લો.
કેળા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોથી સમૃદ્ધ છે જે યોનિમાર્ગનું આરોગ્ય જાળવવામાં મદદ કરે છે. તેઓ એકંદર શારીરિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ કરે છે તમારે દરરોજ બે કેળા ખાવા જોઈએ. તેઓ સ્વસ્થ આંતરડાની ગતિમાં પણ મદદ કરશે.
કેરી સફેદ પાણી અને તેનાથી આવતી ખંજવાળ ની સમસ્યા માં રાહત આપે છે યોનિ પર પાકેલી કેરી કે તેની છાલ લગાવી શકો પરંતુ 5-10 મિનિટ માં જરૂર થી બરાબર ધોઈ લેવું કેરી લ્યુકોરિયા અને લ્યુકોરિયાથી થતી ખંજવાળ જેવી સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. ક્રેનબેરી અને દાડમ યોનિ માંથી નીકળતા સફેદ પાણી ની સમસ્યા માટે ફાયદારૂપ છે. ક્રેનબેરી માં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે.જે યોનિ માં લાગેલા ચેપ ને દૂર કરવામાં મદદ કરે છે.
લગભગ 800 મીલીમીટર પાણી અને 2-3 ચમચી ભાત બાફી ને એક સૂપ જેવું મિશ્રણ તૈયાર કરી આ સૂપ ને રોજ પીવું આમ કરવાથી રાહત મળશે.મેથી હોર્મોન્સ ના સ્ટાર ને નિયંત્રણ માં રાખવા માટે મદદરૂપ થાય છે. જે મહિલાઓ ની પ્રજનન પ્રણાલી ના કર્યો માં વધારો કરે છે. મેથી યોનિ ના સારા પીએચ સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. મેથી ના દાણા ને આખી રાત પાણી માં પલાળી ને રાખવા. સવારે તેને ગાળી ને તેમાં મધ નાખી ને પીવું.
એલોવેરા મહિલાઓ ના પ્રજનન ની ઘણી સમસ્યા નું નિવારણ કરે છે. એલોવેરા ગર્ભાશય ની કોશિકાઓ ના ઉત્તમ કાર્ય માટે ઉપયોગી છે. યોની ની સફાઈ માટે એલોવેરા જેલ અને પાણી ને મિક્સ કરી ને વાપરી શકાય.