આ ફૂલને ઔષધિનો રાજા કહીયે તો પણ ખોટું નથી, જાણો અહી ક્લિક કરીને તમારા દરેક રોગ નો ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખાખરાના ઝાડ પર જે ફૂલ આવે છે તેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે. ફાગણ માસના ધમધખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે. કેસુડાના ફૂલ પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે.

પાનખર ઋતુમાં જ્યારે વૃક્ષોના પાંદડા ખરી પડે ત્યારે ફાગણ માસની શરૂઆતમાં કેસુડા ના ફૂલ આવતા હોય છે, કેસુડો એ પ્રાકૃતિક કલર ગણાય છે,જેના ફૂલમાંથી કલર બનાવવામાં આવતો હોય છે, તેના દ્વારા ધુળેટી પણ રમી શકાય છે, અને કેસુડો સરળતાથી મળી પણ રહેતો હોય છે. કેસુડાના વૃક્ષના પાન વડે પડિયા પતરાળાં પણ બનાવી શકાય છે.

ગર્ભવતી સ્ત્રી ને દરરોજ કેસૂડાં નો ભૂકો દૂધ સાથે આપવામાં આવે તો એનાથી આવનારું બાળક બળવાન અને વીર્યવાન બને છે. અને શરૂઆત ના મહિના માં જો સ્ત્રી ને કોમળ કેસૂડાં ના ફૂલ મસળીને ગાયના દૂધ સાથે આપવમાં આવે તો બાળક શક્તીશાળી અને પહેલવાન પેદા થાય છે . કેસૂડાં ના બીજ નો લેપ કરીને લગાડવાથી મહિલાએ ગર્ભ ધારણ ના કરવો હોય તો આ રીત અપનાવી શકે છે.

જો  અંડકોષ વધી ગયું હોય તો કેસુડાના છાલ નું ૬ ગ્રામ ચૂર્ણ પાણી જોડે પીવાથી ફાયદો થાય છે. જો પેશાબ માં બળતરા થતી હોય તો કેસૂડાં નો રસ કાઢી ને પીવાથી તેમાં ફાયદો થાય છે. મસા થી પરેશાન થતા લોકો કેસૂડાં ના પાન ને દહીં જોડે ખાય તો મસા માં રાહત મેળવી શકે છે

તેજ તાવ આવી ગયો હોય ત્યારે કેસૂડાં ના પાન નો રસ બનાવી શરીર પર લગાડવાથી ૧૫ મીનટ માં જલન ઓછી થઈ જશે અને ઠંડક પણ મળશે. જો વાગ્યું હોય અને ઘા મટી ના રહ્યો હોય તો કેસૂડાં ના થડ નું ચૂરણ બનાવી ઘા પર લગાડવાથી રાહત મળે છે.

પગ સુજી ગયો હોય કે હાથીપગો થયો હોય, તો કેસૂડાં ના થડ નો રસ સરસવ ના તેલમાં મેળવીને સવારે સાંજે ૨-૨ ચમચી પીવાથી મોટી રાહત મળે છે. જો આંખો જોવામાં નબળી હોય કે આખો ની રોશની તેજ બનાવી હોય તો કેસૂડાં નો રસ કાઢી એમાં મધ ભેળવીને આંખોમાં કાજલ લગાવતા હોય એ રીતે લગાવી સુઈ જવાનું ,એનાથી મોટો ફાયદો મળશે અને રાત ના સમયે ના દેખાતું હોય તો કેસૂડાં ના થડ નું અર્ક લાગવાથી લાભ થશે.

પુરુષો માં જોવા મળતી નપુંસકતા માં પણ કેસૂડાં ના બીજ કામ આવે છે જેને તમે દવા માં મેળવી ને પણ લઈ શકો છો. શરીર માં કંઈક ગાંઠ ઉભરી આવી હોય તો એમાં કેસૂડાં ના પણ ને ગરમ કરી ને એની ચટણી જેવું બનાવી એનો લેપ એ જગ્યા પર લગાડવાથી રાહત મળે છે. જયારે પથરી નો દુખાઓ ઉપડ્યો હોય ત્યારે કેસુડાના ફૂલ ને પલાળી રાખી સવારે એ પાણી આપવું અને એના ફૂલ ને પેડા ઉપર બાંધવા અને પછી પેશાપ સમયે ફોર્સ માં પથરી નીકળી જશે,  આ એક સફળ વસ્તુ છે .

કેસુડાના બીજ ને લીંબુ ના રસ જોડે પીવાથી દાદ, ખુજલી, ખંજવાળ માં આરામ મળે છે. કેસૂડાં ના પાન થી બનેલા પતરાળાં માં જો ભોજન કરવામાં આવે તો એ ચાંદી ના વાસણ માં ખાધા બરોબર છે. જે પેલા ના લગ્ન પ્રસંગ માં ઉપયોગ કરતા હતા. કેસુડાના ફૂલ નો ભૂકો ગળ્યા દૂધ સાથે અથવા આમળા ના રસ જોડે પીવાથી વીર્ય માં વૃદ્ધિ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે અને શરીર પણ સારું રહે

મહિલાઓ ને માસિક વખતે પેશાપ માં રુકાવટ આવતી હોય તો કેસૂડાં ને ઉકાળી એના ગરમ નરમ ફૂલ ને પેડા પર બાંધવાથી ખુબ જ લાભ થાય છે. મોતિયા આવિયા હોય એવા લોકો એ કેસૂડાંનો રસ આંખ માં નાખે તો ખુબ જ લાભ મળી શકે છે. આખો આવી હોય એવા સમયે કેસુડાના ફૂલો નો રસ મધ માં મિલાવી આંખ માં લાગવાથી રાહત મળી રહે છે.

કેસુડાના બીજ માં પેલાસોનીંન નામ નું તત્વ આવેલ હોય છે. જે એક ઉત્તમ કૃમિનાશક છે , એને ૩ થી ૬ ગ્રામ બીજ નું ચૂરણ સવારે દૂધ જોડે દિન દિન તક ચોથે દિવસ સવારે ૧૦ થી ૧૫ મી લી એરંડાના તેલ માં મેળવીને પીવડાવામાં આવે તો ચરમીયા નો તાત્કાલિત નિકાલ થાય જાય છે.

જો વીંછી કરડ્યો હોય તો કેસુડાના બીજ અને આકડાના પાન ને દૂધ સાથે પીસી ને લગાવામાં આવે તો વીંછી કરડેલી જગ્યા થતો દુખાવો મટાડી શકાય છે .નાક કે મૂત્ર વાટે અથવા મળત્યાગ ની જગ્યા એ થી લોહી આવતું હોય તો કેસૂડાં ની છાલ નો ઘાઢો (૫૦ મી.લી ) બનાવી ઠંડુ કરી, એમાં ખાંડ ભેળવી પીવા માં આવે તો મોટી રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top