માત્ર 15 દિવસ આ વસ્તુ ના સેવનથી મળશે તમારી દરેક બીમારી માથી છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રોજીંદા જીવનમાં ઘઉંની અગત્યતા આપણે ત્યાં ઘણી છે. રોજ સવારે લગભગ દરેક ગુજરાતી ઘરમાં સૌથી પહેલો ઘઉંનો લોટ બંધાઈ જતો હોય છે. ઘઉં એ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીનની સાથે સાથે મીનરલ કેલ્શીયમ, પોટેશિયમ, સલ્ફર, ક્લોરાઇન, સીલીકોન, મેંગેનીઝ, ઝીંક, આયોડીન, કોપર, વિટામીન બી, વિટામીન ઇ આવેલા હોય છે માટે જ કદાચ વર્ષોથી ઘઉંનો ખોરાક આપણે ત્યાં પ્રચલીત છે.

ઘઉંના ફાડાની આઈટમ તો વર્ષોથી રસોડાનો ભાગ છે. પછી તેની ખચડી બનાવીએ કે લાપસી. ઘઉંના ફાડાને થુલી પણ કહેવાય છે. તેનું કારણ છે ઘઉંના ફાડાની આઇટમ્સ બનાવવામાં સહેલી અને પચવામાં પણ ખુબજ હળવી હોય છે. પણ આ ઉપરાંત આ ફૂડ ખૂબ જ ન્યુટ્રિશનય યુક્ત હોય છે. વજન ઉતારવાથી લઈને ડાઇજેશન અને કબજીયાતમાં ખૂબ જ ઉપયોગી ફૂડ છે ઘઉંના ફાડા અને તેની આઈટમ્સ.

રોજ એક બાઉલ ઘઉં ની ઠૂલી ની ખીચડી અથવા બીજી આઈટમ ખાવાથી વજન ઉતરે છે. ઘઉંના ફાડામાં ફાઈબર પ્રચૂર માત્રામાં હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેથી વજન ઉતારવામાં મદદ મળે છે. તેમજ કેલેરી પણ ઓછી હોવાના કારણે બોડીમાં કાર્બ જમા થવાની શક્યતા ઘટી જાય છે. ઉદાહરણ તરીકે જો તમે એક બાઉલ ઘઉંના ફાડાને દુધ સાથે ખાવ તો તેમાં માત્ર 220 કેલેરી જ હોય છે.

ઘઉં ની થુંલી હકીકતમાં ઘઉના ફોતરામાંથી બને છે. જેના કારણે તેમાં ફાઈબરની માત્રા ખૂબ વધુ હોય છે. જે આંતરડાને ક્લીન કરીને કબજીયાત દૂર કરવામાં મદદ કરે છે ઘઉંમાં જટીલ કાર્બોહાઈડ્રેડ હોય છે અને ગ્લાયસેમિક ઇન્ડેક્સામં લો હોવાના કારણે તમારા બ્લડમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રીત કરે છે. જેથી બ્લડ શુગર મેન્ટેઇન થાય છે.ઘઉંની થૂલી ને મેનોપોઝ બાદ નિયમિતરુપે લેવાથી આ મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સરના ખતરા સામે લડવામાં મદદરુપ થાય છે.

ઘઉંથી બનેલું હરીરામાં ખાંડ અને બદામ નાખીને પીવાથી સ્મરણ શક્તિ વધે છે. એની સાથે જ મગજની નબળાઈને દૂર કરવામાં પણ આ ખૂબ મદદગાર સિદ્ધ હોય છે. શિયાળામાં મકાઈ, જુવાર, બાજરી અને રાગીનું સેવન કરો. તેને થુલી, રોટલી જેવાં સ્વરૂપમાં લઈ શકાય છે. તેથી ઘઉંના ઉપયોગમાં ઘટાડો આવશે જેથી વજન નિયંત્રણમાં રહેશે.

આયરન, વિટામિન બી-6, થાયમિન અને કેલ્શિયમથી ભરપુર ઘઉંના લોટમાં તમારે ફાઈબરથી ભરપૂર એવી થુલી મિક્સ કરવાની છે. આ કોમ્બિનેશન આંતરડાની બિમારી દૂર કરી શકે છે. તો કબજિયાત, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીશને કંટ્રોલ રાખવામાં પણ તે કામમાં આવી શકે તેમ છે. લોટના આ કોમ્બિનેશનથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેથી વજન તમારા કંટ્રોલમાં રહે છે.

ગ્લુટેન પ્રોટીનનું એક સ્વરૂપ છે જે ઘઉં સહિત વિવિધ અનાજમાં જોવા મળે છે. આ પ્રોટીન ઘઉંના કણકને લવચીકતા પૂરી પાડે છે. ઘણાં લોકો ગ્લુટેન અસહિષ્ણુતાથી પીડાય છે, ગ્લુટેનનો વપરાશ કોઈપણ રીતે પાચન સંબંધિત મુદ્દાઓ તરફ દોરી જાય છે જેમ કે ઝાડા, ગેસનેસ અથવા પેટમાં દુખાવો. કેટલાક લોકો જે ઓટોિયામ્યુન રોગથી પીડાતા હોય છે જેમ કે સેલેઆક રોગ, ખોરાકની પાચનમાં પણ મુશ્કેલી અનુભવે છે કારણ કે તેમની નાનો આંતરડા ગ્લુટેનથી વધુ સંવેદનશીલ બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top