આ કારણે તમને સૌથી વધુ મચ્છર કરડે છે, જાણો તેનાથી બચવાના આ બેસ્ટ ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણામાંથી ઘણાખરાઓની એવી ફરિયાદ રહેતી હોય છે, કે તેમને અન્ય કરતા વધુ મચ્છર કરડે છે. જો અન્ય વ્યક્તિઓ કરતા તમને વધુ મચ્છર કરડતા હોય તો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. એવુ પણ બની શકે કે તમારા શરીરના ફેક્ટરને કારણે મચ્છરો તમારું લોહી પીવાનું વધારે પસંદ કરતા હોય.

વધારે મચ્છર કરડવા નું કારણ તમારૂ મેટાબોલિક એક જટિલ વિષય છે. પરંતુ તે તમારા શરીર છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઇડને નિર્ધારિત કરે છે. કાર્બન ડાયોક્સાઈડની ગંધ પણ મચ્છરોને મનુષ્યો તરફ આકર્ષે છે. માદા મચ્છર તેના ‘સેસિંગ ઓર્ગન્સ’ દ્વારા કાર્બન ડાયોક્સાઈડની ગંધ શોધી કાઢે છે.

તમને ખબર નથી કે તમારી ત્વચામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા છુપાયેલા હોય છે. વાસ્તવમાં આ એટલી ખરાબ વસ્તુ નથી પરંતુ તે બેકટેરિયા મચ્છરોને તમારી નજીક આવવા આમંત્રણ આપી શકે છે. તાજેતરના અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે, કે મચ્છરો ને કોઈ ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા ધરાવતા માણસો વધુ પસંદ આવે છે. જે લોકોની ત્વચામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે તેમને મચ્છર ઓછા કરડે છે.

બાળકોની સરખામણીએ મોટી વયના લોકો વધુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આથી તેમને વધુ મચ્છર કરડે છે. પ્રેગનેન્ટ સ્ત્રીઓ પ્રેગનન્સી દરમિયાન વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ સમયગાળા દરમિયાન તે વધુ સંવેદનશીલ થઇ જાય છે. આથી તેમને પણ વધુ મચ્છર કરડે છે.

સૌથી વધુ મચ્છર કરડવાનું મહત્વનું કારણ બોડી ફેકટર એટલે કે લોહીનો પ્રકાર છે. શું તમારા લોહીનો પ્રકાર ‘એ’ ગ્રુપ અથવા ‘ઓ’ ગ્રુપ છે, તો એ ગ્રુપ ધરાવતા લોકો કરતા ઓ ગ્રુપ ધરાવતા લોકોને મચ્છરો વધારે કરડે છે. જ્યારે બી ગ્રુપ ધરાવતા લોકોને એ ગ્રુપ કરતા વધુ અને ઓ ગ્રુપ કરતા ઓછા મચ્છરો કરડે છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ પણ મચ્છર કરડવા પાછળનું જવાબદાર કારણ છે. તમામ પ્રકારના કાર્બન ડાયોક્સાઇડ તરફ મચ્છરો આકર્ષાય છે.

જે લોકો વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે તેને વધુ મચ્છર કરડતા હોય છે. મચ્છરો ઘણીવાર જમીનની આસપાસ ઉછરે છે. તેઓ તમારા સુધી પહોંચવા માટે ગંધ અને દૃષ્ટિના સંયોજનનો ઉપયોગ કરે છે. તેથી, જો હળવા રંગના કપડાં પહેરીને બહાર જશો તો તમને મચ્છર બીજા કરતાં ઓછા કરડે છે.

મચ્છર તમારા શરીરનો પરસેવો અને લેક્ટિક એસિડને વધુ પસંદ કરે છે. તેથી, જ્યારે પણ તમે કસરત કરવા બહાર જાઓ છો તો ઘરે આવ્યા પછી તરતજ સ્નાન કરી લેવું. અને જો તમે વર્કઆઉટ કરો છો તો વર્કઆઉટ શરૂ કરતા પહેલા તમારી આસપાસ કીટ નિવારકનો ઉપયોગ કરો.

મચ્છર પણ બીયર પીનારા લોકોના લોહીને પસંદ કરે છે. તેથી કાં તો તેને પીવાનું ટાળો. મચ્છર મજબૂત પવનમાં ઉડી શકતા નથી. આથી તેજ હવા પાર્ટી અને મચ્છર વચ્ચે અવરોધ તરીકે કામ કરી શકે છે. બજાર માં ઘણા પ્રકાર ની જંતુનાશકદવા ઑ મળતી હોય છે. બધા ના ઘરમાં વિવિધ પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ થાય છે. કેટલાક જંતુનાશકો મચ્છરોને તમારા ઘરમાંથી બહાર કાઢવામાં સફળ થઈ શકે છે, પરંતુ તેના કારણે તમારા પડોશીઓ અને મિત્રોના ઘરો ને નુકશાન થઈ શકે છે. એટલા માટે નિષ્ણાતો હંમેશા 15 ટકા DEET સાથે આવતા જંતુનાશકોનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top