માત્ર 30 મિનિટમાં લીવર, હાડકાં અને દાંતના દુખાવા દૂર કરવા માટે અમૃત સમાન છે આ તેલનો ઉપયોગ, જરૂર જાણી લ્યો તેને ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તલના તેલમાં વિટામીન સી સિવાય તમામ જરૂરી પોષ્ટિક પદાર્થ છે, જે સારા આરોગ્ય માટે ખુબ જરૂરી હોય છે. તલ વિટામીન બિ અને જરૂરી ચરબી,  એસીડસથી ભરપુર છે. તેમાં મીથાનાઈન અને ટ્રાયપ્ટોફન નામના બે મહત્વના એમીનો એસીડસ હોય છે જે ચણા, મગફળી, રાજમાં, ચોળા અને સોયાબિન જેવા મોટાભાગના શાકાહારી ખાદ્ય પદાર્થમાં નથી હોતા.

તલમાં મોનો સેચુરેટેડ ચરબી એસીડ હોય છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારું કોલેસ્ટ્રોલ એટલે એચ.ડી.એલ. ને વધારવામાં મદદ કરે છે. તે હ્રદય રોગ, હ્રદયનો હુમલો અને ધમની કલાકાઠીન્ય ની શક્યતાને ઓછી કરે છે. દુધની સરખામણીએ તલમાં ત્રણ ગણું કેલ્શિયમ હોય છે. તેમાં કેલ્શિયમ, વિટામીન બિ અને ઈ આયરન અને જીંક, પ્રોટીનની પુષ્કળ માત્રા હોય છે અને કોલેસ્ટરોલ બિલકુલ નથી હોતું. .

તલ ને શરીરમાં કોલેસ્ટ્રોલ ટ્યૂમર તેમજ કોલેસ્ટ્રોલ કેન્સર થવાનું જોખમ ઓછું કરવા માટે એક ખૂબ જ પ્રભાવશાળી ઉપાય માનવામાં આવે  છે. તલનું તેલ તમારા શરીરને હવામાનને અનુરૂપ બનવામાં મદદ કરે છે. આ સાથે, શરીરનું તાપમાન હવામાન માટે અનુકૂળ રહે છે. મીણ અને સિંધવ મેળવીને ગરમ કરેલું તેલ ઘસવાથી વાઢીયા મટે છે. રાય, અજમો, સુંઠ, લસણ કે હિંગ નાખીને ગરમ કરેલું તેલ ચોપડવાથી અને શેક કરવાથી દુખતા સાંધા મટે છે.

તલના તેલમાં એન્ટઑકિસડન્ટો હોય છે જેના કારણે તે મુક્ત રેડિકલ્સ અને અસંતુલિત અણુઓ દ્વારા ત્વચાની સેલ્યુલર રચનાને નુકસાન અટકાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે હવામાન બદલાય છે ત્યારે ત્વચા સુકાવા લાગે છે. જો તમારી ત્વચા વધારે શુષ્ક હોય તો તમારે તલના તેલથી ત્વચાની મસાજ કરવી જોઈએ. ત્વચા નરમ રહે છે.

તલમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે મળી આવે છે. કેલ્શિયમ હાડકા સ્વસ્થ જાળવી રાખવા માટે એક ખૂબ જ આવશ્યક તેમજ મહત્વપૂર્ણ ખનીજ છે. તલમાં ઝીંકનું પણ પૂરતું પ્રમાણ મળી આવે છે જેના કારણે હાડકાઓનાં ઘનત્વ ને વધારો મળે છે. તલ ખાવાથી આપણા હાડકાને મજબૂતી પ્રદાન થાય છે તેમજ હાડકા સ્વસ્થ પણ રહે છે.

તલ અને તલનું તેલ આપણા દાંત માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ આપણા દાંતમાં થતા મેલને દૂર કરી આપણા દાંતને સફેદ બનાવવામાં મદદરૂપ છે. તલ અને તલનાં તેલનું નિયમિત સેવનથી આપણા દાંતનું પણ સ્વાસ્થય જળવાઈ રહે છે. તલનું તેલ કોઈ સામાન્ય તેલ નથી. તેની  માલિશથી શરીરને ઘણો આરામ મળે છે. ત્યાં સુધી કે તે લકવા જેવા રોગ સુધી ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે.

તલ ખાવાથી આપણા લીવરને સારી રીતે કામ કરવામાં સહાયતા પ્રાપ્‍ત થાય છે. કાળા તલ ખાવાથી આપણા લીવરમાં લોહીની માત્રામાં વૃદ્ધિ થવા લાગે છે. કાળા તલમાં આંખનો થાક, ઝાંખી દ્રષ્ટિ જેવી મળી આવતી આંખોની તકલીફને દૂર કરવાનાં ચિકિત્સિય ગુણ મળી આવે છે.

વાળની સમસ્યાઓ એ આજના પ્રદૂષણ અને અસંતુલિત જીવનનું પરિણામ છે. વાળ ખરવા, અકાળે શ્વેત વાળ, ટાલ પડવી, ખોડો થવાની સમસ્યા વગેરે સમસ્યાઓ વધુને વધુ લોકોને પરેશાન રાખે છે. આ રોગોમાં તલના તેલનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.દિવસમાં ત્રણ વાર તલના 100 મિલીલીટરના ઉકાળામાં 2 ગ્રામ સુકા આદુ, 2 ગ્રામ કાળા મરી અને 2 ગ્રામ પીપલ પાવડર પીવાથી પીરિયડ્સ અથવા માસિક સ્રાવમાં ફાયદો થાય છે.

તલના તેલમાં કપાસને  પલાળીને તેને યોનિમાં રાખવાથી સફેદ રક્તવાહિની અથવા સફેદ પાણીમાં ફાયદો થાય છે. સફેદ પાણી એટલે કે લ્યુકોરિયામાં તલના તેલના ફાયદા છે. આજના ભાગદોડવાળી જિંદગીમાં સેક્સ માણવાની ઉત્તેજના ઓછી થવા લાગી છે. તલનું સેવન આમાં મદદ કરી શકે છે. એક મહિના સુધી સતત કાળા તલ અને ભૃંગરાજનાં પાન લેવાથી ફાયદો થાય છે.

વાળ પર કાળા તલનું તેલ (તલનું તેલ પતંજલિ) લગાવવાથી વાળ અકાળે સફેદ થતા નથી. માથાની ચામડીમાં દરરોજ તેલની માલિશ કરવાથી વાળ હંમેશા નરમ, ઘેરા અને જાડા રહે છે.તલના ફૂલ અને ગાયના દૂધને સમાન પ્રમાણમાં ઘી અને મધ સાથે પીસીને માથા પર લગાવવાથી વાળ ખરવા અને ખોડો દૂર થાય છે. હિંગ, ચીકણી કે સંચળ નાખીને ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી પેટમાં દુખતું હોય કે આફરો ચડ્યો હોય તો મટે છે. મરી કે અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ જતું હોય તો ખુલે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top