વગર દવાએ કોઈપણ પ્રકારના ખર્ચ વગર તમામ પ્રકારના સોજા અને દુખાવા દૂર કરવાનો અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરના કોઈપણ સોજાને દૂર કરવા માટે અપનાવો આ ઉપાય. તો ચાલો આપણે જાણીએ કઈ રીતે શરીરના કોઈપણ ભાગના સોજાને ઘરેલુ ઉપચાર થી દૂર કરી શકાય છે. મીઠું અને ખટાશ નાખ્યા વગરનું ગાજરનું શાક રોજ ખાવાથી અને ગળપણ ઓછું ખાવાથી સોજાના રોગીને બહુ ફાયદો થાય છે.

એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાઉડર અને સુગરકેન્ડી દરરોજ લેવાથી આ સોજો બે થી ત્રણ દિવસમાં સમાપ્ત થાય છે. ઓછામાં ઓછા છ મહિના સુધી આ ઉપાય કરો, જેથી તમને ફરીથી સોજો થવાની ફરિયાદ ન આવે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી સોજા મટે છે.

1 ચમચી લીંડીપીપરનો પાવડર મધ સાથે દિવસમાં 2-3 વાર લેવાથી શરીરે ચડેલ મેદ-સોજો ઝડપથી ઉતરવા લાગે છે. જવના લોટની સાથે વાટી તેની પોટલી બાંધવાથી ઘણા દિવસનો સોજો ઉતરી જાય છે. મૂળા અને તલ ખાવાથી ચામડી નીચે એકત્ર થયેલું પાણી શોષાઈને સોજો મટે છે.

મૂળાના પાનનો 25-50 ગ્રામ રસ પીવાથી સોજો જલ્દીથી ઉતરે છે. રાય અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઉતરે છે. લવિંગ વાટી તેનો લેપ કરવાથી શરીરના કોઈપણ ભાગમાં આવેલો સોજો ઉતરે છે. શરીરના સોજાવાળા ભાગપર મુલ્તાની માટીનો રાત્રે લેપ કરી સવારે ઉઠી ઘોઈ લેવાથી થોડા દિવસમાં સોજા ઉતરી જાય છે.

પુનર્નવા એટલે સાટોડી, ભારંગમુળ અને દેવદાર સરખા ભાગે ખાંડી અધકચરો ભૂકો કરવો. 2 ચમચી ભૂકો 2 ગ્લાસ પાણીમાં એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ કરી પંદરેક દિવસ સવાર-સાંજ પીવાથી હાથ-પગ અને પેટનો સોજો મટે છે. શરીરના કોઇપણ ભાગમાં સોજો ચડ્યો હોય તેમાં આ ઉકાળો લાભદાયી છે.

શરીરમાં વિવિધ પ્રકારના નબળાઈના સોજામાં ગાજર બહુ અકસીર છે. દરરોજ દિવસમાં બે વખત ગાજરનો રસ 250 ગ્રામ જેટલો નિયમિત પીવો. ગાજરનું કચુંબર અને હલવો પણ ખાઈ શકાય તેટલો દરરોજ ખાવો. નબળાઇના પોષક તત્ત્વોના અભાવે શરીરમાં આવેલા સોજા દિવસમાં ત્રણેક વખત એક એક કેળું ખાવાથી મટે છે.

એક કપ જવ એક લિટર પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરીને પીવાથી સોજો ઓછો થવા લાગે છે. લાલ મરચાનો પાવડર 120 ગ્રામ તેલમાં 350 ગ્રામ મિક્સ કરીને તેને ગેસ પર ગરમ કરો. અને ઉકળ્યાં પછી તેને ગાળવું અને સોજોવાળા ભાગ પર લગાવો. આમ કરવાથી સોજો મટે છે.

ગોળ સાથે આદુનું મિશ્રણ દસ ગ્રામ ખાવાથી થોડા દિવસોમાં સોજો ઉતારી જાય છે. ગરમ પાણીમાં મીઠું ઉમેરીને, તેને સોજોવાળા ભાગ પર કપડાથી માલિશ કરવાથી સોજો મટી જાય છે. અનાનસનું સેવન કર્યા પછી સતત દૂધ પીવાથી સોજો મટી જાય છે. સોજા પર તાંદળજાના પાનની પોટલી બનાવી લેપ કરવાથી લોહી વીખરાઈ જઇ સોજો મટે છે.

અંજીરના રસમાં બારીક જવને પીસો અને તેને પીતા રહો તેનાથી સોજો સરળતાથી દૂર થઈ જાય છે. ઘઉંના દાણાને પાણીમાં ઉકાળો અને આ પાણીથી સોજોવાળા ભાગને ધોવાથી થોડા દિવસોમાં સોજો અદૃશ્ય થઈ જાય છે. 1/4 ચમચી હળદર પાણી સાથે પીવાથી થોડા દિવસોમાં સોજાની સમસ્યા દૂર થઈ જાય છે.

જીરું અને ખાંડને એક સમાન માત્રામાં પીસી લો અને એક ચમચી ફાકી દિવસમાં ત્રણ વખત લો, સોજો થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જશે. 200 ગ્રામ કાચા બટાકાને 400 ગ્રામ પાણીમાં કાપીને તેને વધુ તાપ પર ઉકાળો અને તેને સોજો પર શેક કરો. બટાકાના ટુકડાથી સોજો ઝડપથી અદૃશ્ય થઈ જાય છે.

એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગાજરના બીજ ઉકાળો. અને પછી તેને ઠંડુ કરીને પીવો. દરરોજ આ ઉપાય કરવાથી સોજો ખૂબ જ ઝડપથી ઓછો થાય છે. કાળા મરીના પાવડરને માખણમાં નાખીને તેને સારી રીતે મિક્સ કરીને ખાવાથી થોડા દિવસોમાં બાળકો નો સોજો ઓછો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top