99% લોકો અજાણ છે આ શક્તિશાળી ધાનથી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બીજા 20થી વધુ રોગો માટે છે અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પર્વતો અને જંગલો હંમેશા જડીબુટ્ટી ના મુખ્ય સ્રોત રહ્યા છે. આ જડીબુટ્ટી માંથી વિવિધ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં આવે છે. આવી જ ઔષધિ છે ‘ક્વિનોઆ’. ખૂબ ઓછા લોકો તેના ફાયદાઓથી સારી રીતે જાગૃત હશે, પરંતુ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ જ છે, જે તમને ખરેખર આશ્ચર્યચકિત કરશે.

તબીબી વિશ્વમાં, ક્વિનોઆને ‘ચિનોપોડિયમ ક્વિનોઆ’ તરીકે ઓળખવામાં આવે છે. તે એક ફૂલોનો છોડ છે જે દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વત પર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેની ઉંચાઈ લગભગ એક થી બે મીટર સુધી વધે છે. તેના બીજ મુખ્યત્વે ખોરાક માટે વપરાય છે. તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. આ કારણોસર તે ઘણી ગંભીર સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

ક્વિનોઆના ફાયદા અને ઔષધીય ગુણધર્મો વિશેની વિસ્તૃત માહિતી જાણીએ.વજન વધારો અથવા મેદસ્વીપણાથી પીડાતા લોકો માટે ક્વિનોઆના ફાયદા પણ અસરકારક સાબિત થાય છે. તેના સેવનથી આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. સંશોધન સૂચવે છે કે ક્વિનોઆ એ એક ખાદ્ય વસ્તુ છે જેમાં બીટૈન નામનું એક વિશેષ તત્વ હોય છે. આ તત્વ જાડાપણું ની સમસ્યાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, ક્વિનોઆ એક સંપૂર્ણ પ્રોટીન છે જે ચયાપચયને પ્રોત્સાહન આપે છે.

ગર્ભાવસ્થા ના દિવસો માં ડોક્ટર ક્વિનોઆ ખાવાની સલાહ આપે છે. આ માતા અને શિશુ બન્ને નો વિકાસ સારી રીતે કરે છે. તેથી ગર્ભવતી મહિલાઓ ને પોતાની ડાયેટ માં ક્વિનોઆ જરૂર સામેલ કરવું જોઈએ. ક્વિનોઆ હૃદય આરોગ્ય માટે પણ ઉપયોગી ગણાવી શકાય છે. ક્વિનોઆથી સંબંધિત સંશોધન દ્વારા પણ પુષ્ટિ મળી છે. સંશોધન સૂચવે છે.

ક્વિનોઆમાં પણ પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે, જેને ધબકારાને નિયંત્રણમાં રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત, તે સારા કોલેસ્ટરોલ ને વધારવા માટે પણ કાર્ય કરી શકે છે. આ આધારે, હૃદય માટે ક્વિનોઆના ફાયદા મદદગાર ગણી શકાય.

હાડકાની નબળાઈ કોઈપણ ઉંમરમાં અને કોઈપણ લોકોને થઇ શકે છે. તેવામાં ક્વિનોઆનું સેવન ઘણું જ લાભદાયક છે. તેમાં મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળી આવે છે, જે આરોગ્ય માટે ઘણું લાભદાયક છે. એટલું જ નહિ તેમાં તમામ ૯ અમીનો એસીડ પણ રહેલા હોય છે, જે શરીર જાતે ઉત્પન નથી કરી શકતું. પરંતુ તેના માધ્યમથી જ તે શરીરમાં આવી જાય છે. સાથે જ તે ઓસ્ટીયોપોરોસીસને રોકવામાં મદદ કરે છે.

ક્વિનોઆ બળતરા ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. સિવોનિન્સ નામનું એક વિશેષ તત્વ ક્વિનોઆમાં જોવા મળે છે. આ તત્વ બળતરા વિરોધી ગુણધર્મો થી સમૃદ્ધ છે. આથી જ ક્વિનોઆનો ઉપયોગ હળવી અને સામાન્ય બળતરાને દૂર કરવા માટે ઘરેલું ઉપાય તરીકે કરી શકાય છે. આ ડાયાબીટીસ માં બહુ ફાયદાકારક છે. દરરોજ તેના સેવન થી ડાયાબીટીસ ને કંટ્રોલમાં રાખવામાં આવી શકે છે.

ક્વિનોઆમાં વિટામીન બી ૧૨ હોય છે, જે ત્વચાનો રંગ જાળવી રાખવાને લઈને બીજા વિટામીન સાથે સંપર્ક કરે છે. ત્વચામાં કાળા મીલેનીનને ઓછા કરે છે. ક્વિનોઆમાં રહેલા વિટામીન બી ખિલનો ઈલાજ કરે છે. એટલું જ નહિ તે ઉંમર વધારવાની પ્રક્રિયા માં ઘટાડો કરે છે, અને ત્વચા લાંબા સમય સુધી યુવાન અનુભવી શકાય છે.

ક્વિનોઆના સેવનથી એનીમિયા જેવા રોગથી પણ આરામ મળે છે. એક કપ પાકા એવા ક્વિનોઆમાં લગભગ ૩ મી.ગ્રા. લોહ હોય છે. તેના સેવનથી એનીમિયા અટકાવવામાં મદદ મળે છે. ક્વિનોઆ ભૂખને ઓછી કરે છે જેથી વજન ઓછું કરવામાં મદદ કરે જ છે, સાથે જ ચયા-પચયમાં સુધારો કરે છે અને મેટાબોલીઝમને મજબુત બનાવે છે. શરીર માં એનર્જી વધારવા માટે ક્વિનોઆ નો ઉપયોગ સારો માનવામાં આવે છે. આ આપણા એનર્જી લેવલ ને બુસ્ટ અપ કરી દે છે.

ભરપુર માત્રા માં વિટામિન્સ હાજર હોવાના કારણે તેનાથી આપણા શરીર ને ઉર્જા મળે છે. આ વિટામિન્સ ને સારો સ્ત્રોત હોય છે. ક્વિનોઆ માત્ર શરીરની બીમારી દૂર નથી કરતું પરંતુ વાળની સુંદરતા પણ વધારે છે. તેમાં ૯ જરૂરી એમીનો એસીડ હોય છે જેનાથી વાળનું રક્ષણ થાય છે અને વાળ વધે છે. સાથે જ તેમાં કેલ્શિયમ, લોહ અને ફોસ્ફરસ જેવા મહત્વના ખનીજ પણ મળી આવે છે જે માથાના રૂસીને દુર રાખે છે. તે બે મોઢા વાળા વાળને વધતા પણ અટકાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top