ખોરાક આપણા અસ્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે સમગ્ર દિવસ દરમિયાન તંદુરસ્ત અને સક્રિય રહેવા માટે ત્રણ દિવસમાં ત્રણ યોગ્ય ભોજન લેવાનું મહત્વપૂર્ણ છે.
જોકે નાસ્તો દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન કહેવાય છે, તેમ છતાં, તેના અનુગામી, લંચ સમાન રીતે મહત્વપૂર્ણ છે. કામમાંથી વિરામ લેતા અને શાંતિપૂર્ણ અને તંદુરસ્ત ભોજન લેવાનું ખૂબ મહત્વનું છે, ખાસ કરીને ઓફિસમાં.
જ્યારે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકને ગરમ કરો છો, તો તે બી.પી.એ (બિસ્પેનોલ) નામનો પદાર્થ છે જે માનવો માટે અત્યંત ઝેરી છે. તે એક ઔદ્યોગિક રાસાયણિક છે જેનો ઉપયોગ પ્લાસ્ટિક ઉત્પાદન માટે કરવામાં આવે છે, જેથી તેને મજબૂત અને ટકાઉ બનાવવામાં આવે.
આ ઘટક કોશિકાઓની કામગીરીમાં દખલ કરવા માટે જાણીતા છે. તે એસ્ટ્રોજન હોર્મોનનું સ્વરૂપ લે છે જે પાછળથી ગર્ભ વિકાસમાં દખલ કરે છે.
કેન્સર નો ખતરો :
પ્લાસ્ટિકની બોટલોમાં પીવાતું પાણી પણ સલામત નથી તેવું તાજેતરમાં જ એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે. પ્લાસ્ટિકની બોટલો કે પ્લાસ્ટિકના વાસણોની નીચે નીચે એક ત્રિકોણ આકારમાં કોડ લખવામાં આવેલો હોય છે. આ રેઝિન આઈડેન્ટિફિકેશન કોડ છે. રેઝિન એટલે એ પદાર્થ જેનાથી આ પ્લાસ્ટિક બનાવાયું છે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ કોડમાં ૨,૪ અને પ લખ્યું હોય તો આ બોટલ કે વાસણ વાપરવા માટે ઠીક છે પરંતુ જો આ કોડમાં ૧,૩,૬ અને ૭ લખ્યું હોય તો તે વાપરવાથી બચવું જોઈએ કારણ કે તેમાં પોલિકાર્બોનેટનો ઉપયોગ થયો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે.
દુનિયાની મોટાભાગની વસતીનો મુખ્ય ખોરાક ફિશ અને સી-ફૂડ છે. અત્યારે જે લોકો ફિશ અને સી-ફૂડ ખાઈ રહ્યાં છે. તે લોકો જાણે-અજાણે પ્લાસ્ટિક પેટમાં પધરાવી રહ્યાં છે. સમુદ્રમાં પડેલા પ્લાસ્ટિકના કચરામાંથી નીકળેલા માઈક્રો પ્લાસ્ટિક માછલીઓના શરીરમાં સ્થાયી થાય છે અને માછલીઓ જ્યારે માણસ ખાય છે ત્યારે પ્લાસ્ટિક માણસના શરીરમાં પણ પહોંચે છે.
નોનસ્ટિક વાસણ નો ઉપયોગ હાનિકારક :
ગરમ થયેલું પ્લાસ્ટિક તેમાંથી ખૂબ હાનિકારક કેમિકલ છોડતું હોય છે. પાતળા પ્લાસ્ટિકના કપમાં ચા પીવા ટેવાયેલા લોકો જાણે અજાણે કેન્સરનો ભોગ બનતા હોય છે. હવે જ્યારે પ્લાસ્ટિક કોટેડ તવા બજારમાં મળતાં થઈ ગયા છે નોનસ્ટિક વાસણો તરીકે ઓળખાતા આ મોંઘાદાટ તવાઓ ગૃહિણીઓ શોખથી વાપરી રહી છે અને ખુશ થઈ રહી છે કે આ તવા પર તો ઢોંસા કે ભાખરી ચોંટતી નથી. પરંતુ હલકી કક્ષાના આ નોનસ્ટિક વાસણો ગરમ થતાં જે ઝેર ખાદ્ય પદાર્થ સાથે છોડે છે તે વાતથી આ ગૃહીણીઓ અજાણ હોય છે અને આખા પરિવારનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકતી હોય છે.
વિજ્ઞાનીઓનાં કહેવા અનુસાર પાણીમાં નહીં ભળવાના કારણે અને બાયોકેમિકલી એક્ટીવ નહીં થવાના કારણે શુદ્ધ પ્લાસ્ટિક ખૂબ જ ઓછુ ઝેરી થઈ જાય છે. પરંતુ જ્યારે તેમા અલગ પ્રકારનાં પ્લાસ્ટિક અને કલર વગેરે ભળે છે ત્યારે તે ખુબ હાનિકારક બની જાય છે.
અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આ વાત સાથે સંમત થયા છે કે દરેક પ્રકારનું પ્લસ્ટિક અમુક સમય પછી કેમિકલ છોડવા જ લાગે છે, ખાસ કરીને જેના ગરમ કરવામાં આવે છે અથવા તો જે પ્લાસ્ટિકમાં ગરમ વસ્તું ભરવામાં આવે છે.
જ્યારે પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે અથવાતો તેમા જમવાની કોઈ ગરમ વસ્તુ રાખવામાં આવે તો તે પ્લાસ્ટિકમાંથી પૉલીસાઈકલિક હાઈડ્રોકાર્બન નિકળે છે, જે એક પ્રકારનું કેમિકલ છે જેનાથી કેન્સર થાય છે.
પ્લાસ્ટિકમાંથી નીકળતું પૉલીસાઈકલિક હાઈડ્રોકાર્બન કેમિકલથી ગંભીર બીમારીઓ ફેલવાનો ભય વધી જાય છે.ફરી-ફરીને ગરમ કરવાથી આવા પ્લાસ્ટિકમાંથી કેમિકલ્સ નીકળવાનાં ચાલુ થઈ જાય છે.
નાના બાળકોની દૂધની બોટલ અને સિપર કપમાં રસાયણની માત્રા મળી રહી છે. જે જીવલેણ છે. ખાસ પ્રકારનું રસાયણ ‘બિસ્ફેનોલ-એ’ બાળકોની દૂધની બોટલમાં રિસર્ચ દરમિયાન મળી આવ્યું. જે ખુબ જ હાનિકારક છે અને તેના પ્રભાવથી બાળકોને આગળ જઈને અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ શકે છે.