જો તમને પણ મુસાફરી દરમ્યાન થાય છે ઊલટીઓ તો અપનાવો આ આસાન ઉપાય તરત મળશે રિજલ્ટ….

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેકને મુસાફરી કરવી ગમે છે પરંતુ ઘણા લોકો ને મુસાફરી દરમિયાન ઉલટી થવાની ફરિયાદ રહે છે, તેથી ઘણી વાર તેમની મુસાફરીનો આનંદ બગડી જાય છે.
ઘરના કોઈ  સભ્યને ટ્રાવેલિંગ સિકનેસ હોવાનો વિચાર આવતાં પ્રવાસનો મૂડ ઘણીવાર ઉડી જતો હોય છે. હિલ સ્ટેશનની ચઢાઇવાળા ગોળ-ગોળ રસ્તા પર વાહનમાં બેસતાં ઉલટી થવા માંડે કે ચક્કર આવવા લાગે તેને અંગ્રેજીમાં આનેટ્રાવેલિંગસિકનેસ કહે છે. મહાબળેશ્વર, આબુ કે મલેશિયાના જેન્ટિંગ હાઈલેન્ડ જેવા હિલસ્ટેશન જવા માટે બસ જ્યારે ઉપર ચઢે છે ત્યારે બસમાં એકાદ – બે પેસેન્જરને તો ઉલટી શરૂ થઈ જતી હોય છે.જમીન પર ચાલતાં વાહનોમાં બેસવાથી પણ ઘણાને આવું થાય છે

આવું કેમ થાય છે?

નિસર્ગનો વાયુ જ્યારે પ્રચંડ બને ત્યારે નદીઓનાં વહેણને પણ તદ્દન ઊંધી દિશામાં ફેરવી નાખે છે. બીજા દોષોની  સાથે પણ વાયુ જ્યારે તેનું સંતુલન ગુમાવે છે ત્યારે બીજા દોષોની સાથે મળીને ખાધેલા ખોરાકને તેના નિશ્ચિત માર્ગમાંથી ચલિત કરીને ઊર્ધ્વમાર્ગે ઉપરથી બળપૂર્વક બહાર ધકેલી દે છે. વાહનોની ગતિ જ્યારે વધે છે ત્યારે સ્વાભાવિકપણે માનવશરીરને બહારના કુદરતના વાયુનો સામનો કરવાનું કઠીન બને છે અને જેમના શરીરનો વાયુ આ બેલેન્સ નથી કરી શકતો તેમને ઉલટી અને ચક્કર જેવી સમસ્યાઓ થાય છે.

ઊલટીથી બચવાના ઉપાય:

જેમને મુસાફરી વખતે ઉલટી થતી હોય તેમને જમ્યા પછી તરત વાહનમાં ના બેસવું. વાહનમાં બેસતાં પહેલાં નાગરવેલના પાનમાં એકાદ -બે લવિંગ મૂકીને ચાવી જવાં. નાગરવેલનું પાન તેના ઉષ્ણ ,તીક્ષ્ણ ગુણથી વાયુની પ્રાકૃતગતિને જાળવી રાખે છે. લવિંગમાં જે વિશિષ્ટ અને તીવ્ર સુગંધ છે, એ સુગંધ પૃથ્વી મહાભૂતનો ગુણ છે. એટલે કે સુગંધમાં બહુ જ સૂક્ષ્મ સ્વરૂપે પાર્થિવ તત્વો રહેલાં છે, જે વાયુને અનુલોમ-નીચેની ગતિ કરાવવા માટે ઉપયોગી બને છે.

આકડાના છોડનાં ફૂલને એક પાતળા કપડામાં પોટલી વાળીને રાખવાં અને ટ્રાવેલિંગ વખતે તેને અવાર–નવાર સુંઘવાં. આકડાનાં ફૂલમાં પણ ઉષ્ણ – તીક્ષ્ણ ગુણો રહેલાં છે, જે વાયુને પોતાની નૈસર્ગિક અનુલોમ ગતિ માટે ફરજ પાડે છે. મુસાફરી શરૂ કરતાં પહેલાં લીંબુ કાપી તેના પર હિંગ, સંચળ અને કાળા મરીનો પાવડર છાંટીને ચૂસી જવું. જેનાથી પણ ઉલટી થતી રોકાય છે. આ ઉપચાર ખોરાક પ્રત્યે અરુચિ રહેતી હોય તેમને માટે પણ ઉપયોગી છે.

મોરનાં પીંછાની ભસ્મ સાથે પીપરનું ચૂર્ણ મિક્સ કરીને પાણી સાથે ગળી જવું. વાયુની ગતિને તત્કાળ અનુલોમ કરીને ઉલટી થતી રોકે છે. ટ્રાવેલિંગ સિક્નેસના દર્દીએ આવું ચૂર્ણ મુસાફરી પહેલાં પી લેવું, જેથી ઉલટી થવાની સંભાવના ના રહે. મુસાફરીના પ્રારંભથી અંત સુધી સાકરના ટૂકડાને મોં માં રાખીને ચગળ્યા કરવો. આનાથી સતત લાળસ્રાવ પણ થયા કરે છે. સાકર અને લાળને કારણે વાયુ અથવા પિત્તના ઉછાળાને ત્વરિત રોકી શકવા સમર્થ છે.

ઉલટીવાળા ઘણા લોકોને મુસાફરી દરમિયાન ચક્કર આવવાની સમસ્યા પણ હોય છે.  જો મુસાફરીમાં પણ એવું જ લાગે છે, તો કાળા મીઠા સાથે લીંબુનો ટુકડો ચાવવો આનાથી તરત જ સારું થશે અને ચક્કર ખૂબ હદ સુધી બંધ કરશે. લીંબુ ના કટકા કરી તેના ઉપરથી ખાંડ અને સિંધવ નમક મેળવીને તેને ચાટવાથી પણ ઊલટીની સમસ્યા દૂર થઈ જાય છે.

મુસાફરી કરતા લગભગ 1 કલાક પહેલા, 1 ચમચી આદુનો રસ સાથે 1 ચમચી ડુંગળીનો રસ પીવો. આ મુસાફરી દરમિયાન ઉલટી દૂર કરશે. આદુમાં એવા ગુણધર્મો હોય છે જે ઉલટી અને ચક્કર અટકાવે છે. જો મુસાફરીની મધ્યમાં ઉબકા લાગે છે, તો આદુની ગોળીઓ અથવા આદુ ચા પીવી.  ચિત્રકાદિવટી, શંખાવટી, અગ્નિતુંડી વડી, સૂતશેખરરસ, કપર્દિકાભસ્મ વગેરેમાંથી કોઈપણ ઔષધ મુસાફરી શરૂ કર્યા પહેલાં તમારી પ્રકૃતિ અને ખોરાક પ્રમાણે વૈદ્યરાજને પૂછીને લઈ શકાય અને પછી જેઠીમધ ઘનવટી અથવા એલાદિવટીને મોંમાં રાખી ચગળવાથી પણ ટ્રાવેલિંગ સિક્નેસથી બચી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top