જાણો આપણા શરીર ના એક દુશ્મન વિષે: શું તમારા માં પણ એ ક્યાંક છુપાઈ ને તો બેઠો નથી ને…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોલેસ્ટ્રોલ એ આપણાં શરીર ને ખૂબ નુકસાન કરે છે. ખોરાક માં ધ્યાન આપવામાં ન આવે તો કોલેસ્ટ્રોલ વધી જે છે. આના માટે કોઈ જાત ની આધૂણીઓક દવા ના ઉપયોગ કરવા કરતાં આયુર્વેદિક રીતે આનો ઉપચાર કરવો હિતાવહ છે. આધુનિક દવાઓ થી આપડા શરીર ના બીજા અવયવો ને પણ નુકસાન થાય છે.

કોલેસ્ટ્રોલ માટે ના આયુર્વેદિક ઉપચારો

જવ, દહીં, લસણ, ડુંગળી, જવની થૂલી, ઓટ્સ, તલનું તેલ, ગુગળ વગેરે ખાવાથી કોલેસ્ટેરોલ કાબૂમાં રહે છે. જ્યારે તમારું પરિશ્રમ વગર નું બેઠડું જીવન હોય અને તમે નિવૃત હો કે આખો દિવસ બેસી ને કામ કરતાં હો તો મનગમતો ખોરાક ન ખાવા કરતાં શરીર ની જરૂરિયાત મુજબ નો ખોરાક ખાવો ઉત્તમ રહેશે.

મો ને ભાવે તેવો આહાર કેટલો હાનિ કારક છે

મો ને ભાવે તેવો આહાર માં સામાન્ય રીતે તળેલા પદાર્થો, ઘી વાળું ગળ્યું ભોજન કે ચીજ બટર યુક્ત ખોરાક, આવા બધા મનગમતા ખોરાક ‘ગુરુ’ એટલેકે પચવામાં ભારે હોય છે અને સ્વાદિષ્ટ હોવાથી તેની ખાવાની માત્રા પણ વધારે હોય છે. ઉપવાસ પછી ના દિવસે ભરપેટ જમવાની ટેવ પણ જઠરાગ્નિને નુકસાન પહોંચાડે છે અને વિવિધ રોગો ને આમંત્રણ આપે છે.

આયુર્વેદ આ વિષે શું કહે છે?

આયુર્વેદની દ્રષ્ટિ એ રોગો થવા પાછળ આપનો અસ્તવ્યસ્ત ખોરાક ખૂબ મહત્વ નો ભાગ ભજવે છે. આપણાં શરીર માં કોલેસ્ટ્રોલ ની વધઘટ પણ આ પ્રકાર ના ખોરાક ને આભારી છે. LDL-HDL – કોલેસ્ટરોલનું પ્રોટીન સાથે સંયોજન થઈને લાયપો-પ્રોટીન–Lipo protein બને છે આમાં પ્રોટીન વધુ અને કોલેસ્ટરોલ ઓછું હોય છે. જે ધમનીઓની દીવાલમાં ચીટકી જતું નથી.

ઓછી ઘનતાવાળું લાયપો પ્રોટીન જેમાં કોલેસ્ટરોલ વધુ અને પ્રોટીન ઓછું હોય છે. જે ધમની દીવાલોમાં ચિટકી જાય છે તે LDL (Low debsily Lippprotein) છે. જેને કારણે વાહિનીઓની ઈલાસ્ટીસિટી (સ્થિતિસ્થાપકતા) ઓછી થઈ જાય છે. આયુર્વેદ high debsily Lippprotein ને પ્રકૃતિ કફ અને LDLને વિકૃત કફ સાથે સરખાવ્યું છે.

લાંબા ગાળાની આધુનિક વિજ્ઞાન પાસે આના ઔષધો છે, જેની side effects વિષે તે લોકો પણ સજાગ છે માટે, હવે આધુનિક ચિકિત્સકો પણ Do’s & Dont’sનો આગ્રહ રાખે છે. કેવી કેવી તકેદારી રાખવાથી આપણાં શરીર નું સ્વાસ્થ જળવાઈ રહે અને કોલેસ્ટરોલ જેવી સમસ્યાઓ ઉધભવે  નહીં અને અને જો થઈ હોય તો આયુર્વેદ ના સહારે આ પ્રકાર ની સમસ્યા માંથી કેવી રીતે બહાર નીકળવું એ નીચે જણાવ્યું છે.

તલનું તેલ

હૃદય ને જરૂરી  લિનોલેઈક (Linoleic) ફેટીએસિડ જે ઓમેલા 6 તરીકે પણ ઓળખાય છે તે સિંગતેલ માં ઓછું છે અને તલના તેલમાં વધારે છે. માટે રસોઈ માં વઘાર માટે તલના તેલનો ઉપયોગ કરવો.

મગફળીનું તેલ

સિંગતેલ તો આયુર્વેદની દૃષ્ટિએ પણ ઠંડુ અને વાયડું હોવાને કારણે પચવામાં ખૂબ વાર લાગે છે, માટે કોલેસ્ટેરોલ વાળાઓ અને જેમને ભવિષ્યમાં કોલેસ્ટેરોલ વધવાની શક્યતા છે, તેવા પરિશ્રમ વગરનું જીવન જીવતાં લોકોએ સિંગતેલ ખાવું જ નહીં.

તલ નું તેલ પ્રાકૃત કફ LDL કોલેસ્ટેરોલને અને LDL કોલેસ્ટેરોલની માત્રાને વધારી કે ઘટાડી શકવાની કેપેસિટી ધરાવે છે. તલના તેલના કેટલાક ગુણો લેખન એટલે કે ખોતરવું, સૂક્ષ્મ એટલે પાતળી વાહિનીઓમાં જઈ શકે તેવું વ્યાપી એટલે કે સર્વ શરીરમાં તરત વ્યાપ્ત થઈ શકે તેવું, ઉષ્ણ એટલે કે ગરમ હોવાથી ધીમે ધીમે વાહિનીઓમાં સંચિત થયેલા દોષોને ઉખાડીને તેનો ક્ષય કરનારું છે. વળી આ સ્નિગ્ધ ગુણથી પ્રાકૃત કફને પુષ્ટ કરે છે. જેનાથી ધમની આદિ સ્રોત સમા કાડિન્ય (Sclerosis) થવાની સંભાવનાને ઘટાડે છે.

જવની થૂલીના / ઓટસ-Oats

ડો .JW Andarson કોલેસ્ટરોલ ઘટાડનાર ઓટસ-જવની થૂલીના ક્રાંતિકારી સંશોધનના Pioneer મનાય છે, જે Kentucky Medical School ના પ્રોફેસર હતા. જવ નો ભેદક ગુણ વાહિનીઓ માં અવરોધ નાર તત્વોને ખસેડે છે પરિણામે કોલેસ્ટેરોલ-મેદ-ચરબીની સમસ્યાને દૂર કરે છે.

યોગર્ટ / દહીં

આકસ્મિક રીતે અમેરિકામાં થયેલી શોધમાં યોગર્ટથી લોહીમાંનું કોલેસ્ટરોલ ઘટે છે તેવું પુરવાર થયું. પાછળથી જાણવા મળ્યું કે આફ્રિકાની પછાત જાતિ મસાઈઓના લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું જણાયું તપાસ કરતાં જાણવા મળ્યું કે તે રોજ યોગર્ટ ૩થી ૫ લિટર યોગર્ટ પીતાં હતાં. તુર્કી શબ્દ ‘યોગર્ટ’ ની વ્યાખ્યા છે કે દૂધમાં આપો લાવી જમાવી દેવું. આપણે જેને દહીં કહીએ છીએ, આયુર્વેદમાં ગાયના દહીંનો મહિમા વધુ છે. ગાયનું દહીં હૃદય એટલે કે હૃદય માટે હિતકારી છે. એવું હજારો વર્ષ પૂર્વે લખેલું છે.

લસણ, ડુંગળી

ધમની કાડિન્યમાં (Artery sdewdwsis) માં આધુનિકો Vasodilator ઔષધો આપે છે, The curative Properties of food Plants નામના પુસ્તકમાં લસણ વિષે જણાવે છે કે ધમની કાડિન્યવાળાઓ રોજ 2 થી 3 કળી લસણ ખાવું લસણ- Garlic anticoougalant એટલે કે અવરોધનાશક છે અને લોહીની નળીઓ પહોળી કરે છે, Thfts યુનિવસિર્ટીના ડો. Victor Gurewich, જે મેડિસીનના પ્રોફેસર છે તેઓ કરે છે કે રોજ ખોરાકમાં ડુંગળી-Onion લેવી જોઇએ. HDL નું પ્રમાણ 30% જેટલું વધે છે. લખર્નોની જ્યોર્જ મેડિકલ કોલેજના પ્રોફેસર ડો. ગુપ્તાના સંશોધન અનુસાર ડુંગળી હૃદય અને મગજની નસોમાં થતાં Thrombosis સામે રક્ષણ આપે છે. લોહીની ગાંઠને ઓગાળે છે.

ગુગળ

Commifora Mukul (ગુગળ) એ વિશ્વમાં hypo-cholesteramic agent એટલે કે કોલેસ્ટેરોલ ઘટાડવા માટે પ્રખ્યાત પામી ચૂક્યું છે. નજીકના વૈદ્યરાજનો સંપર્ક કરીને ઉપયોગ કરવો હિતાવહ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top