Breaking News

શું તમે કબજિયાતથી પીડાઓ છો ? તો જાણો તેનો ઘરેલુ ઉપાયો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છુટો પડી કબજીયાત મટે છે નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે. રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.

લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે. ખજૂર રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે. ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ ભેળવી પીવાથી કબજિયાત મટે છે.

કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે દ્રાક્ષને મસળીને ગાળીને તે પીવાથી કબજિયાત મટે છે. રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે. ત્રણ ગ્રામ મેથી નું સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે. ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તેનો ઉકાળો રાત્રે અથવા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે.

રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે. અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજીયાત મટે છે. તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે. જાયફળ લીંબુના રસમાં ઘસીને તેનો ઘસારો લેવાથી કબજિયાત મટે છે.

જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે. કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે. કબજિયાત હોય અને ભૂખ ઓછી લાગતી હોય તો સુઠ પીપરીમૂળ જીરુ સિંધાલૂણ કાળા મરી સરખે ભાગે લઈ વાટી બારીક ચૂર્ણ બનાવી બેગ્રાઉન્ડ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાત મટે છે. દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજીયાત મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!