માત્ર 5 દિવસમાં અસહ્ય હરસ-મસાના દુખાવાથી અને લોહી પાડવાની સમસ્યાથી 100% છુટકારો, નહિ પડે ઓપરેશનની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના સમયમાં હરસ સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. આ ઘણો જ કષ્ટદાયક રોગ છે. હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ આવી જાય છે. જે અસહ્ય હોય છે. હવે આજે અમે તમને હરસ-મસાને દૂર કરવાના ઉપાયો જણાવીશું.

હરસ 2 પ્રકારની હોય છે.  લોહીવાળા હરસમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી માત્ર લોહી આવે છે. પહેલા પખાનામા લાગીને, પછી ટપકીને, પછી પિચકારી ની જેમ માત્ર લોહી આવવા લાગે છે. તેની અંદર મસ્સા હોય છે. જો કે અંદરની તરફ હોય છે પછી પાછળથી બહાર આવા લાગે છે. જુના થવાથી બહાર આવવાથી હાથથી દબાવવાથી જ અંદર જાય છે. છેલ્લા સ્ટેજમાં હાથથી પણ દબાવવા છતાં પણ અંદર નથી જતું.

હરસ મટાડવાના આયુર્વેદિક ઉપાય:

હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સે લઇ થોડી સાકર મેળવી ખાવું. દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં તકલીફમાંથી મુક્ત થવાય છે.

કમળકાકડી સાકર સાથે ખાવી જોઈએ. કપૂર અને અફીણ માખણ સાથે લગાડવાથી હરસ મટે છે. કપૂર, અફીણ અને જાયફ્ળ તલના તેલમાં ઘૂંટી મલમ જેવું લગાડવાથી મસા ખરી ખડે છે. કારેલાંનો રસ સાકર સાથે પીવો.

ભૂખે પેટે કેળું, માખણ સાથે ખાવાથી હરસ મટે છે. કાળી દ્રાક્ષ 1 તોલો, વા શેર દૂધમાં ઉકાળી દિવસમાં બે વાર પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. ગરમાળાનાં પાંચ પાન અને સાત મરીના દાણા સાકરના પાણીમાં મેળવી રોજ બે વાર ખાવાથી હરસ મટે છે. હિંગની ધૂણી હરસ પર આપવાથી દર્દ મટે છે. સૂરણને કટકા કરી સૂકવવા અને તેનું ચૂર્ણ કરવું ચૂર્ણ ૪ તોલા બે વાર ખાવો. હરસના દર્દીએ છાશનું સેવન વધુ કરવું. 

જીરાની ફાકી પાણી સાથે લેવાથી હરસનું લોહી ક્ળતર અને દુઃખાવો મટે છે. કાળા તલ, ગાયનું માખણ, સાકર ૧ પૈસા ભાર રોજ ચાર વાર ખાવું. તલનો ઉકાળો પીવાથી હરસમાં ફાયદો થાય છે. માખણ સાથે નાગકેસર ખાવાથી હરસમાં ફાયદો થાય છે. નાગકેસર સાકર સાથે સમભાગે મેળવી વ તોલા પાણી સાથે સવાર-સાંજ લેવું.

લીલું કોપરું અને સાકર ચાવીને ખાવાથી હરસ મટે છે. નાળિયેરની ચોટલી અથવા તમામ છોડને બાળી, રાખ કરી, તે રાખ બે વાલ દહીં યા મલાઈ સાથે ખાય તો હરસમાં લોહી પડતું બંધ થાય. ભોંયરીંગણીનાં મૂળની છાલ છાયામાં સૂકવવી ને તેનું ચૂર્ણ કરી રોજ ત્રણ વા૨ લેવું. મૂળાના કંદ તથા પાન વચ્ચેનો લીલા ભાગનો રસ કાઢી બે

તોલા ઘી સાથે મેળવી પીવાથી તરતના હરસ મટે છે. મરી ૧૫ તોલા, સુવા ૨ શેર ખાંડી મધ સાથે પાક બનાવવો. રોજ ૧ તોલો પાક ખાવાથી સૂકા મસામાં ફાયદો કરે છે. લીમડાનાં પાનનો રસ ૧ તોલો ઘી-સાકર સાથે મેળવી પાંચ દિવસ પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. વડની છાલનું ચૂર્ણ ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.

આદુનો ૪ તોલા ઉકાળો ૨૧ દિવસ સુધી પાવો. આમલીનાં પાનનો રસ લાંબા સમય સુધી પીવાથી હરસ મટે. અશોકનાં મૂળનું તેમજ છાલનું ચૂર્ણ લગાડવાથી હરસ મટે છે. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top