હાડકાં, દાંત, ગેસ, એસિડિટી જેવી 30થી વધુ સમસ્યા માટે જરૂર કરો આનો ઉપયોગ, જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગોરસ આંબલી વનસ્પતિ ફોરેન રીટર્ન છે એટલે કે મૂળ ઉત્પત્તિ સ્થાન મેક્સિકો છે ત્યાંથી અમેરીકા અને મધ્ય એશિયા થઈ ભારત માં આવેલ .આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ “કાતરા” ના નામે ઓળખાય છે. ખંભાત-નડિયાદ માર્ગ ઉપર નાના ભૂલકાઓ ઔષધીય ગોરસ આંબલી લઈને વેચાણ અર્થે ઉભા રહે છે.

ગોરસ આંબલીમાં અંદરનું ફળ સફેદ કલરનું હોય છે. તેનો આકાર આમલી જેવું હોય છે. પરંતુ તે ફળ પાકી ગયા પછી તે લાલ થઇ જાય છે. આ ફળનો સ્વાદ ખાટો મીઠો હોય છે. અલગ અલગ જગ્યાએ લોકો તેને જુદા જુદા નામથી જાણે છે. જેમકે વિલાયતી આંબલી, ગંગા જલેબી, મીઠી આંબલી વગેરે.

ચરોતરના હવામાનમાં ગોરસ આંબલી વધુ થાય છે.અને અહીની જમીન પણ માફક આવે છે. ઉનાળાની સિઝનમાં ખાન-પાનને લીધે વારંવાર ઝાડા કે મરડોની તાસીરવાળાને સિઝનમાં રોજ સવારે 100 ગ્રામ ગોરસઆંબલી નું સેવન કરવુ જોઈએ.

મેક્સિકોમાં ગોરસઆંબલી દાંત ના દુખાવો માં પરંપરાગત દવા તરીકે વપરાય છે કેમકે તે નબળા પેઢાં ને મજબૂત બનાવે છે. ગોરસઆંબલી મોઢાં ના ચાંદા ને તથા દાંત માંથી આવતાં લોહી ને પણ મટાડે છે .

જો કોઈ વ્યક્તિ ને ડાયાબિટીસ ની સમસ્યા હોય તો, તેને ગોરસ આંબલી નો ઉપયોગ કરવો જ જોઈએ. કારણ કે ગોરસ આંબલી ડાયાબિટીસ માટે એક ચમત્કારિક ઔષધી છે. જે લોકો ને ડાયાબિટીસ ની સમસ્યા છે તેઓએ લગભગ 1 મહિના સુધી ગોરસ આંબલી નુ સેવન કરવુ જોઈએ. આ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા માં રાહત મળી શકે છે.

કોઈ વ્યક્તિ ને કિડનીમાં ઇન્ફેક્શન ની સમસ્યા હોય તો, તેમણે ગોરસ આંબલી નો ઉપયોગ કરવો જોઈએ. તેના સેવન થી જો કોઈ વ્યકિત નુ દારૂ પીવાથી કિડની ખરાબ થઈ ગઈ હોય તો, તે વ્યક્તિ ને લાભ મળે છે.

ચામડી રોગમાં ગોરસ આંબલી નો ઉપયોગ કરવામાં આવે છે. ચામડી માટે અનેક પ્રકાર ના રોગમાં એલર્જી માં ગોરસ આંબલી નો છાલ ને ઘસીને ચામડી પર લગાવવાથી આરામ મળે છે. ગોરસ આંબલી માં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેંટરી , એન્ટી ડાયાબીટીક અને કેન્સર જેવા લક્ષણો પર પ્રયોગ કરવામાં આવ્યા છે.

ગોરસ આમલીના સેવનથી ઇમ્યુનિટી પણ વધે છે. કોરોના વાયરસ લીધે આજકાલ ઇમ્યૂનિટીની ઘણી ચર્ચા છે.ગોરસ આમલીનાં ખાટા ફળોમાં વિટામિન સી ની માત્રા વધુ હોય છે. તેથી તે એક એન્ટી ઓકસીડન્ટ રીતે કામ કરે છે અને શરીરને રોગોથી લડવાની ક્ષમતા વધારે છે.

ગોરસ આંબલી ના પાનમાં એવા તત્વો છે. જે ખુબ ફાયદા કારક છે જે કેન્સર સેલ્સ અને અલ્સર ને અટકાવે કરી શકે છે.  મિત્રો એટલું જ નહિ, આ ફળ દુખાવો, એકસિમાં, તાવ, શરદી, ગાળામાં ખરાશ, ખીલ મુહાસા ને ખતમ કરી શકે છે. પેટ સબંધિત સમસ્યાઓ જેમકે , કબજિયાત , દસ્ત , ગેસ થી બચવા અને પાચન ક્રિયા ને દુરસ્ત કરવા માટે આ ફળ નુ સેવન કરવુ જોઈએ.

વધુ માં જણાવીએ કે તે આ ફળમાં મળી આવતા તત્વો ડાયરિયા ને મૂળમાંથી ખતમ કરવામાં મદદરૂપ થાય છે.જો કોઈને પથરી ની સમસ્યા છે તો ગોરસ આંબલી ને લગભગ 10 દિવસ સુધી ખાવાથી હંમેશા માટે આ રોગ મટી જાય છે.

જો કોઈ વ્યક્તિ ને હંમેશા કન્ફયુશન થતુ રહે છે. મગજ પર ટેન્શન રહેતુ હોય છે. તો  ગોરસ આંબલી નુ સેવન કરવુ જોઈએ જેથી  દિમાગ ઠંડુ રહેશે અને શાંત પણ રહેશે. ગોરસ આમલી એક એવું ફળ છે જેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની અધિકતા હોય છે. તેથી તેના સેવનથી હાડકા અને દાંત મજબૂત થાય છે સાથે માંસપેશીઓ પણ સ્વસ્થ રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top