ભલે ઘેટા, ઊંટ, ભેંસ અને બકરા ના દૂધ પણ લોકપ્રિય દૂધના પ્રકારો છે. પરંતુ અત્યાર સુધી ગાયનું દૂધ અકલ્પનીય પોષણ મૂલ્યો અને અન્ય ગુણધર્મો માટે માનવોમાં સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગાયનુ દૂધ કેલ્શિયમ, ફોસ્ફરસ, અને તમારા હાડકાંની તંદુરસ્તી માટે અન્ય ખનીજથી સમૃદ્ધ છે. એટલા માટે દુનિયામાં મોટાભાગની સરકારો બાળકો અને પુખ્ત વયના લોકો માટે દૂધ વપરાશ માટે દરરોજ ભલામણ કરે છે.
સારી ગુણવત્તાવાળા ગાય ના દૂધ માં ઓમેગા -3 ફેટી એસિડ્સમાં સમૃદ્ધ છે, જે તમારા લોહી-કોલેસ્ટેરોલનું સ્તર નિયમન અને લાંબા સમય સુધી તમારા હૃદયને તંદુરસ્ત રાખવામાં સક્ષમ છે. જે લોકો ગાયનું દૂધ પીવે છે તેઓ દિવસ દરમિયાન તેમની કેલરી-ઇનટેક ઘટાડી શકે છે કારણ કે આ પ્રવાહી પ્રોટીનથી સમૃદ્ધ છે, જે તમને લાંબા સમય માટે સંપૂર્ણ રાખવામાં આવે છે.
તમારા શરીરને સ્નાયુઓના વિકાસ માટે અને તેમના નિભાવ માટે ઘણા પ્રોટીનની જરૂર છે. અને તે હેતુ માટે ગાય નું દૂધ પ્રોટીનનું શ્રેષ્ઠ સ્ત્રોત છે. ગાયનું દૂધ વિવિધ પોષક તત્ત્વો અને ખનિજોથી સમૃદ્ધ છે, જે તમારા પાચનને સુધારવા અને તમારા લોહી-ઇન્સ્યુલિન સ્તરનું નિયમન કરે છે.
હાડકાંની મજબૂતી જાળવવા માટે વિટામિન ડી માત્ર મહત્વની નથી. તે સેરોટોનિનના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે, તમારા મૂડને અસર કરે છે, અને તમારી ભૂખ વધારવા માટે જવાબદાર છે. અને ગાય દૂધ આ વિટામિન સાથે ફોર્ટિફાઇડ છે, તે દરરોજ પીવું તંદુરસ્ત રહેવાની એક ઉત્તમ રીત છે.
ગાય ના દૂધ માં રેડિયો સક્રિય પ્રદૂષણ થી સંરક્ષણ કરવાની શક્તિ હોય છે કેમ કે આજે ટેકનોલોજી ના યુગ માં ખૂબ ફેલાઈ રહ્યુ છે. ગાય ના દૂધ નું સેવાન કરવાથી બ્લડપ્રેશર ની બીમારી પણ દૂર થઈ શકે છે. ગાય ના દૂધમાં કારોટેન નામ નું પ્રદાર્થ હોય છે જે આંખો ની રોશની વધારે છે. આંખોમાં રોજ બે ટીપાં ગાયના દૂધના નાખવાથી ગ્લુકોમા એક મહિના માં ઠીક થઈ જાય છે.
ગાય ના દૂધ નું નિયમિત સેવન કરવાથી મેમરી પાવર વધે છે. ગાય નું દૂધ પીવાથી ટીબી મતલબ ક્ષય નો રોગ હંમેશા માટે દુર થઇ જાય છે. પેટ ના કેન્સર માટે ગાય નું દૂધ સૌથી સારું રસાયણ છે. કેમ કે કેન્સર ના કોષ ગાય ના દૂધ થી નિષ્ક્રિય થઈ જાય છે.
ગાય ના દૂધ થી બધા પ્રકારની હૃદય ની સમસ્યા દૂર થાય છે અને કોલેસ્ટ્રોલ નું લેવલ નિયંત્રણ માં રહે છે. જો તમારું વજન ખૂબ વધારે વધી રહ્યું છે તો, ગાય ના દૂધ નું સેવન કરો કેમ કે ગાય ના દૂધ માં લો ફેટ હોય છે જે ચરબી ને ઓછી કરે છે. ગાય નું દૂધ પીવાથી શરીર ઉર્જાવાન થાય છે અને સહનશક્તિ વધારે છે.
દૂધ પોતાના માં એક સંપૂર્ણ આહાર છે. એટલે કે ફક્ત ગાય ના દુધ નું જ સેવન કરવામાં આવે તો લાંબા સમય સુધી તમે તેના આધારે શરીર ના પોષક તત્વો ની કમી ને દૂર કરી શકો છો. ગાય ના દૂધ માં 9 જરુરી અમીનો એસિડ મળી આવે છે.
ભેંસ નું દૂધ પીવાથી પણ શરીર તાકાતવર બને છે. પણ ગાય નું દૂધ પીવાથી શરીર ને આંતરિક બળ અને ઉર્જા મળે છે. તે શરીર ની કોશિકા ઓ ને અંદર થી પોષણ આપે છે. ગાય નું દૂધ પીવાથી હર્દય સ્વસ્થ રહે છે. કારણકે ગાય ના દૂધ માંથી મળી રહેતું ફૉસ્ફરસ, પોટેશિયમ, અને ગુડ ફેટ તમારા શરીર ની હર્દય ને પંપ કરવાની ક્ષમતા અને લોહી ના ફ્લો ને જાળવી રાખે છે. સાથે જ શરીર માં બેડ કોલેસ્ટ્રોલ ની માત્રા ને ઓછી કરે છે.
જેટલા પ્રકાર નું દૂધ મનુષ્ય ઉપયોગ માં લે છે, તેમાં ગાય નું દૂધ બ્રેન માટે ઉપયોગી નિવડ્યું છે. કારણકે ગાય ના દૂધ માં રહેલ કેલ્સિયમ, વિટામિન-b, ફૉસ્ફરસ, નિયાસીન,અને પ્રોટીન જેવા તત્વો દિમાગ ને શાંત રાખવાનું કામ કરે છે. તેના થી તણાવ ઓછો થાય છે. દિમાગ માં હેપી હોર્મોન્સ નું પ્રમાણ વધે છે. અને આ બંને ની સીધી અસર તમારી ઊંઘ ની સાઇકલ પર પડે છે. એટલે કે તમે સારી રીતે ઊંઘી શકો છો અને તમને સમય પર ઊંઘ આવે છે.
A-2 પ્રોટીન વાળું દૂધ ખોરાકમાં વધારે લેવામાં આવે તો શરીરમાં ડાયાબિટીસ, હાઈબ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બિમારીઓ થવાની સંભાવના ઘટી જાય છે. ભારતીય વંશની ગાયો જેમ કે ગીરગાય, કાંકરેજ ગાય, રાજસ્થાનની રાઠી ગાય વગેરે ગાયોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે. એટલે ફલઘૃત જેવી ઔષધિઓ માટે ભારતીયવંશની ગાયોનાં ઘી-દૂધ હોવાં જરૂરી છે.
તેજસ્વી બાળક: અશ્વિનીકુમારો કહે છે કે ફલઘૃતને શાસ્ત્રીય વિધિથી લેવામાં આવે તો માયકાંગલા, તેજવિહીન, કદરૂપા અને ડરપોક સંતાનો નહીં પરંતુ શૌર્ય, સહાસ, પરાક્રમીવૃત્તિવાળા, વીર, વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાવાળાં જેના દર્શન માત્રથી હૈયું પ્રફુલ્લિત થઈ જાય એવાં રૂપકડાં રમકડાં જેવાં (પ્રિયદર્શનમ્) બાળકો જન્મે છે.
કોઠે રતવા(કોઠની ગરમી-લોહીવા) જેવી સમસ્યાઓને કારણે ઘણી બહેનોને કસુવાવડ થઈ જતી હોય છે. કલઘૃતમાંના કમળા પોપણા, દ્રાક્ષ, જેઠીમધ, રતાંજલિ, સુખડ, દૂધ, સાકર, આમળા, જેવી શીતળ ઔષધિઓથી કોઠાની ગરમીને શાંત કરીને ગર્ભનું રક્ષણ કરે છે.