Breaking News

માત્ર 15 મિનિટમાં મોં અને ગાળાના ચાંદા-ફોલ્લી અને ગળાના દુખાવાથી વગર ખર્ચે રાહત મેળવવવાનો બેસ્ટ ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગળામાં ફોલ્લા પડવાની ફરિયાદના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ફંગલ કે વાયરલ ઈન્ફેક્શન, પેટમાંથી એસિડ રિફ્લક્સ, પેટમાં ગરબડ વગેરે, ગળામાં ફોલ્લા પડવાથી ખાવા-પીવામાં, બોલવામાં ઘણી તકલીફ થાય છે. ગળાના પાછળના ભાગમાં ફોલ્લા થાય છે. તેમનું કદ નાનું હોય છે. તેઓ દેખાવમાં લાલ હોય છે અને તેમના પર સફેદ ડાઘ પણ હોય છે. પરંતુ ગળામાં છાલાની ફરિયાદ લાંબા સમય સુધી રહેતી હોય તો તમારે બેદરકારી ન દાખવવી જોઈએ લક્ષણો દેખાવા પર તમે આ ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો, તો ચાલો જાણીએ ગળામાં છાલા પડવાની ફરિયાદ હોય તો કયા ઘરેલૂ ઉપાય અપનાવવા જોઈએ.

ગળામાં ફોલ્લાની સમસ્યાથી પરેશાન છો તો અપનાવો આ 6 ઘરેલુ ઉપાય:

કેટલાક માણસો પાસે બેઠા હોય ત્યારે તેમના મોઢામાંથી એવી ખરાબ વાસ આવતી હોય છે કે આપણને તેનાથી દૂર બેસવાનું મન થાય છે. આ ફરિયાદવાળાઓ માટે ૫ શેર પાણીમાં ૫ શે૨ આંબળાં નાંખી તે પાણીને બરાબર ઉકાળી તેના કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ બંધ થાય છે. ફૂલાવેલો ટંકણખાર લાવી તેને મધ સાથે મેળવી તે દ્રાવણ મોંમાં ચોપડવાથી મોઢાનાં ચાંદાં રુઝાઇ જાય છે.

કેટલાંક સ્ત્રી-પુરુષોને ગળા ઉપર ને અંદરના ભાગમાં ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય છે, આને ‘કંઠમાળ’ કહે છે. આ કંઠમાળનો રોગ એવો છે કે જો તેનો તાત્કાલિક ઉપચાર કરવામાં ન આવે તો ધીમે ધીમે રોગ ઘણો વધી જાય છે. તે માટે નીચે કેટલાક આયુર્વેદિક ઉપચારો આપ્યા છે. જેને કંઠમાળ થઇ હોય તેને ગરમાળાનો ગોળ અને પીલુડીના રસનું સેવન કરાવવું.

કાંચનારનું મૂળ લાવી તેને પાણીમાં વાટી રાતવાસો રાખી તેને કંઠમાળ ૫૨ ચોપડવાથી કંઠમાળ મટે છે. રસોળીવાળાને પણ આ ઉપચાર ફાયદો કરે છે. ચાના કપમાં ઠંડું પાણી ભરીને તેમાં એક નાની ચમચી ભરી સાકરનો ભૂકો અને એટલું જ હળદરનું ચૂર્ણ નાંખવું. પછી તેને હલાવવાથી પીળા રંગનું શરબત બની જશે. જેમને ગળાની કોઇપણ જાતની તકલીફ હોય તેમણે દર્દ મટવા સુધી સવાર, બપોર ને સાંજ આ શરબત પા-પા ગ્લાસ પીવું. એનાથી તકલીફ દૂર થઇ જશે.

તુલસીના પાનમાં ઔષધીય ગુણો ભરપૂર માત્રામાં હોય છે, તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી જો તમે 4-5 તુલસીના પાન ચાવીને ખાઓ છો જો ગળામાં છાલાની સમસ્યા હોય તો તે ફોલ્લાની સમસ્યામાં રાહત આપે છે.

મધના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે મધ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, તેથી જો તમે મધના પાણીથી કોગળા કરો છો, તો તે ફોલ્લાની સમસ્યાને દૂર કરે છે. ગળામાં છાલાની ફરિયાદ હોય ત્યારે આદુ અને મધનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આદુ અને મધ ગળાના ચેપથી છુટકારો અપાવે છે, તેમજ અલ્સરને દૂર કરવામાં મદદ કરે છે.

ગળામાં ફોલ્લાની સમસ્યા હોય ત્યારે ગ્રીન ટીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે સંક્રમણ ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી ફોલ્લાની ફરિયાદ પણ દૂર થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!