કોઈપણ રીતે શરીર નું કોઈપણ અંગ દાઝી જાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપાય માત્ર 2 મિનિટમાં કાળા ડાઘ પડ્યા વગર મળી જશે રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દાઝવાથી ચામડીને કેટલું નુકશાન થયું છે તેના ઉપર ઇલાજનો આધાર હોય છે. જો ફક્ત ઉપરની ચામડી ઉપર થોડું જ દાઝેલ છે તો બે ત્રણ દિવસ બળતરા થઈને સારું થઇ જાય છે. થોડું વધુ દાઝેલ હોય તો ફરફોલા થઇ જાય છે જે દુખાવો કરે છે. સારું થવામાં એક બે અઢવાડિયા થઇ શકે છે દાઝવાનું નિશાન પણ થઇ શકે છે.

દાઝવા ઉપર ઘરેલુ ઉપચાર કરવાથી બળતરા, દુખાવો, ફરફોલા બનવા અને નિશાન બનવા થી બચી શકાય છે. જો તમારા ઘરમાં કોઈ માણસ દાઝી જાય ભલે દૂધથી દાઝી ગયું હોય કે રસોઈ ગેસથી, તો સૌથી પહેલા તેમના માટે આ વાતનું ધ્યાન રાખવાનું છે, કે તેને ફરફોલા ન પડે. કેમ કે ફરફોલા પડી ગયા પછી કોમ્પલીકેશન ખૂબ જ વધી જાય છે.

ત્વચા દાઝી જાય તો જે જગ્યાએ દાઝયા હોવ ત્યાં સૌથી પહેલા ઠંડુ પાણી રેડો. જલન ઓછી થાય ત્યાં સુધી એટલે કે લગભગ ૨૦ મિનિટ સુધી ઠંડા પાણીના સંપર્કમાં રહો. ત્યારબાદ કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરો. એક સ્વચ્છ કપડાંને ઠંડા પાણીમાં બોળીને દાઝી ગયા હોવ ત્યાં ૫થી ૧૫ મિનિટ દાબી રાખવાથી પણ રાહત મળે છે. થોડી થોડી વારે ભીનું કપડુ એ જગ્યાએ મૂકી રાખવાથી રાહત મળશે.પરંતુ કોઈ પણ સંજોગોમાં બરફ લગાડશો નહિ.

દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે. ફોલ્લા અને જખમ ઝડપથી રુઝાઈ જાય છે. ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ મળે છે. દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટેકું ઘસવાથી ફોલ્લો થશે નહિ. વડનાં પાનને ગાયના ઘીમાં વાટીને બળેલા ભાગ ઉપર તેનો લેપ કરવાથી તરત બળતરા મટે છે.

દાઝયા ઉપર ફોલ્લા પડયા પહેલાં કાચું બટાટું લઈ પથ્થર પર લસોટી તેનો લેપ લગાડી દેવો. આનાથી દાઝયાની વેદના અને બળતરા સમી જાય છે અને ફોલ્લા થતા નથીને ડાઘા પડતા નથી. દિવસમાં ત્રણ ચાર વાર આ લેપ કરવો. વડનાં પાનને ગાયના ઘીમાં વાટીને બળેલા ભાગ ઉપર તેનો લેપ કરવાથી તરત બળતરા મટે છે. દાઝેલા ઘા પર તાંદળજાનો રસ ચોપડવાથી આરામ થાય છે.

દાઝી ગયા હોય ત્યારે એલોવેરા જેલ ખૂબ ઠંડક આપે છે. એલોવેરામાં એન્ટિ- ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે ત્વચાને ઠંડક આપે છે. સાથે સાથે તે ઘામાં રક્ત સંચાર પણ વધારે છે. એલોવેરાના પાનમાંથી પણ જેલ કાઢીને દાઝેલા ભાગમાં લગાવવાથી રાહત મળશે. ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝયા ઉપર સારું કામ કરે છે. દાઝયા ઉપર કેરોસીન લગાડવાથી ઘણી શાંતિ થાય છે તથા જલદી રૂઝ આવે છે.

જો સાવ સામાન્ય દાઝી ગયા હોવ તો મધ ઉત્તમ ઉપચાર છે. એલોવેરાની જેમ મધમાં પણ એન્ટિ-ઈંફ્લેમેટરી ગુણ રહેલો છે. સાથે સાથે તે પ્રાકૃતિક રીતે જ એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ગુણ હોય છે. એટલે દાઝયા ઉપર મધ લગાવવાથી પણ બળતરા ઓછી થશે. દાઝયાના ફોલ્લા ઉપર પ્રથમ છાશ રેડવી અથવા ઠંડું પાણી રેડવું, કુવારપાઠુંની છાલ કાઢીને અંદરનો ઘાટો રસ દાઝયા ઉપર લગાડતા રહેવું. આનાથી બળતરા ઓછી થાય છે અને જલદી રૂઝ આવે છે.

દાઝેલા ઘા પર ખૂબ પાકા કેળાને બરાબર મસળી, ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ શાંતિ અને આરામ થાય છે. દાઝેલા ઘા પર મેદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે. પિતળની થાળીમાં સરસોનું તેલ અને પાણીને લીંબડાના પાંદડા સાથે મિલાવીને દાઝેલા ભાગ ઉપર લગાવવાથી ખૂબ જ જલ્દી આરામ મળે છે. જખમ, ઘા, ગૂમડાં, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તેમાં ચોખાનો બારીક લોટ પાઉડરની જેમ ચાંદા પર લગાડવાથી તરત જ આરામ થાય છે.

1 ચમચી દહીંને ચપટી ભર હળદર સાથે મિક્સ કરો. પછી તેને પ્રભાવિત સ્થાને લગાવી 30 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો. તેને દરરોજ 2 વખત લગાવો અને દાઝેલાનાં નિશાનથી મુક્તિ મળે છે. દિવસમાં અનેક વખત નિશાન પર નાળિયેરનું તેલ લગાવો. તેનાથી પણ ડાઘા મટી જાય છે. માત્ર એક અઠવાડિયામાં આપને પોતાની જૂની ત્વચા પરત મળી જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top