કેન્સર, લોહીની કમી, સંધિવા, હૃદયરોગ, બ્લડપ્રેશર જડમૂળથી ગાયબ કરી દેશે આ જ્યૂસ, મળશે 100% પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરને તંદુરસ્ત અને સારું રાખવા માટે બધા પ્રકારના ફાળો ખાવા જોઈએ. દરેક ફળની પોતાની આગવી વીશેષતા હોય છે. ઋતુ પ્રમાણે અલગ અલગ ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી કરીને આપણને ફળના ગુણકારી લાભ મેળવી શકીયે. દરેક પ્રકારના ફળોના ફાયદા અલગ અલગ હોય છે.

દાડમના રસમાં વિટામિન A , વિટામિન C , વિટામિન E અને ફોલિક એસિડ, આયર્ન, પોટેશિયમ, ઝિંક પણ હોય છે. આમ, દાડમના રસ વિટામિન્સનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. 100 ગ્રામ દાડમ ખાવાથી આપણા શરીરને લગભગ 65 કિલો કેલરી ઉર્જા મળે છે. ઘણી બધી આયુર્વેદીક દવા બનાવવા માટે પણ દાડમનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે ગુણકારી એવા દાડમ વિશેની જાણકારી મેળવીશું.

દાડમ ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદાઓ થાય છે. આનાથી ખીલ, વધતી ઉમરનો પ્રભાવ, ત્વચામાં પીએચ બેલેન્સ, મજબુત કોશિકાઓ, માથાનો ખોડો, અધિક માસિક સ્ત્રાવ, વારંવાર પેશાબ આવવાની સમસ્યા અને સૂર્યના કિરણોનો પ્રભાવ વગેરે જેવી સમસ્યાને થતી અટકે છે. દાડમના દાણા ખાવા સિવાય તેની છાલ ખાવાથી પણ સ્વાસ્થ્યને ખુબ જ ફાયદાઓ થાય છે. દાડમની છાલ ટોન્સિલ, હૃદય રોગ, મોઢાની કરચલીઓ, ખાસી અને નસકોરી ફૂટવી વગેરે દુર કરે છે.

સૂકાયેલ દાડમની છાલનું ચૂરણ બનાવીને દિવસમાં બે થી ત્રણ વાર એકાદ ચમચી જેટલું ખાવાથી વારંવાર થતી પેશાબ જવાની સમસ્યા દુર થાય છે. દાડમ ખાવાથી ત્વચાનું કેન્સર, સ્તન કેન્સર, પ્રોટેસ્ટ ગ્રંથીનું કેન્સર અને પેટમાં અલ્સરની સંભાવના વગેરે જેવા રોગો ઘટાડવાની ક્ષમતા ઘરાવે છે. આ એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન્સ થી ભરપુર હોય છે, જે આપણા શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે

હાઇ બ્લડ પ્રેશરથી હૃદય રોગનું જોખમ ઘણું વધી શકે છે. દાડમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ફાઇટોથેરેપી રિસર્ચના નિષ્કર્ષો અનુસાર બે અઠવાડિયા માટે 150 મિલીલીટર દાડમના રસને પીવાથી બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. આ રસ વિટામિન સીથી પણ ભરપૂર હોય છે. તેનાથી શરીરને કેટલાય લાભ મળે છે. વિટામિન સી ત્વચાના સ્વાસ્થ્યને વધારે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

10 ગ્રામ દાડમના પાન લઈ તેને અડધો લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે એટલે ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરવામાં મોંના ચાંદાઓમાં તરત રાહત મળે છે. દાડમના 100 ગ્રામ પાન લઈ તેને 500 ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે ગેસ બંધ કરી તેમાં 75 ગ્રામ ઘી અને 75 ગ્રામ ખાંડ મિક્સ કરો. આ મિશ્રણ સવાર-સાંજ પીવાથી વાઈની સમસ્યા દૂર થાય છે.

વારંવાર ઉધરસ થતી હોય તો, દાડમ ની છાલનો ટુકડો મોમાં રાખી ને એ છાલનો રસ ચૂસવાથી ઉધરસ માટે છે. દાડમની છાલ પાચન શક્તિ માં વધારો કરે છે. જૂનો મરડો રહેતો હોય એને, દાડમની છાલ ઉકાળીને લવિંગ સાથે લેવાથી મરડામાં રાહત મળે છે. આ ઉપાય બીજા ઉપાયો કરતા પણ વધારે ગુણકારી છે.

ટાઇફોઇડથી પિડીત વ્યક્તિએ દાડમના પાનનો ઉકાળો બનાવી તેમાં સંચળ મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. હથેળી અને પગના તળિયામાં બળતરાં થતી હોય તો દાડમના પાનને પીસીને લગાવવાથી રાહત થશે. તાવમાં વારંવાર તરસ લાગે તો દાડમના દાણાનો રસ પીવાથી લાભ થશે.

દાડમ લોહીમાં આયરન ની કમી ને દુર કરે છે અને એનિમિયા જેવી બીમારીઓથી છુટકારો આપે છે. હરસ-મસામાં માં જો લોહી પડતું હોય તો, દાડમની છાલનું ચૂર્ણ નાગકેસર સાથે મિક્સ કરીને પીવાથી હરસ-મસામાં પડતું લોહી બંધ થાય છે. એ ઉપરાંત હરસ-મસામાં દાડમનો રસ પીવાથી પણ ઘણોખરો ફાયદો થાય છે.

આંખ દુખતી હોય તો, દાડમની છાલ અને પાંદડા વાટી, આંખો બંધ કરીને એ વાટેલા પાંદડા અને છાલ મુકવાથી દુખતી આંખોમાં રાહત મળે છે. સગર્ભા સ્ત્રીનું શરીર અને હૃદય કમજોર રહેતું હોય તો, ખાટામીઠા દાડમના દાણાનું સેવન કરવામાં આવે તો કમજોરી અને નબળાઈ દૂર થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીને વધુ પડતી ઉલટી થતી હોય છે. તો, દાડમનો રસ પીવડાવામાં આવે તો ઉલટીમાં રાહત મળે છે.

અપચાની સમસ્યામાં દાડમના ચાર ચમચી રસમાં થોડું શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને લેવાથી રાહત મળશે. પેટની બળતરા દાડમનો રસ પીવાથી શાંત થઈ જાય છે. દાડમની છાલને પાણીમાં ઉકાળી પીવાથી પેટનના કીડા નાશ પામે છે. દાડમના દાણા ચાવીને ખાવાથી કબજિયાતથી મુક્તિ મળશે. ભૂખ ઓછી લાગતી હોય તો દાડમના દાણા ચુસીને ખાવાથી ભૂખ લાગે છે.

દાડમનો રસ એન્ટીઓક્સીડેન્ટસ થી ભરપૂર હોય છે. તે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે. દાડમના નિયમિત સેવનથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી નિયમિત રીતે દાડમ ખાવાથી સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સ અને ફેફસાનું કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની સંભાવના ઘટી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top