Breaking News

આંખનું ઝામર, બળતરા, પાણી પડવું, લાલ આંખ જેવા દરેક રોગોનો કાયમી સફાયો કરતો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આજે અમે તમને આંખ માટેના અનેક ઘરેલુ ઉપચાર વિશે. તો ચાલો હવે આપણે જાણીએ આ ઉપચાર વિશે વિગતવાર. ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દ્રષ્ટિ વધે છે. ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે અને બળતરા થાય તો આંખોમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.

આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે. આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્ત પહેલા ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફુલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાખપ વગેરે દર્દો મટે છે.

રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે. આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે. ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખોની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.

હિંગને મધમાં મેળવી, રૂ ની વાટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્ર સ્ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે. ધોળા મરીને દહીમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે. કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાખવાથી રતાંધળાપણું મટે છે. આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.

સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે. આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે. કોથમીરનો રસ કાઢી, ચોખા કપડાથી ગાળી, તેનાં બબ્બે ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલુ, છારી વગેરે મટે છે.

મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે. બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધળાપણું મટે છે. પાકા ટામેટાનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે. સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધળાપણું મટે છે.

મધ અને સરગવાના પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે. નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે. ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુખતી આંખો સારી થાય છે.

શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્માના નંબર ઘટે છે. અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.

સાકર પાણીમાં ઘસી તેને સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફૂલુ મટે છે. આંખોનું તેજ વધે છે આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાવવાથી રાહત મળે છે. સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બંનેનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડુ થાય ત્યારે કપડાથી ગાળી, બાટલીમાં ભરી લેવું, એ પાણીના  ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.

સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે. હળદર, ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ તેને વાટી, પોટલી કરી ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.  તંદુરસ્ત ગાયના તાજા છાણને કપડાથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે.

તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે. જાયફળ પાણીમાં ઘસીને પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તે મટે છે અને આંખનું તેજ વધે છે. આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઉતરે છે. દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!