યૌનશક્તિ વધારવા, ચામડી, પાચન જેવા 20 થી વધુ રોગો થી છૂટકારો આપે છે રસોડા ની આ નાનકડી વસ્તુ, અહી ક્લિક કરી જાણો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અજમો એ એક ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે. તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે. અજમાનો છોડ અંગ્રેજીમાં બીશપ્સ વીડ તરીકે ઓળખાય છે. અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે. તે સિવાય કેરમ સીડસ્ , અજોવાન કારાવે કે થાયમોલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે.

અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ જમ્યા પછી અજમાની ફાંકી લેવાથી પાચનતંત્ર સારુ રહે છે.અપ ચો દૂર કરવામાં મદદરૂપ છે. અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને તેની ફાંકી લેવાથી ગેસ નહી બને. અજમો રૂરિકારક અને પાચક હોય છે. જે ભૂખ અને પાચન શક્તિને વધારેને પેટ સંબંધિત અનેક રોગો ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદ કરે છે.

અડધા કપ પાણીમાં અડધો કપ અજમાનો રસ મિક્સ કરી સવાર સાંજ જમ્યા પછી પીવાથી અસ્થમા ઠીક રહે છે. ખાંસીમાં રાહત માટે અજમાના રસમાં એક ચપટી સંચળ મિક્સ કરી ગરમ પાણી જોડે લેવું .જો દારૂ વધુ પીવાથી કોઈ વ્યક્તિને ઉલટીઓ થઈ રહી છે. તો અજમો ખવડવો. આનાથી તેને આરામ મળશે અને ભૂખ પણ સારી લાગશે.

2 ચમચી અજમાને વાટીને 4 ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.

અજમાને થોડા દૂધ અને પાણીમાં ભેળવીને પીસી લો,આ પેસ્ટને તમારા ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો અને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં 2-3 વખત આ પેસ્ટનો ઉપયોગ કરો. તમામ પ્રકારની સ્ક્રિન્સ પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો મળશે.

ડાયાબિટીસની તકલીફ હોય તો નિયમિત અજમાનું પાણી પીઓ, તે ડાયાબિટીસને જડમૂળથી ઉખાડી ફેંકશે. હૃદયને લગતી બિમારીઓથી આ અજમાનું પાણી રાહત આપે છે.કાનમાં દુખાવો થતા અજમાના તેલના એક બે ટીપા કાનમાં નાખવાથી રાહત મળે છે. મસૂઢા માટે અજમો સેકીને તેને વાટીને તેનુ મંજબ બનાવી લો. આ મંજનથી મસૂડા સંબધિત રોગ ઠીક થાય છે.

કેટલાક બાળકોને આદત હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે પથારીમાં ટોયલેટ કરી નાખે છે. આવામા બાળકોને રાત્રે લગભગ અડધો ગ્રામ અજમો ખવડાવો. અડધી ચમચી અજમો અને અડધી ચમચી સાકર નાગરવેલના પાનમાં નાખીને તેને ચાવવાથી ખોટી ખાંસી મટે છે. દિવસમાં સવાર-સાંજ બે વખત ઉપયોગ કરવો.નાનાં બાળકોને લીલા-પીળા ઝાડા થતાં હોય અને ઊલટી થતી હોય તો અજમાનું એક એક ચમચી પાણી દિવસમાં ત્રણથી ચાર વખત આપવું.

ધાધાર કે ખરજવા ઉપર અજમાને ચૂનાના નીતરેલા પાણીમાં લસોટી તેનો લેપ કરી પાટો બાંધવો. જૂનામાં જૂનું ખરજવું મટે છે. દિવસમાં બે વખત સવાર-સાંજ. અડધી ચમચી અજમો બેથી ત્રણ મૂળાના પાન સાથે ચાવીને ખાઈ જવાથી પથરી ગળી જાય છે.

અડધી ચમચી અજમાના ચૂર્ણ સાથે બે લવિંગ ચાવીને ખાઈ જવાથી સગર્ભાવસ્થાની ઊલટીઓ બંધ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન અજમો ખાવથી લોહી સાફ રહે છે અને આખા શરીરમાં બ્લડ સર્કુલેશન પણ સંતુલિત રહે છે.

લીમડાની કુંપળો આઠ, અડધી ચમચી અજમો, અડધી ચમચી સંચળ બરાબર વાટીને અડધા કપ પાણીમાં ઘોળીને રોજ દિવસમાં એક વાર પાણી પીવાથી ખેંચ આવતી હશે તો બંધ થઈ જશે.

સ્ત્રીઓને માસિક ધર્મમાં દુ:ખાવો થતો હોય ત્યારે ચાર ચમચી અજમો અને ૨ ચમચી સિંધવ (રૉક સૉલ્ટ) ખાંડીને તેને મિશ્ર કરી અડધી અડધી ચમચી ત્રણ વાર રોજ ફાકી જવું. દુઃખાવો બંધ થાય તો તેને લેવાનું બંધ કરી દેવું. જો માસિક ધર્મ સંબંધિત ગડબડ હોય તો ૨-૨ ચમચી અજમો અને બે કપ પાણીમાં ગોળ નાખી ઉકાળી લો. પાણી અડધું ઉકળી જાય પછી તેને ગાળીને માસિક ધર્મ આવવાના અંદાજિત એક સપ્તાહ પહેલાં સવાર-સાંજ ગરમ પીવાથી માસિક ધર્મ સંબંધિત ગરબડો દૂર થઈ જશે.

યૌનશક્તિ વધારવા માટે અજમો ખૂબ જ ઉત્તમ છે. 200 ગ્રામ પીસેલા અજમાને સફેદ ડુંગળીના રસમાં બોળીને સૂકવી લો. પલળવા અને સૂકવવાની પ્રક્રિયા 2 વખત કરવી. જે પછી સૂકાયેલા અજમાને પીસીને પાવડર બનાવી લો. તેમાં 2 ચમચી દેશી ઘી અને ખાંડ મિક્સ કરીને સવારે હુંફાળા પાણી સાથે પી લેવુ. 21 દિવસ સુધી આ ઉપાય કરવાથી સેક્સશુયલ પાવર વધે છે.

ભોજનમાં અજમાનો ઉપયોગ પુષ્કળ કરવામાં આવે છે. તેમા આરોગ્યના અનોખા ગુણ છે. અનેક લોકો આનુ ચૂરણ બનાવીને રાખે છે. જે જમ્યા પછી લેવમાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top