વગર ખર્ચે માત્ર 1 દિવસમાં શરદી-ઉધરસ, તાવ, કફનો 100% અસરકારક ઉપચાર છે આ, અત્યારે જ અજમાવી મેળવો સચોટ પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે જેથી કફમાં વાઇરસના જીવાણુઓ બળી જાય છે. જેના પરિણામે ઉનાળાની આ ઋતુમાં શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. જેના પરિણામે આપણે જાતજાતની દવાઓ લેતા હોય છીએ. પરંતુ આ દવાઓ આપણને આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે.

જો આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સહારો લેવામાં આવે તો શરદી ઉધરસના આવા રોગથી બચી શકાય છે અને કફને બહાર કાઢી શકાય છે. આ બીમારીનો ઈલાજ આપણા રસોડામાં જ હોય છે. આપણા રસોડામાં આવી ઘણી બધી ચીજો હોય છે જેના લીધે આવા વાયરલ રોગોનો ઈલાજ કરી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ શરદી, ઉધરસ, તાવ, કફને દૂર કરવા માટેના અલગ અલગ નુસકાઓ વિશે.

છાતીમાં કફ સુકાઇને ચોંટી જાય, વારંવાર ખાસી આવે ત્યારે સૂકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોંપડી મીઠાની પોટલી તપાવી શેક કરવો. ડુંગળીના કટકા કરી ઉકાળો કરીને પીવાથી કફ દૂર થાય છે. પાકી સોપારી ખાવાથી કફ મટે છે. ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ દૂર કરે છે. 2 થી 4 સુકા અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમણ ઘટે છે. રાત્રે સૂતી વખતે 30-40 ગ્રામ ચણા ખાઇ ઉપર 100-125 ગ્રામ દૂધ પીવાથી શ્ર્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે.

અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સૂંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું તાજું બનાવેલું ચૂર્ણ ઘસવાથી શરદી, છીંકોનો નાશ થાય છે. 200 ગ્રામ આદુ છોલી ચટણી બનાવી 200 ગ્રામ ઘીમાં શેકી, શેકાયને લાલ થાય ત્યાંરે એમાં 400 ગ્રામ ગોળ નાખી, શીરા જેવુ બનાવવું. આ સવાર-સાંજ 10-10 ગ્રામ જેટલો ખાવાથી કફ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઇ શકે છે.

થોડાં નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકે નિયમિત પીવાથી શરદી સારી થાય છે. સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક 10-10 ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં 400 ગ્રામ બી કાઢેલી કાળી દાક્ષ મેળવી ચટણી જેમ પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી 20 ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે.

સુંઠ અને તજ સાથે વરીયાળી ચૂર્ણ મિક્સ કરીને તેનું પાણી સાથે સેવન કરવાથી ગળું સાફ થાય છે, કફ દુર થાય છે જેના લીધે ખાંસીની સમસ્યા દૂર થાય છે. હળદરનું સેવન બકરીના દૂધ સાથે કરવાથી ખાંસી મટે છે. ગરમ પાણીમાં લીંબુને નીચોવીને તેમાં કાળા મરીનું ચૂર્ણ ભેળવીને એક કપ દૂધ સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી શરદી અને ખાંસી મટે છે.

એલચી, સિંધવ, ઘી અને મધ ભેગું કરી ચાટવાથી કફ રોગ મટે છે. રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીના પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા, ત્રણ કાળા મરી, ચણાના દાણા જેવડાં આઠથી દસ હળદરના ટુકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મૂકી બીડું વાળી ધીમે ધીમે ખૂબ ચાવીને ખાવાથી 10-15 દિવસમાં કફ મટે છે. ફેંફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો જેઠીમધ અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ 1-1 ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી થોડા દિવસોમાં કફ નીકળી જઇ ફેંફસા સ્વચ્છ થાય છે.

ગરમ જળપાનથી શરીરની ગ્રંથિઓના સ્ત્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સૂતી વખતે, સૂતા પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દર્દમાં આરામ થાય છે. 10-15 ગ્રામ આદુના રસમાં મધ મેળવીને પીવાથી કંઠમાં રહેલો કફ છૂટો પડે છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી કફ મટે છે.

ગળોનો પાંદડા અને વેલામાંથી રસ કાઢીને મધ સાથે સેવન કરવાથી કફનો નાશ થાય છે. ગોખરુ અને અશ્વગંધાનું ચૂર્ણ દરરોજ દરરોજ મધ સાથે લેવાથી અને ઉપરથી દૂધ પીવાથી ઉધરસ અને ગળાનો સોજો મટે છે. તુલસીનો રસ મધ સાથે લેવાથી કફ અને ઉધરસ મટે છે. ડમરાના છોડ બાળીને તૈયાર કરેલો ક્ષાર ચણાના દાણા જેટલો ઘી સાથે લેવાથી કફ નીકળી જાય છે અને ઉધરસ મટે છે.

ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરીએ થોડું પેઈન બામ, નિલગીરીનું તેલ કે કપુર નાખી માથાથી તપેલી ઢંકાઈ તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. કફ હોય તો પાણી થોડું ગરમ હોય તેવું પીવું. વાટેલી રાય એકાદ નાની ચમચી સવાર-સાંજ પાણીમાં લેવાથી કફ મટે છે. નાના બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાય તો રાય આપી શકાય, પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top