બ્લડપ્રેશર અને મસ્તિક ઉપરાંત દરેક રોગ નો ઘાતક છે રુદ્રાક્ષ, જાણો અને શેર કરો તેના સ્વાસ્થયલક્ષી અને ધાર્મિક ફાયદા..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રુદ્રાક્ષ જ એક માત્ર એવું ફળ છે કે જે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ પ્રદાન કરવામાં કાગરત ગણાય છે. શિવપુરાણ, પદ્મપુરાણ, રુદ્રાક્ષકલ્પ, રુદ્રાક્ષ મહાત્મ્ય વગેરે ગ્રંથોમાં રુદ્રાક્ષનો અપાર મહિમા જણાવાયો છે.

રુદ્રાક્ષ એમ તો કોઈ પણ હોય, તે લાભકારક જ હોય છે, પરંતુ મુખ મુજબ તેનું મહત્વ જુદુ-જુદુ જણાવાયું છે. દરેક રુદ્રાક્ષની ઉપર ધારીઓ બનેલી રહે છે. આ ધારીઓને રુદ્રાક્ષનું મુખ કહેવામાં આવે છે. રુદ્રાક્ષ ભગવાન શંકરની પ્રિય વસ્તુ ગણવામાં આવે છે. આવો જાણીએ, કયા ફાયદા માટે કેટલા મુખ વાળા રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઇએ.

રુદ્રાક્ષની જે માળાથી આપ જાપ કરો છો, તેને ધારણ નહીં કરવી જોઇએ. રુદ્રાક્ષને કોઇક શુભ મુહૂર્તમાં જ ધારણ કરવું જોઇએ. તેને વીંટીમાં નહીં જડાવવું જોઇએ. કહે છે કે જે સમગ્ર નિયમોની કાળજી રાખી શ્રદ્ધાપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરે છે, તેમનાં તમામ કષ્ટો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે જે ઘરોમાં રુદ્રાક્ષની પૂજા થાય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

રુદ્રાક્ષની  ઉત્પતિ :

આ કોઈ સમાન્ય વૃક્ષ નથી તેની ઉત્પત્તિ પાછળ એક પૌરાણિક કથા છે જે પુરાણોમાં પણ કહેવામાં આવી છે. તેનો સબંધ ભગવાન શિવ સાથે છે. રુદ્રાક્ષ શબ્દ રુદ્ર અને અક્ષ મળીને બનેલો શબ્દ છે. તેનો મતલબ થાય છે રુદ્ર ના આંસુ. ભગવાન શિવ નું જ બીજું નામ છે રુદ્ર અને તેમના આંસુ થી બન્યું છે રુદ્રાક્ષ.

પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે સતીનાં દેહ ત્યાગ પર શિવજીને બહુ દુઃખ થયું અને તેમનાં આંસુ અનેક સ્થાનો પર પડ્યા કે જેમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયું. તેથી રુદ્રાક્ષ ધારણ કરનારના તમામ કષ્ટો ભગવાન હરી લે છે.

રુદ્રાક્ષ આપણી દરેક પ્રકારની સમસ્યાને હરવાની ક્ષમતા ધરાવે છે. કહે છે કે રુદ્રાક્ષ જેટલું નાનું હોય, તે તેટલું જ વધુ પ્રભાવશાળી હોય છે. સફળતા, ધન-સમ્પત્તિ, માન-સન્માન અપાવવામાં સહાયક હોય છે રુદ્રાક્ષ, પરંતુ દરેક કામના માટે અલગ-અલગ રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે છે.

સ્વાસ્થય માટે ઉપયોગી રુદ્રાક્ષ :

આંખોમાં સનસનાટીભર્યા કિસ્સામાં, તમારી આંખોને રુદ્રાક્ષના પાણીથી ધોઈ લો. આ કરવાથી, આંખો ઠંડી થશે અને તમારી આંખોમાં બળતરા પૂર્ણ થશે. રુદ્રાક્ષ ધરાવતા વ્યક્તિઓની નસો હંમેશાં યોગ્ય રીતે કાર્ય કરે છે અને નસોમાં કોઈ અગવડતા નથી. ઉપરાંત, વધતી ઉંમર સાથે, નસો નબળી પડતી નથી. બ્લડ પ્રેશર ની પરેશાની વાળા લોકો પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. પંચ મુખી રુદ્રાક્ષ પહેરવાથી રક્તચાપ નીચે આવે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

રુદ્રાક્ષથી યાદશક્તિ વધે છે. રુદ્રાક્ષ તમારા તન અને મન બન્ને માટે ફાયદાકારક છે. રુદ્રાક્ષ તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણશક્તિને સારી બનાવવા માટે ફાયદાકારક છે. એ સિવાય તણાવ અને ચિંતા ની સમસ્યાથી પરેશાન લોકોએ પણ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. તેના લીધે માનસિક તણાવ ઓછો થાય છે અને શરીરમાં ઉર્જા ની વૃદ્ધિ થાય છે. ડાયાબીટીસ અને કીડની માટે રુદ્રાક્ષ ફાયદાકારક છે. નિયમિતરૂપથી રુદ્રાક્ષ ધારણ કરવાથી ડાયાબિટિસનું સ્તર સંતુલિત રહે છે અને તે કિડની માટે પણ ફાયદાકારક છે.

આ સિવાય રુદ્રાક્ષ પહેરવાથી તણાવ, ડિપ્રેશન અને માથાના દુખાવાની સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ રુદ્રાક્ષ ધારણ કરવાનાં મોટા ફાયદાઓ જણાવાયા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મનુષ્યનાં બીમાર થવાનું મોટુ કારણ ગ્રહોની પ્રતિકૂળતા હોય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોની પ્રતિકૂળતા દૂર થાય છે.

ભલે વ્યક્તિ શનિની સાડા સાતીથી પીડિત હોય કે શનિએ ચંદ્રમાને પીડિત કરી આપનાં જીવનમાં કષ્ટ ભરી દીધો હોય. રુદ્રાક્ષ દરેક પરિસ્થિતિમાં માટે ફાયદાકારક હોય છે. રુદ્રાક્ષ હૃદય માટે પણ લાભદાયક ગણવામાં આવે છે. તેમાં રહેલ કિમોફાર્માલોજીકલ વિશેષતાઓને કારણે તે હૃદય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

રુદ્રાક્ષ હૃદયરોગ, રક્તચાપ અને કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખવામાં પણ પ્રભાવી છે. હૃદય, ફેફસાં, કિડની અને મગજની બિમારીઓથી ગ્રસ્ત લોકોએ પણ રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. કાલસર્પનાં કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી અનુકૂળ ફળની પ્રાપ્તિ થાય છે.

જો આપ કોઇક શુભ દિવસે ગંગા સ્નાન કરવાની કામના ધરાવો છે અને ગંગા કિનારે નથી જઈ શકતા, ત્યારે રુદ્રાક્ષને માથે મૂકી ભગવાન શિવનું ધ્યાન કરો, તો ગંગા સ્નાનનો ફળ પ્રાપ્ત થઈ જાય છે.

સર્વથી ઉત્તમ રુદ્રાક્ષ:

સામાન્ય રીતે તો રુદ્રાક્ષ ૧ થી લઈને ૨૧ મુખી સુધીના હોય છે, પરંતુ પંચમુખી રુદ્રાક્ષ ને સૌથી વધારે ઉચ્ચ માનવામાં આવે છે. એટલા માટે પંચમુખી રુદ્રાક્ષ અને મહિલા, પુરુષ તથા બાળકો બધા જ માટે સારુ માનવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top