જીવન માં સ્વસ્થ અને સુરક્ષિત રહેવા માટે જરૂર કામ આ કામ,આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર બતાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રક્તદાન એક ઉમદા સેવા માનવામાં આવે છે. જો કે, મોટાભાગના લોકો રક્તદાન કરવાના વિચારથી ગભરાતા હોય છે કે લોહી તેમની નસોમાંથી બહાર આવે છે અથવા નળીઓમાં હવાના પરપોટા વિશે ચિંતા વ્યક્ત કરતા હોય છે.

પરંતુ, આવી શંકાઓ પર ધ્યાન ન આપતાં વૈજ્ઞાનિક કારણો અનુસાર સાબિત થયું છે કે રક્તદાન કરવું એ આરોગ્યપ્રદ હોઈ શકે છે અને દાતાના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે અને તેનાથી ઘણીવાર કોઈના શરીરના તપાસની પરીક્ષા પણ થઇ જાય છે. યુનાઇટેડ નેશન્સે સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે જાહેર કર્યો છે.

રક્તદાન તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અથવા તમને નબળા બનાવે છે તેની ચિંતા કરવાની જરૂર નથી. શરીરમાં લગભગ ૩૦ ટકા લોહી ઉત્પન્ન થાય છે જે અવયવો માટે બિન ઉપયોગી રહે છે. “દાન કર્યા પછી, લાલ રક્તકણો થોડા કલાકોમાં ફરી ઉત્પન્ન થાય છે, અને નવું રક્ત ઉત્પન્ન થાય છે.”

મહિલાઓ રક્તદાન માટે સંપૂર્ણ પાત્ર છે. માત્ર ત્યારે જ તેઓ કરી શકતા નથી જ્યારે તેમની પાસે હિમોગ્લોબિનની ગણતરી ઓછી હોય અથવા એનિમેક હોય. જ્યારે તમારા એક રક્તનું ટીપું બીજાને દાન કરો તો તેનાથી બીજી ત્રણ જિંદગી બચી શકે છે. સમય અંતરે રક્તનું દાન કરવાથી અનેક લાભ થઈ શકે છે. રક્ત તે બીજી વસ્તુની જેમ કોઈ ફેકટરીમાં બની શકતું નથી.

શરીરમાં જ્યારે આયર્નનું પ્રમાણ વધી જાય ત્યારે અનેક બીમારીઓ થઈ શકે છે. વધારે પડતું આયર્ન તે શરીરને નુકશાન કરે છે અને તે રક્ત સાથે ભળી શકતું નથી. તો રક્તદાન કરવાથી શરીરમાં આયર્નનું સ્તર જાળવવું અને વિવિધ આરોગ્ય બિમારીઓનું જોખમ ઘટાડે છે.

વજન ઘટાડવામાં મદદતરૂપ :

નિયમિત રક્તદાન કરવાથી દાતાઓનું વજન ઓછું થાય છે. આ તે લોકો માટે મદદરૂપ છે જે મેદસ્વી છે અને તેમને રક્તવાહિનીના રોગો અને આરોગ્યની અન્ય વિકારોનું જોખમ વધારે છે. જો કે, રક્તદાન ખૂબ વારંવાર થવું જોઈએ નહીં અને આરોગ્યની કોઈ સમસ્યાઓ ટાળવા માટે રક્તદાન કરતા પહેલા ડોકટરોની સલાહ અવશ્ય લ્યો.

સમય સાથે રક્તદાન જો કરવામાં આવે તો તેને લીધે નવા રક્તકણો બનશે. જે તમારા સ્વાસ્થ્યને જાળવા માટે ખૂબ ઉપયોગી બને છે. તો આજથી જો શક્ય હોય તો રક્તદાન કરો અને જીવન બચાવો. સાથે રક્તદાતાનું સન્માન કરો કારણ તેના કારણે આજે કેટલી જિંદગી બચી શકે છે.

જો તમારે કેન્સર જેવા ઘાતકી રોગથી બચવું હોય તો રક્તદાન કરો. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે. કારણ કે રક્તદાન એ શરીરમાં રહેલાં વિષેલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે.

હદયરોગ નો ખતરો ઘટે છે :

રક્તદાન દિલ માટે બહુ જ લાભકારક માનવામાં આવે છે. નિયમિત અંતરાલે રક્તદાન કરવાથી શરીરમાં આયરનની માત્રા સંતુલિત રહે છે અને રક્તદાતા હૃદયરોગના ખતરાથી દૂર રહે છે. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં લોહી પાતળું થાય છે જેના કારણે દિલ એકદમ સ્વસ્થ રહે છે.

રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ચેક થાય છે, તેમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લોહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં માં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.

એક યુનિટ રક્તદાન કરવાથી આપણા શરીરથી 650 કેલરી બળે છે. આ આપણા આદર્શ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. કેલરી બળે છે જે વજનને કંટ્રોલમાં રાખે છે. રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે, અને કોઈકને નવું જીવન આપી શકાય છે.પોથીધર્મ કરતાં માનવધર્મનો ફેલાવો વધશે તે દીવસે ધરતી પર લોહી પીનારાઓ કરતાં આપનારાઓની સંખ્યા વધી જશે!!!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top