99% લોકો નથી જાણતા એકાંતરિયો તાવ, દાંત અને માથાના દુખાવાની 100% અસરકારક આ ઔષધિ વિશે..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતના મોટાભાગના વિસ્તારોમાં પાતાળગરૂડી થાય છે. તેના વેલા બે વર્ષ પછી ઊંચે ચઢે છે. તે ઘણાં મોટા હોય છે. પાતાળગરૂડીનું મૂળ કરચલીવાળુ તથા વળદાર હોય છે, તે સ્વાદે કડવું હોય છે. પાતાળગરૂડીનાં ફળ ઝૂમખાવાળા તથા નાના હોય છે. પાતાળગરૂડી ગુણમાં રક્તશોધક તથા વીર્યકર છે.

તે ઉષ્ણ તથા ઉષ્ણ-વાતહર તથા પિત્તહર છે. હવે અમે તમને જણાવીશું પાતાળગરૂડીથી આપણાં શરીરને મળતા લાભો વિશે. પાતાળગરૂડીનાં મૂળના કટકા કરી તેને એક રાત પલાળી રાખી તેને ચોળીને પીવાથી લોહીની શુદ્ધી થાય છે. એનાથી જીર્ણ જ્વર મટે છે. બાળકનું તાળવું પડે ત્યારે તેનાં પાન વાટી, થેપલી બનાવી તાળવા ઉપર રાખવાથી એ દોષ દૂર થાય છે. પાતાળગરૂડીની ભૂકી બાંધી દૂધમાં ચોળવાથી દૂધ જામી જાય છે. તેના વેલા મજબૂત હોય છે.

પાતાળગરૂડી ભેંસને ખવડાવવાથી તે પુષ્કળ દૂધ આપે છે. વાસણવેલાનાં મૂળ બકરીના દૂધમાં ઉકાળી તેમાં પીપરનું ચૂર્ણ નાખીને દૂધ પીવાથી સંધિવા અને ઉપદેશમાં ઘણી રાહત રહે છે. સાંધા ઝલાઈ ગયા હોય તે પણ છોડાવે છે. તેના રસને બહાર રહેવા દીધો હોય તો તે જામી જાય છે. તેનાં પાનનો રસ સૂંઠ સાથે સાકર નાખી પીવાથી તે પિત્ત વિકાર દૂર કરે છે.

પાતાળગરૂડીની જડ તથા પાંદડાં માથાનોં દુખાવો તથા નજલાના દર્દને મટાડવાનો ગુણ ધરાવે છે. એકાંતરિયો તાવ આવ્યો હોય ત્યારે પણ એ ઉપયોગી નીવડે છે. દવામાં મોટા ભાગે એનાં પાન તથા મૂળનો ઉપયોગ થાય છે. એનાં પાન ગોનોરિયા, કફ વગેરે મટાડવામાં ઉપયોગમાં લેવાય છે. ઝેરી જંતુઓના કરડ ઉપર પણ ઉપયોગી નીવડે છે.

પાતાળગરૂડી, ગોખરુ, હરડેદાળ, લીમડાની અંતરછાલ, લીમડાંની ગળો, દેવદાર, જેઠીમધ, સાટોડી અને એ દરેક ચીજો પાંચ પાંચ ગ્રામ જેટલી લઈ તેને બરાબર વાટી તેનો ઉકાળો બનાવવો. આ રીતે બનાવેલો ઉકાળો જૂનો પ્રમેહ તથા પિત્ત જ્વર વગેરે વ્યાધિમાં વાપરવાથી ઘણી રાહત થાય છે. લગભગ એકથી બે ચમચા જેટલો લઈ શકાય.

જો તમે દાંતના દુખાવાથી પરેશાન છો, તો પાતાળગરૂડીના ઔષધીય ગુણધર્મોનો આ રીતે ઉપયોગ કરવાથી ઝડપી રાહત મળે છે. પાતાળગરૂડીના પાંદડાની પેસ્ટ દાંત પર લગાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. પાતાળગરૂડીના પાવડરનો ૧-૨ ગ્રામ ભુક્કો પાણીમાં ૧-૨ ગ્રામ લેવાથી બાળકોના આંતરડામાં રાહત મળે છે.

પાતાળગરૂડી નાં મૂળ કડવા તથા પાચક હોવાથી ખોરાકનું બરાબર પાચન કરે છે. તેનાથી ચામડીનાં દર્દ મટે છે. એ ઉપરાંત રક્તપિત્ત, કફ, ખોખલી, ગાઉટ, સખત આવતાં તાવ વગેરે મટાડવા પાતાળગરૂડીનાં મૂળ વપરાય છે. ઘણી વાર દાઝી જવાય ત્યારે બળતરા થાય છે. તે મટાડવા તથા ક્ષયની તકલીફ મટાડવા પણ એ મદદરૂપ થાય છે.

ક્યારેક માનસિક તાણ વધી જાય અથવા સામાન્ય અશક્તિ જેવું જણાય ત્યારે પણ એનાં મૂળનો ઉપયોગ કરી શકાય છે. એ ફ અને વાત પણ મટાડે છે. ક્યારેક અસ્થિભંગ થાય ત્યારે પણ એનાં મૂળને ઘસીને તૂટેલા ભાગ ઉપર લેપ કરતા સારી રાહત થાય છે. આમ સામાન્યમાં સામાન્ય બીમારીથી માંડી મહારોગને મટાડવાનો પણ એમાં ગુણ રહેલો છે.

5 મિલી પાતાળગરૂડીના પાનનો રસ જેલીની જેમ પાણીમાં નાખી દહીં સાથે લેવાથી પ્રમેહ કે ગોનોરિયામાં ફાયદો થાય છે. આ સિવાય 5 મિલી પાતાળગરૂડીના પાનનો રસ લેવાથી ગોનોરીયોમાં ફાયદો થાય છે. પાતાળગરૂડીના પાનનો રસ લગાવવાથી ખરજવું, ખંજવાળ, ઘા અને બળતરાથી રાહત મળે છે.

જો તમે સંધિવાનાં દુખાવાથી પરેશાન છો, તો પછી પાતાળગરૂડી અને બકરીના દૂધમાંથી 10-10 મિલીલીટર પાણીનો ઉકાળો લેવાથી સંધિવાને લીધે થતા દુખાવામાં લાભ થાય છે. આ ઉપરાંત 50 મિલી બકરીના દૂધમાં ગ્રામ પાણીના બીજનું મૂળ ઉકાળ્યા પછી, તેને પીપળીના 5૦૦ મિલિગ્રામ, 500 મિલિગ્રામ સુકા આદુ અને 500 મિલિગ્રામ મરીચા ઉમેરીને ગાળીને પીવાથી ચામડીના રોગોમાં ફાયદો થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top