પગ માં થતી કપાસીના અસહ્ય દુખાવા માથી કાયમી છૂટકારો મેળવાવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ફૂટ કોર્ન એટલે કપાસી તેમજ કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા. જે સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર, પગના તળિયામાં થાય છે. આ સમસ્યાથી ખાસ કરીને લોકો પરેશાન રહે છે. જેને કારણે કેટલીક વખત ઘણા લોકો ચાલી શકતા નથી અને તેમને પગમાં સતત દુખાવો થયા કરે છે. તો કેટલીક વખત તો લોકો તેનું ઓપરેશન પણ કરાવે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી.

કપાસી થવાના કારણો:

જો ટાઇટ જૂતા પહેરતા હોય તો તેનાથી પણ કપસી થાય છે. ખાસ કરીને ઉંચી એડીના સેન્ડલ પહેરવા અથવા કલાકો સુધી ઉભા રહેવાથી શરીર નો બધો વજન પગ પર આવે છે તેના કારણે પણ કપાસી ની સમસ્યા થઈ શકે છે.

જો મોજા વગર જૂતા પહેરવાથી પણ આ સમસ્યા ઉદભવે છે. કોઈ પણ જગ્યા એ ચંપલ વગર ફરવાથી પણ કપાસી થઈ શકે છે. લોહીની ખામી અને ચરબીને લીધે પગના તળિયામાં સખત અને નેઇલ જેવી બેરી જેવી ગ્રંથિ (ફોલ્લો) રચાય છે.

કપાસી દૂર કરવાના ઉપાય:

કપાસીનો ઇલાજ કરવા માટે મુલેઠી કોઇ ઔષધીથી ઓછી નથી. એક ચચમી મુલેઠીમાં સરસિયું મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા કપાસી પર લગાવીને પટ્ટી બાંધી લે. ત્યાર પછી સવારે ઉઠીને નવશેકા પાણીથી પગ ધોઇ લો. થોડાક દિવસ સુધી આ ઉપાય કરવાથી આ સમસ્યાથી રાહત મળશે.

સફેદ વિનેગર પણ પગની ઇજા એટલે કોર્ન્સને સહેલાઇથી દૂર કરે છે. કોટનને રૂમાં ડૂબાડીને તેને કપાસી પર લગાવો. અને તેને પર ટેપ ડક્ટ ડેટ લગાવીને 3-4 કલાક સુધી રહેવા દો.

ટી ટ્રી ઓઇલમાં રહેલા એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ કપાસીને સારી કરી દે છે. એક રૂ લો અને તેમા ટી ટ્રી ઓઇલના 3-4 ટીંપા ઉમેરી લો અને ત્યાર પછી તેને કપાસી પર લગાવી લો. આખી રાત તેને લગાવી રાખો ત્યાર પછી પગ ધોઇ લો.

લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેકટેરિયલ અને ફંગલ સંક્રમણથી લડવાના ગુણ રહેલા છે. કપાસીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લસણની કળીને શેકી લો અને તેમા લવિંગ મિક્સ કરીને તેનો પાઉડર બનાવી લો. તેને પગ પર લગાવીને પટ્ટી બાંધી દો. આખી રાત તેને રહેવા દો. આ ઉપાયથી તરત જ રાહત મળશે.

પગની કપાસીને મટાડવા માટે પગને એપ્સમ સોલ્ટ વોટર બાથ આપો. તેના માટે ગરમ પાણી સાથે એક ટબમાં, થોડો એપ્સમ સોલ્ટ નાખો અને તેમાં પગ ડૂબાડો. આ 10-15 મિનીટ માટે પલાળીને રાખો અને પછી આવું દર અઠવાડીયામાં બે કે ત્રણ વખત કરો. આવીજ રીતે વધુ લાભ માટે કૈમોમાઈલ ચા ને પાણીમાં નાખીને પગને પાણીમાં રાખી શકો છો. પાણી માંથી પગને બહાર કાઢ્યા પછી, તેને એક સ્વચ્છ ટુવાલથી સાફ કરો અને નારીયેલનું તેલ લગાવીને પગને મોઈસ્ચરાઈઝ કરો.

બેકિંગ સોડા પગની કપાસીને ઘેરી લેતી ડેડ સ્કીન સેલ્સને દુર કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત બેકિંગ સોડાના એંટીફંગલ અને જીવાણું વિરોધી ગુણ ઝડપથી સારવારમાં મદદ કરે છે.

એક વાટકીમાં, બેકિંગ સોડાની ત્રણ મોટી ચમચી નાખો. હવે તેમાં 1 મોટી ચમચી પાણી નાખો અને એક પેસ્ટ બનાવવા માટે સારી રીતે ભેળવી લો.આ પેસ્ટને પગની કપાસી ઉપર લગાવો અને 15-20 મિનીટ માટે રહેવા દો. બેકિંગ સોડાને પાણીમાં નાખીને પગને તે પાણીમાં ડુબાડીને પણ રાખી શકો છો.

સરસીયાના તેલમાં, હળદર પાવડર નાખીને શેકો. હવે પગની કપાસી ઉપર પેસ્ટ લગાવો અને એક પટ્ટીથી કવર કરી લો. તેને રાત આખી માટે રહેવા દો. આવું રોજ કરવાથી ઝડપથી તમારા પગની કપાસી ઠીક થવામાં મદદ મળશે.

ગરમ પાણીમાં એક કપ સિરકા નાખો. 15 મિનીટ માટે તમારા પગને તે પાણીમાં પલાળો.હવે પાણી માંથી પગ બહાર કાઢીને પગને લુછી લો અને પછી જૈતુનનું તેલ કે એરંડિયાના તેલનું માલીશ કરો.પછી તમે એક કપડાને સિરકામાં ડુબાડો અને ખીલને કવર કરી લો. સિરકા મૃત ત્વચાને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે.

લીંબુના રસમાં લવિંગનું તેલ અથવા લવિંગ મિક્સ કરીને થોડી વાર રહેવા દો. ત્યારપછી તેને કપાસી પર લગાવીને માલિશ કરો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી આરામ મળશે.

બરફના ટુકડાને કપડાંમાં વીટીને પગને સાફ કરો અને પછી ટરપેઇન્ટાઇનના તેલથી સ્ક્રબ કરો. આખી રાત કપાસી થઈ હોય એ જગ્યાએ પટ્ટી બાંધીને રાખો અને સવારે નવશેકા પાણીથી ધોઈ લો.

તેને કેસ્ટર ઓઇલ પણ કહેવામાં આવે છે. પગના જે ભાગમાં કપાસી થઈ હોય ત્યાં દરરોજ રાતના સૂતા પહેલા એરંડાના તેલથી માલિશ કરો. આરામ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top