લાખો રૂપિયાને ટક્કર આપે છે આ વસ્તુ, બીપી, હૃદય અને ચામડીના રોગને તો ચપટીમાં કરી દેશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પોષક તત્વો કઠોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મસૂરની દાળ પણ આવી જ એક દાળ છે, જે પોષક તત્વોથી ભરપૂર છે, મસૂરની દાળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મસૂરની દાળમાં સૌથી વધુ પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન હોય છે, તેમજ અડદની દાળમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, તેથી જો તમે દાળનું સેવન કરો છો, તો તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપે છે. સાથે જ શરીર સ્વસ્થ પણ છે.

મસૂરદાળ માં ધોળી અને લાલ એવી બે જાતો થાય છે. બંને જાતો ગુણમાં સરખી જ છે. મસૂર ના દાણાનો રંગ બહારથી કાળો હોય છે, પણ અંદરથી તેની દાળનો રંગ લાલચોળ હોય છે. મસૂરની દાળને ‘કેસરીદાળ” પણ કહે હિંદુઓ કરતાં પારસી અને મુસલમાનો મસૂરની દાળ વધુ પ્રમાણમાં વાપરે છે.

જ્યારે ચહેરા ઉપર ડાઘ ધબ્બા અને ખીલ થઇ જાય તો ચહેરાની રંગત અને રૂપ બન્ને ખરાબ થઇ જાય છે. તેનો નાનો એવો ઉપાય છે, કે રાત્રે એક મુઠી મસૂરની દાળ થોડા પાણીમાં પલાળી દો, સવારે જયારે દાળ બધું પાણી શોષી લે પછી તેને વાટીને પેસ્ટ બનાવી લો.

અને તેમાં થોડું દૂધ ભેળવીને તે પેસ્ટને ચહેરા ઉપર લગાવો અને પછી દસ કે પંદર મિનીટ પછી મોઢું સાદા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરાના બધા ડાઘ ધબ્બા ખીલ વગેરે થોડા જ દિવસોમાં દુર થઇ જશે અને ચહેરો ચમકી ઉઠશે. પાકેલા દાડમના દાણાનો રસ કાઢી તેમાં શેકેલા મસૂરદાળ નો લોટ કરી તેમા ભેળવી પીવાથી ત્રિદોષજન્ય ઊલટી મટે છે.

જો તમે વધતા વજનથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો, તો તમારે મસૂરદાળનું સેવન કરવું જોઈએ. કારણ કે દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે, જે વજનને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે. શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે દાળનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે મસૂરની દાળમાં ફાઇબર જોવા મળે છે, તેમજ તેમાં કોલેસ્ટ્રોલ વિરોધી અસર થાય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાના સ્તરને ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે.

મધુપ્રમેહના દર્દીઓ માટે દાળનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે. દાળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કારણ કે દાળમાં આયર્ન, પ્રોટીન જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે તમને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

જો પાચન સંબંધિત સમસ્યા હોય તો દાળનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે મસૂરની દાળમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. મસૂરની દાળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, તેથી જો તમે દાળનું સેવન કરો છો, તો તે હાડકાંને મજબૂત બનાવે છે, જે હાડકાને લગતા રોગોનું જોખમ પણ ઘટાડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top