Breaking News

તમે આ બીમારી ના ભોગ હશો તો પણ તમને ખ્યાલ નહીં હોય, ક્લિક કરી જાણો તેના લક્ષણો અને કારણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

શરીર મજબૂત તો મન ને મસ્તિષ્ક પણ મજબૂત, પણ આ ધારણા ખોટી છે. મજબૂત શરીરવાળા માનસિકરરૂપે રોગી હોઈ શકે છે . અખાડા અને જીમ માં કરેલી કસરતો થી શરીર મજબૂત થઈ શકે પણ મન તેવું જ રહે છે. યોગ થી મન અને મસ્તિષ્ક મજબૂત થવાની સાથે જ માનસિકરૂપ થી પણ મજબૂત થવાય છે.

માનસિક રોગને લાંબા સમયથી ચાલતી માનસિક બીમારી તરીકે પૃથ્થકરણ કરવામાં આવે છે. જેમાં વ્યકિતને વાસ્તવિકતા સ્વીકારવામાં તકલીફ પડે છે. વ્યક્તિએ જે કલ્પ્યું હોય તેમાંથી તે સાચુ શું છે તે કહી શકતો નથી. માનસિક રોગમાં ભ્રમણા જેવા બધા માનસિક બિમારીના લક્ષ્ણો જોવા મળે છે.

માનસિક રોગ ના લક્ષણો:

જેમ કે મન ન લાગવું, કામ પર ફોકસ ના રહે, ભૂખ ઓછી લાગે જેવા લક્ષ્‍ણો માનસિક બીમારી તરફ ઈશારા કરે છે.સાથે બાળપણમાં અથવા અન્ય આઘાતમાં શારીરિક અથવા યૌન સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય તો તેવા લોકોમાં આ બીમારી થવાનું જોખમ રહે છે. મોટાભાગના લોકોની સમસ્યા એ રહેતી હોય છે. કે તે નાની-નાની વસ્તુને પણ જલ્દી ભૂલી જાય છે.

તેમજ તરત નિર્ણય નથી લઈ શકતા. તેમજ જલ્દી ગુસ્સો આવી જાય છે. તેમજ સ્વભાવ ચિડિયો થઈ જાય છે. નાની નાની વાતોમાં બેચેની વધી જાય છે. થોડાક સમય સુધી આ સમસ્યા રહે તો ડરવાની કોઈ જરૂર નથી. આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો હતાશા પર હાવી થઈ જાય તો ડિપ્રેશનમાં છો તેવો સંકેત આપે છે.

ભ્રમણા સિવાયની બાબતમાં વ્યકિત જે માનસિક બીમારીથી પીડાય છે તે હમેંશા સામાજીક અને સામાન્ય હોય તેવુ લાગે છે. સામાન્ય રીતે તેઓ આશ્ચર્ય કે અસામાન્ય વ્યવહાર કરે છે. આ ભ્રમણા આ આભાસ મહદઅંશે હોતો નથી પરંતુ, કયારેક ભ્રમણાને સંલગ્ન તે જોવા મળે છે.

કેટલાક કેસમાં લોકો જેમાં માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ભ્રમણા સાથે જીવે છે. અને જીવન વેરવિખેર થઇ જાય છે. અને વારંવાર માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો પણ થાય છે.

માનસિક રોગ ના ઉપચાર:

જો ખોરાક ના નિયમ ના પાલન સાથે સુર્યનમસ્કાર અને પ્રમુખ આસન કરવામાં આવે તો ચાર મહિના માં જ શરીર લચકદાર અને સ્વસ્થ થઈ જશે. દરદરોજ એકદમ ફ્રેશ અને પોતે યુવા છો એવું અનુભવ કરશો. યોગાસન ના નિયમિત અભ્યાસ થી કરોડરજ્જુ સુદ્રઢ બને છે, જેનાથી શિરાઓ અને ધમનીઓ ને આરામ મળે છે. શરીર ના બધા જ અંગ સારી રીતે કામ કરે છે. આજ મસ્તિષ્ક ને સુદ્રઢ કરવાનો પ્રારંભિક ચરણ છે.

મસ્તિષ્ક ની કાર્ય ક્ષમતા અને મજબૂતી પ્રાણાયામ થી વધે છે. આમ થવાથી મસ્તિષ્ક માં ઓક્સિજન નું પ્રમાણ વધે છે. પ્રાણાયામ કરતાં રહેવાથી મન માં ક્યારે પણ ઉદાસી, ખિન્નતા અને ક્રોધ નથી રહેતો. મન હમેશા પ્રસસન્નચિત્ત રહે છે. જેનાથી આજુ બાજુ નું વાતાવરણ ખુશખુશાલ રહે છે.  જીવન માં  ક્યારે પણ હતાશ કે નિરાશ નહીં થાવ.

જો ઈચ્છો તો ધ્યાન ને  નિયમિત દિનચર્યા નો હિસ્સો બનાવી ને મસ્તિષ્ક ને મજબૂત બનાઈ શકો છો. મસ્તિષ્ક માં કોઈ પણ પ્રકાર નો વિકાર રહેતો નથી. વ્યક્તિ ની વિચાર કરવાની ક્ષમતા વધે છે. આવા સમયે વ્યક્તિ ની બુદ્ધિ એકદમ તીક્ષ્ણ થઈ જાય છે.  તેમજ તે જે કઈ પણ બોલે છે તે સમજી વિચારી ને બોલે છે. લાગણી માં આવી ને કશું  બોલતા નથી.

યોગ ના પ્રભાવ થી શરીર,મન,અને મસ્તિષ્ક ઉર્જાવાન થાય છે, સાથે જ વિચાર શક્તિ પણ સુધરે છે. વિચાર શક્તિ સુધારવાની સાથે જ જીવન પણ બદલાય છે. યોગ થી સકારાત્મક વિચાર આવે છે. જો કોઈ પણ જાત નો માનસિક રોગ હોય તો પણ એ મટી  જાય છે. જેમકે, ચિંતા,ગભરાટ ,બેચેની ,શોક,શંકાળુપ્રવૃતિ, નકારત્મક, ભ્રમ વગેરે.

એક સ્વસ્થ મસ્તિષ્ક જ ખુશખુશાલ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય ની રચના કરી શકે છે.  યોગ થી જ્યાં શરીર માં ઉર્જા જાગરત થાય છે. ત્યાં જ મસ્તિષ્ક ના વચ્ચે ના ભાગ માં છુપાયેલી રહસ્યમય શક્તિ નો ઉદય થાય છે. જીવન માં જો સફળ થવું હોય તો સકારાત્મક ઉર્જા અને મસ્તિષ્ક ની શક્તિ બહુજ જરૂરી છે. જે ફક્ત યોગ થી જ મળે છે. બીજી કોઈ પણ જાત ની કસરત થી નહીં.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!