લીંબુ જેટલું ફાયદાકારક હોય છે. એટલી જ ફાયદાકારક તેની છાલ પણ હોય છે. એટલા માટે તેને ક્યારેય પણ ના ફેંકો અને તેનો ઉપયોગ, ત્વચાને સુંદર બનાવવા માટે કરો. લીંબુની છાલમાં ખૂબ રિફ્રેશિંગ સુંગધ આવે છે. અને તેને રાખવાથી કીડી અને મચ્છર પણ આવતા નથી.
હકીકત માં લીંબુના રસ ની તુલનામાં તેના છાલા માં વિટામીન સી અને એ, બીટા કેટોરીન, ફોલેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ વધારે હોય છે. લીંબુના છાલા ની અંદર ભરપુર માત્રામાં વિટામીન, ખનીજ અને ફાઈબર હોય છે.
વજન ઓછું કરવામાં પણ તેનો ખૂબ મોટો ફાળો છે. લીંબુ ના છોતરાં ને ઉકાળીને પીવામાં આવે તો. વજન ઓછુ થાઈ છે, અને તેનાથી કમજોરી પણ નથી આવતી. લીંબુ પેક્ટીન ફાઈબર થી સમૃધ્ધ હોવાને કારણે ભૂખ ઓછી લગાડે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ખૂબ વધારે થઇ ગયો હોય તો તમે લીંબુની છાલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તેમાં પોલીફિનોલ ફ્લેવોનોયડ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછો કરે છે.
લીંબુની છાલ હડકાંને મજબૂત બનાવે છે. એટલા માટે તમે નેક્સ્ટ ટાઈમ લીંબુનું અથાણું રાખો તો તેને છાલ સાથે જ રાખો. તે શરીરમાં કેલ્શિયમની માત્રાને પૂરી રીતે અવશોષિત કરવા માટે સક્ષમ છે, અને તેના ગુણ પણ શરીરમાં પ્રવેશ કરી જાય છે. જેનાથી હાડકાં મજબૂત થઈ જાય છે.
લીંબુની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બ્લડપ્રેશર યોગ્ય થઇ જાય છે. અને હદયની ક્રિયાવિધી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી હદયના રોગ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને પેસ્ટ બનાવી લો અને તેને ત્વચા પર ઓછી માત્રામાં લગાવો. તેનાથી દાણા અને ખીલ યોગ્ય થઇ જાય છે અને ડેડ સ્કીન પણ નીકળી જાય છે.
જો મોંઢામાંથી વાસ આવતી હોય તો લીંબુ ની છાલના પાણીથી કોગળા કરો. એમ તો વિટામીન સીની ઉણપથી મોંઢા સંબંધી રોગ થાય છે તો લીંબુની છાલથી દૂર થઈ શકે છે. પેઢામાંથી લોહી આવવું, વાસ આવવી વગેરે તેનાથી ઠીક થઇ શકે છે. મોઢા માં આવતી દુર્ગંધ કે પછી પાયેરીયા જેવી બીમારી થાઈ તો શરમ નો અનુભવ થાય છે. લીંબુના છાલા મોં ની દુર્ગંધ ને દુર કરવામાં મદદરૂપ થાય છે.
જો નખ દેખાવમાં પીળા છે તો તેના પર લીંબુની છાલ રગડી શકો છો. તેનાથી તે ચમકદાર બની ઉઠશે. લીંબુનો રસ અને ખાસ કરીને એની છાલ લોહી ના દબાણ અને માનસિક દબાણ ને નિયમિત બનાવે છે. માનસિક તાણ અને શરીર ના રોગો ને કાબુમાં રાખે છે. ઘણા બધા લોકોને મુસાફરીમાં ઉલટી થાય છે. એવામાં તમે તમારી સાથે લીંબુની છાલ રાખીને તેને સૂંઘી શકો છો.
અકાળે શરીર પર કરચલીઓ પડવા લાગે, તો લીંબુની છાલનો ઉપયોગ કરો. લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને ગુલાબજળમાં મિક્સ કરીને એક કલાક માટે ત્વચા પર લગાવો. કપડા કે પછી વાસણ પર લાગેલા દાગ સાફ કરવા માટે તે ગંદા કપડા પર લીંબુનું છાલું ઘસવું, અને આખી રાત એમજ રહેવા દેવું. આવું કરવાથી દાગ આસાનીથી દુર થઇ જશે.
કેન્સર, જેવી જીવલેણ બીમારી માં લીંબુ ના છાલા ખૂબ કામ કરે છે અને કેન્સર ના દ્રવ્ય નો નાશ કરે છે. કેન્સર કોશિકાઓના ઉગ્ર વ્યવહાર વિશે બધા જ જાણે છે પરંતુ લીંબુની છાલ પોતાની ફ્લેવોનોયડ્સ અને સોલેવ્સ્ટ્રોલક્યૂ ૪૦ ગુણના કારણે, કેન્સર કોશિકાઓને નિષ્ક્રિય કરવામાં કારગર થાય છે. તે બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર અને સ્કીન કેન્સરમાં કારગર હોય છે. લીંબુ ની છાલ નો એક આશ્ચર્યકારક ફાયદો એ છે કે એમાં એક એવો ચમત્કારિક ગુણ છે જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓ નો નાશ થાય છે.
કીમિયોથેરપી કરતાં આ લીંબુની છાલ ૧૦,૦૦૦ ગણી વધુ અસરકારક છે. કેન્સર જેવા અસાધ્ય રોગ થી બચવા માટે અથવા થયો હોય તો એમાં થી સાજા થવા માટે લીંબુનો રસ અને તેની છાલ ફાયદાકારક છે. લીંબુની વનસ્પતિ માં કેટલાંય પ્રકાર ના કેન્સર ને સાજા કરવાની ચમત્કારિક શક્તિ છે. એનો ઉપયોગ બેક્ટેરિયા ના ઇન્ફેક્શન તથા ફંગસ ઉપર પણ કરી શકાય છે.
શરીર માંના પરોપજીવી જંતુઓ અને વિષાણુઓ ઉપર પણ એ અસરકારક છે. એનો સ્વાદ પણ સારો હોય છે અને કીમિયોથેરપી ના જેવી એની સાઇડ ઇફેક્ટ પણ નથી હોતી.