આ લાલ રંગ નું ફૂલ ફક્ત બગીચાની નહીં પણ તમારા સ્વાસ્થ્ય ની પણ શોભા વધારશે, જરૂર જાણો તેના ઉપયોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાસૂદ આમ તો બધી જગ્યાએ જોવા મળે છે. જાસૂદ લાલ, પીળા, ગુલાબી, સફેદ વગેરે રંગ ના હોય છે. જાસૂદ સુંદર અને ગુણીયલ ફૂલ છે. તેમાં ઉપચારો નો ખજાનો છુપાયેલો છે. જાસૂદ નો ઉપયોગ ખાવા પીવામાં તથા દવા માં કરવામાં આવે છે. જાસૂદ માં વિટામિન સી, ફાઈબર, આયર્ન જેવા તત્વો હોય છે. મોઢા માં ચાંદા પડ્યા હોય તો જાસૂદ ના પણ ચાવવાથી રાહત મળે છે.

જાસુદના ફૂલમાં વિટામીન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ, આયર્ન શરીરની અનેક બીમારી ઓ માંથી રાહત અપાવવામાં મદદ કરે છે. જાસુદનું સેવન ત્વચા સંબંધિત રોગમાંથી છુટકારો આપે છે. આ ઉપરાંત કરચલીની સમસ્યાં પણ દૂર કરે છે. જાસુદના ફૂલનો પ્રયોગ ઘાવ ભરવામાં પણ કરવામાં આવે છે.

જાસૂદ ના ફૂલ ની ચા:

જાસૂદના ફૂલનું શરબત અને ચા પણ બનાવીને પી શકાય છે. ચા શરદી તેમજ ઉધરસમાં રાહત આપે છે. ફૂલની હર્બલ ટી પીવાથી બ્લડપ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. ફૂલને સૂકવીને તેના પાવડરને પિત્ત તેમજ પથરી દૂર કરવા ઉપયોગમાં લેવાય છે. ચહેરા પર જો ખીલ ની સમસ્યા હોય તો જાસૂદના ફૂલને પાણીમાં પલાળીને મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર થી ખીલની સમસ્યા દૂર થાય છે.

જાસૂદ ના ફૂલ માથી બનતી ચા એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે. તેનાથી શરદી, તાવ અને કળતર ને દૂર કરી શકાય છે. જાસૂદ ના ફૂલ ને ગરમ પાણી માં થોડી વાર ઉકાળવા. ત્યારબાદ તેને સુતરાઉ કાપડ ની મદદ થી ગાળી લેવું. હવે થોડી ઠંડી થાય પછી તેને પીવાથી ઘણા બધા લાભ થાય છે.જાસૂદ માથી બનતી આ ચા રોજ સવાર અને સાંજે પીવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. આમ કરવાથી શરીર ને જરૂરી તત્વો પણ મળી રહે છે. અને શરીર માં તાકાત પણ બની રહે છે.

જાસુદના ફૂલ માંથી બનેલી ચા એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ઘણું અસરકારક છે. તેમાંથી મળી આવતા તત્વ અર્ટરીમાં પ્લેકને જામવાથી રોકે છે, જેથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. અને જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડેંટ કોલેસ્ટ્રોલ ઓછું કરવાની સાથે સાથે બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. તેના માટે તેના ફૂલને ગરમ પાણીમાં ઉકાળીને પીવું ફાયદાકારક રહે છે.

આજકાલ વાળ ખરવાની સમસ્યાથી લગભગ દરેક લોકો પરેશાન રહે છે. અને જાસુદના ફૂલ આ તકલીફ દુર કરવામાં ઘણા જ અસરકારક સાબિત થાય છે. તે ન માત્ર વાળ ખરતા અટકાવે છે, પણ તેના ઉપયોગથી એક જુદી જ ચમક વાળમાં જોવા મળશે.

ખંજવાળ માં અસરકારક:

જાસુદના ફૂલ સોજાની સાથે સાથે ખંજવાળ જેવી તકલીફોમાંથી પણ તમને રાહત અપાવે છે. જાસુદના ફૂલની પાંખડીઓને મિક્સરમાં સારી રીતે વાટી લો અને સોજા અને બળતરા વાળા ભાગ ઉપર લગાવો થોડી જ મીનીટોમાં તકલીફ દુર થઇ જશે.

વાળના મૂળ મજબુત કરવાં માટે મેથીના દાણા, જાસુદ ના ફૂલ અને બેરના પાંદડા વાટીને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ૧૫ મિનીટ સુધી વાળમાં લગાવો અને પછી વાળ ધોઈ નાખો. તેનાથી તમારા વાળના મૂળ મજબુત અને સ્વસ્થ બનશે.

ડાયાબીટીસ દર્દીઓ માટે પણ જાસુદ ઉપયોગી છે. એના માટે નિયમિત તમે તેના ૨૦ થી ૨૫ ફૂલ નું સેવન શરુ કરો. તે તમારા ડાયાબીટીસનો ચોક્કસ ઈલાજ છે.મોં માં લાળમાં વધારો કરવાં અને પાચન શક્તિ જાળવી રાખવા માટે, તેમજ મોઢાના ચાંદા દુર કરવાં માટે જાસુદના ૩-૪ ફૂલને ચાવવા જોઈએ. તમને લાભ થશે.

યાદશક્તિ માટે ખૂબ અસરકારક:

જાસુદનું સરબત હ્રદય અને મગજને શક્તિ પૂરી પાડે છે. તે તમારા મેમરી પાવરને વધારે છે. જે લોકોને ઉંમર વધવાની સાથે મેમરી લોસ થવાની સમસ્યા છે, અથવા ઓછી ઉંમરમાં જ યાદશક્તિ નબળી થવા લાગી છે, તેઓ જાસુદના ૧૦ ફૂલના પાંદડા લઈને પછી તેને સુકવીને અને પછી એને વાટીને તેનો પાવડર બનાવી લો.એ પાઉડરને કોઈ એયર ટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખો. દિવસમાં બે વખત દૂધ સાથે તે પાવડર લેવાથી તમારા મેમરી પાવરમાં ઘણો વધારો થશે.

જે લોકો ને હિમોગ્લોબિન ની ખામી હોય તે જાસૂદ ના ફૂલ નો પાવડર રોજ 1 ચમચી દૂધ સાથે લેવામાં આવે તો લોહી બનવાની શરૂઆત થાય છે અને લોહી ની માત્રા માં વધારો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top