શું તમે હઠીલા ડાઘ, ખૂજલીની સમસ્યા થી પરેશાન છો? તો તમારા માટે બેસ્ટ છે આ ઈલાજ -અહી ટચ કરી જાણો વિગતે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખંજવાળ ને દૂર કરવા માટે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે.  અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે. તે ધાધર ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અજમા ને વાટી અને ગરમ પાણીની અંદર પેસ્ટ બનાવી લો. તે ત્યારબાદ આ પેસ્ટને ધાધર ની જગ્યાએ લગાવો.

આંબળા નો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પણ તેને ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે. તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળનું નામ નિશાન મટી જશે. સરસિયાના તેલમાં ચૂનો અને પાણી ભેળવીને થોડો ભીનો કરી લો. જેનાથી ખંજવાળ દુર થઇ જાય છે.

ઘણી વખત દહી આ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તો જાંઘોની વચ્ચે ખંજવાળ હોય તો ખાટું દહીં લગાવી લો. દહીંમાં પણ ખંજવાળ દુર કરવાના ગુણ મળી આવે છે. કેળા માં મળી આવતા અમુક ગુનોના કારણે તે આ બીમારીઓ માં પણ અસરકારક છે. લીંબુને કેળાના રસમાં ભેળવીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો તેનાથી પણ ખંજવાળમાં સારું થઇ જાય છે.

નાળિયેર ના તેલ નો ઉપયોગ વાળ માટે કરીએ છીએ, તેજ તેલ ને લીંબુના રસ સાથે ભેળવીને હળવા હાથે માલીશ કરવાથી ખંજવાળમાં સારું થઇ જાય છે. આંબળા ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે. તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં  ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળનું નામ નિશાન મટી જશે.

જ્યારે કોઈ પણ વ્યક્તિને ધાધર થાય છે, ત્યારે તે જગ્યાએ તે વ્યક્તિને ખૂબ ખંજવાળ આવતી હોય છે, અને મોટેભાગે લોકો તે જગ્યાએ ખંજવાળતા રહે છે. જેથી કરીને ધાધરની તે જગ્યાએ બળતરા થવા માંડે છે. મોટાભાગના લોકોને તેના જનનાંગો ની આસપાસ આ પ્રકારની સમસ્યા થતી જોવા મળે છે. આ સિવાય ધાધર શરીરના કોઈ પણ ભાગમાં પણ થઈ શકે છે.

સૌથી પહેલા આ નુસખો તૈયાર કરવાં માટે તમારે ૨ ચમચી નારીયેળનું તેલ લેવું,ત્યારબાદ આ તેલમાં કપૂરની ટીકડીઓને ફોડીને નાખવી અને આ બન્નેને સારી રીતે મિક્સ કરી લેવું. હવે આ કપૂર સાથે મિક્ષ કરેલા તેલને એક લીંબુના ટુકડાથી ખંજવાળ વાળી જગ્યા ઉપર તમારે લગાવવાનું છે. લીંબુનો ઉપયોગ એટલા માટે કરવાનો છે, કારણ કે એનાથી ઇન્ફેકશનનો ભય ન રહે.

તેમ છતાં પણ જો લીંબુ લગાવવાથી બળતરા થાય તો પછી તેને માત્ર  હાથથી પણ આ પેસ્ટને ત્વચા ઉપર લગાવી શકો છો. આ નુસખાને નિયમિત ૨ દિવસ લગાવ્યા પછી ધાધર અને ખંજવાળ માંથી સંપૂર્ણ રીતે રાહત મળી જશે અને બીજા ચામડીના રોગ માટે પણ આ ઉપાય કારગર સાબિત થાય છે. જ્યારે લીંબુનો રસ સૂકાઈ જાય ત્યારબાદ તેને સાદા પાણીથી સાફ કરી લો. આમ કરવાથી ધાધરની સમસ્યામાં રાહત મળે છે.

લીમડા ના પાન ખુબ ઘણી બધી જગ્યા પર વપરાય છે, 8 થી 10 લીમડાના પાન લઇ અને તેને પીસી અને દહીની અંદર ભેળવી લો.  તે ત્યારબાદ જે જગ્યાએ ખરજવું થયું હોય અથવા તો ખંજવાળ આવતી હોય તે જગ્યાએ તેને લગાવવાથી રાહત મળે છે.

દાડમ ના પાન માં પણ ત્વચા ને સુરક્ષિત કરવા ના ઘણા ગુણ હોઈ છે, દાડમના પાનને પીસી લઈ ધાધર ની જગ્યાએ લગાવવાથી દાદર જડમૂળમાંથી નાશ પામે છે. તે જો  ધાધર અથવા તો ખરજવાની સમસ્યા થઈ હોય, તો મીઠી અને ચટપટી વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ.અને ધાધર ના લીધે જે ખંજવાળ આવે છે,તેમાં પણ રાહત મળે છે.

સરસવ નું તેલ, 250 ગ્રામ સરસવનું તેલ લઈ,  તેને એક કડાઈ ની અંદર ગરમ કરવા માટે મૂકી દો,તે બાદ જ્યારે તે ઉકાળવા લાગે ત્યાર બાદ તેની અંદર 50 ગ્રામ જેટલા લીમડાના કુણા પાન ઉમેરી દો. તે પછી આ તેલને ગાળી લઈ અને એક બોટલમાં ભરી લો, અને જે જગ્યાએ ધાધર અથવા તો ખરજવાની સમસ્યા દિવસમાં ચારથી પાંચ વખત તેને લગાવી લો, આ તેલનો ઉપયોગ  એક્ઝિમા ની સમસ્યાને દૂર કરવા માટે પણ કરી શકો છો. અને ખંજવાળ માં મદદ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top