શું તમને પણ વારંવાર હાથ-પગમાં ચડે છે ખાલી? તો જાણી લ્યો આ તેની પાછળનું સચોટ કારણ અને માત્ર 2 મિનિટમાં દૂર કરવાનો ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લાંબા ગાળા સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવાથી અથવા તો સુવાથી આપણાં હાથમાં  ખાલી ચડી જતી હોય છે. આ સમયે આપણને એવી ફીલિંગ આવે છે કે જાણે આપણાં હાથ કે પગ ખોટા પડી ગયા હોય. થોડા સમય સુધી હાથ કે પગ ન હલાવી તો તે સરખા થઈ જાય  છે.

એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી રહેવાથી અમુક નસો દબાઈ જતી હોય છે. જેના કારણે હાથ કે પગમાં પૂરતી માત્રા માં ઓક્સિજન મળી શકતો નથી. ઓક્સિજનની ઉણપ થી શરીર હાથ કે પગમાં ખાલી ચડી જાય છે. તે સમયે આપણે કોઈ મુમેંટ કરી શકતા નથી.

જો તમને બંને હાથ માં ખાલી ચડી જતી હોય તો તમારા માં વિટામિન B12 ની કમી હોય છે. તમને જો વધુ થાક લાગતો હોય તો તમને એનીમિયા પણ હોય શકે છે. આ સિવાય શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ અને વધારે પડતી સ્મોકિંગ, દારૂની આદતને કારણે પણ ખાલી ચડવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

તેનો ઉપાય કરવાં માટે ઘરમાં વપરાતા કપૂરને તલના તેલમાં સારી રીતે મિક્ષ કરી અને પછી એ તેલથી માલિશ કરવાથી ઘણો ફાયદો થાય  છે અને એમાં વપરાતી બંને વસ્તુઓ પણ તમને સરળતાથી મળી રહે છે. આ ઉપાયમાં કપૂર મુખ્ય હોય છે. તલનું તેલ ન હોય તો સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકાય  છે.

દિવસમાં 5-30 મિનિટ કસરત કરવી જોઈએ. કસરત કરવાથી શરીરના ઘણા બધા રોગો દૂર થાય છે. અને ખાલી ચડવાની સમસ્યા તો ચોક્કસ ઓછી થઈ જાય છે. કસરતમાં  રોજ અડધો  કલાક ચાલવાનું રાખો અથવા તો તરતા આવડતું હોય તો અડધો કલાક સ્વિમિંગ કરવા જાઓ તેમ કરવાથી કાર્ડીયો એક્સરસાઇઝ પણ થશે અને શરીરમાં લોહીનું સર્ક્યુલેશન પણ નિયમિત રહે છે.

જો તમારી પાસે સરસવનું તેલ પણ ન હોય, તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે  થોડું તેલ ગરમ કરીને એની અંદર કપૂરને ઓગાળી નાખો. ગરમ તેલની અંદર કપૂર નાખીને અને થોડી વાર હલાવવું અને કપૂર ઓગળી જાય તો તમારે તેને એક બોટલમાં ભરી દેવું. જે ભાગમાં આપણને વારંવાર ખાલી ચડતી હોય, ત્યાં આ કપૂર વાળા તેલની માલીશ કરી શકાય  છે. માલિશ કર્યા પછી ખાલી ચડશે નહિ.

જ્યારે ક્યારેય  હાથ કે પગ પર ખાલી ચડી જાય ત્યારે શરીરમાંના લોહીને વહેતું રાખવા માટે દૂધમાં હળદર અને મધ મેળવીને પીવું જોઈએ. આ ઉપરાંત હુંફાળા પાણીમાં હળદર મેળવીને તેનું મસાજ પણ કરી શકાય છે. તમને હાથ-પગ જ્યાં પણ ખાલી ચડી હોય તેના પર ગરમ પાણીનો શેક કરવાથી ઘણા અંશે રાહત મળે છે. આ શેક થેલી દ્વારા પણ કરી શકાય છે અને ગરમ પાણીમાં પગ બોળીને પણ કરી શકાય છે અને વારંવાર ગરમ પાણી અસરગ્રસ્ત ભાગ પર રેડવાથી પણ ફાયદો છે.

તજ પાવડર માં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરવાથી પણ હાથ-પગ માં ખાલી ચડવાની સમસ્યા માંથી આજીવન મુક્તિ મેળવી શકાય છે. આ સિવાય હૂંફાળા પાણી નો પ્રયોગ પણ લાભદાયી નીવડે છે. હૂંફાળા પાણીથી હાથ અને પગ ને નિયમિત શેક આપવામાં આવે તો આ પગ માં ખાલી ચડી જવાની સમસ્યા ઊભી થતી  નથી.

હાથ-પગ માં ખાલી ચડી જવાની સમસ્યા થી પીડાતા હોવ તો દરરોજ  મેગ્નેશિયમ યુક્ત આહાર ખાવો જોઈએ જેથી આ સમસ્યા જડમુળ થી દૂર થઈ જાય. પાલક, કાજુ, મગફળી, ડાર્ક ચોકલેટ, કેળા, લીલોતરી શાકભાજી આ બધી વસ્તુઓ માંથી ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ પ્રાપ્ત થઈ રહે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top