વાળ ને લાંબા, સિલ્કિ બનાવી ખરતા અટકાવવા હોય તો ઘરે બનાવો આ તેલ, અહી ક્લિક કરી જાણો તેલ બનાવવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજ ના સમય ના  અનિયમિત ખાન પાન ને લીધે તેમજ કેમિકલ વાળા સૌંદર્ય પ્રસાધનો વાપરવાને લીધે ઘણી બહેનો અને માતાઓ એક સ્ત્રી માટે જે આભૂષણ ગણાય એવા તેમના વાળ ને લઈ ને ખૂબ પરેશાન હોય છે. લોકો કલાકારો ની એડ્સ ટીવી માં જોઈએ ને સાવ આંધળું અનુકરણ કરે છે અને પછી પસ્તાય છે.

આને લીધે સ્ત્રીઓ માં વાળ સફેદ થઈ જવા , માથા માં ખોડો થવો, વાળ ખરી જવા વગેરે સમસ્યાઓ તેમને સતાવતી હોય છે . ઘણા પુરુષો ને તાલ પડી જવી , વાળ ખરવા જેવી સમસ્યાઓ સતાવતી હોય છે. આનથી છુટકારો મેળવવા માટે આજે આપણે આ માટે નો એક ઘરગથ્થુ પ્રયોગ જોઈશું જે તમને ખુબ ફાયદા કારક રેહશે.

આમળા એ એક એવી ઔષધિ છે કે જે વાળ માટે અકસીર ગણાય છે. આહિ આજે અમે તમને આમળા અને નારિયેળ ના તેલ માથી તેલ બનાવતા શીખવાડીશું. આમળા અને નારિયેળ નું તેલ વાળ ને કાળા અને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક નીવડશે.

આ તેલ ઘરે બનાવવા માટે ની સામગ્રી ની વાત કરીયે તો અંદાજિત એક લિટર તેલ બનાવવા માટે તમારે એક લિટર શુધ્ધ ખોપરેલ (નારિયેળ નું તેલ), એક કિલો લીલા આમળા , એક ચમચી તજ પાવડર , બે ખોબા દેશી અને સુંગંધિત ગુલાબ ની પાંદડી (તેલ માં સુગંધ માટે) અને કરંજ નું તેલ 100 ગ્રામ અને તેલ બની ગ્યા પછી તેને ગાળવા માટે એક મોટો સુતરાઉ કાપડ નો કટકો અને ભરવા માટે એક કાચ ની બોટલ વગેરે વસ્તુઓ જોઈશે.

બનાવવાની રીત:

આ ઔષધીય તેલ બનવા માટે સૌ પ્રથમ તમારે એક કિલો આમળા ને સાવ જીણા સુધારી ને નાની નાની કટકી કરી નાખવી અને ઠળિયા કાઢી નાખવા. કટકી બને તેટલી જીણી કરવી , પણ સાવ ક્ચુંબર કરી નાખવું નહીં. ત્યાર બાદ 3 લિટર લિક્વિડ સમય તેવદા મોટા તપેલા માં તૈયાર રાખેલ 1 લિટર ખોપરેલ નાખવું. અને તેમાં આમળા ની જીણી કટકી નાખવી. આ મિશ્રણ ને ગરમ કરવા માટે મૂકવું. એને બરાબર ઉકળવા માટે સમય લાગશે , તેને સતત હલાવતા રહેવું .

ઊભરો આવે તો ગેસ ધીમો કરી નાખવો અને પછી ફરી ગરમ કરતું રહેવું. આમળા ની કટકી બાલી ને સાવ કાળી જેવી થઈ જાય ત્યારે તેમાં એક ચમચી તજ પાવડર , ગુલાબ ની પાંદડિઓ અને કરંજ નું તેલ નાખી ને થોડી વાર સુધી ઉકાળવું અને પછી ઠંડુ પાડવા દેવું.

મિશ્રણ ઠંડુ થાય તે બાદ તમે આ સુતરાઉ કાપડથી તેને ગાળી લો. મિત્રો તે પછી તમારે હવે એક કાચની બોટલ લો અને તેમા તમે આ તેલ ઉમેરી લો અને તેને નિયમિત રીતે આ તેલ નો ઉપયોગ કરો .જેથી તમને આ વાળને લગતી તમામ સમસ્યા એ દૂર થશે અને તમારા વાળ એ બમણી ઝડપે વધશે. આ તેલ એક આયુર્વેદિક વસ્તુ છે. આનાથી તમને એક બે અઠવાડીયા માં ખબર નહીં પડે , પરંતુ 3-4 મહિના ના લાંબા સમય ગાળે તમને તેનો ફાયદો દેખાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top