કિડની, લીવર, ગમેતેવા તાવ સહિત વાત,પિત્ત અને કફ ના 70થી વધુ રોગોનો સફાયો કરે છે આયુર્વેદની આ અમ્રુત સમાન ઔષધિ, જરૂર જાણો તેના ફાયદા અને શેર કરી દરેકને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગળો જેને ગીલોય પણ કહે છે તે કોરોના કાળમાં રામબાણ ઔષધિ સમાન છે. તેને અમૃતા પણ કહે છે અને મરતા માણસને જીવન અમૃત દેનારી છે. ગળો ની જીવીશા એટલી પ્રબળ છે કે લીમડા પર ચડેલી ગળોને તમે મૂળથી ઉપરના ભાગને કાપી નાંખો તો તે બાકી રહેલો વેલો પોતાના શરીરીમાં મૂળ પેદા કરીને જમીન સુધી લઈ જાય છે અને પાછું પોતાનું જીવન શરુ કરે છે.

“ગળો” આયુર્વેદમાં ગળોને ‘અમૃતા’ કહેવામાં આવે છે જે એક વેલ છે. આ ઔષધિ તમને હમેશા તંદુરસ્ત રાખવામાં મહત્વનો ભાગ ભજવશે. જે વૃક્ષ ઉપર તે ચડ્યું હોય તેના ગુણો તે પોતાના છોડની અંદર સંક્રમિત કરતું રહે છે. એટલે ગળોમાં શ્રેષ્ઠ ગળો કડવા લીમડાની છે જે કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અકલ્પનીય કાર્ય કરે છે.

ઘી સાથે ગળાનુ સેવન કરવાથી વાયુની સમસ્યા, અને કબજિયાતની સમસ્યા, સાકર સાથે સેવન કરવાથી પિત્તની સમસ્યાઓ, મધ સાથે સેવન કરવાથી કફની સમસ્યાઓ અને દિવેલ સાથે સેવન કરવાથી આર્થરાઇટિસ ની સમસ્યા મટી જાય છે.

ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અને એન્ટિ ઓક્સિડેન્ટનો એક અગત્યનો ગુણ મળી આવે છે. જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે.

ગળો ની વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે ૭૦ રોગોને  મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામડાઓ મા વાડી-ખેતરોમાં અને ઝાડી-જંગલ માં મળી જાય છે. તેના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે.

તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દદર્ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધિ અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે

આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.

ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ સામે લડીને તેને ઠીક કરી આપે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે.  ગળો આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્‌સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે.

જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ દર્દી ને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે. જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.

ગળો ફક્ત સફેદ દાગ કે પાઈલ્સ માજ ગુણકારી નથી. અલબત તેના રસના ઉપયોગથી શરીરમાં બ્લડ ઓછું હશે તો તેમાં પણ લાભ કરશે. જો ગળા ને સૂકવીને તેનું ચૂર્ણ બનાવમાં આવે તો તે પણ ગઠિયાનું દર્દ દૂર કરી શકે છે.ઉચા લોહીના દબાણ ને કરે નિયંત્રિત – ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.

અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી  ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો.

ગળો એ તાવ, રક્તદોષ, પાંડુરોગ, કમળો, લિવરને લગતી સમસ્યાઓ, હૃદયની સમસ્યા, ઉધરસ, કૃમિ, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો જેવા અનેક સમસ્યાઓ મટાડે છે.ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.

ગળો આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ.ગળો, ગોખરુ અને આમળા ને એકસરખી માત્રમા પીસીને ચૂર્ણને રસાયન ચૂર્ણ કહે છે. જો આ સરળ ઉપચાર લાંબા સમય સુધી અજમાવો તો લાભ થાય છે તથા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે. ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ત્વચાને સ્વસ્થ, સુંદર અને તાજી રાખીને ચહેરા ઉપર એક ચમક લાવી આપે છે.એનિમિયામાં તે ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top