બાળકોથી લઈ વૃદ્ધોના 50થી વધુ રોગો માટે છે દવા કરતાં વધુ અસરકારક, નબળાઈ, એસીડીટી અને ડાયાબિટીસમાં તો છે રામબાણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે બધા જાણીએ છીએ કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેમાં પણ તેને ફણગાવીને ખાવાથી તેના વધારે લાભ મળે છે. તેને પલાળીને ખાવામાં આવે તો તેના જેટલા ફાયદા થાય છે તેના કરતા તેના બમણા ફાયદાઓ થાય છે. તેમાં પણ જો ખાસ કરીને ફણગાવેલા મગ ખાવામાં આવે તો તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

મગ માં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રાઈબોફલેવિન, વિટામીન-સી, ફાઇબર, પોટેશિયન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયરન, વિટામિન બી-૬, નિયાસિન, થાયમિન અને પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી તમને બ્લડ પ્રેશર અને કબજિયાત જેવી ગંભીર બીમારીઓ માંથી તમને છુટકારો અપાવે છે. તો ચાલો આપણે આર્ટિકલમાં આજે ફણગાવેલ મગ ખાવાના આ જબરદસ્ત ફાયદા વિશે જાણીએ.

ફણગાવેલ મગ ખાવાથી શરીરમાં સુગરનું લેવલ વધતું નથી. સાથોસાથ તેમાં મળી આવતા સોલ્યુબલ ફાઈબર તમને વજન ઓછું કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે તમારે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. ફણગાવેલા મગમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે સ્કીન કેન્સર જેવી ગંભીર બિમારીઓથી તમને દૂર રાખે છે. સાથોસાથ તેમાં આયરન ની ખુબ સારી માત્રા હોય છે, જેના કારણે તમારી સ્કિન હેલ્ધી રહે છે અને સાથોસાથ એનિમિયા થી પણ તમને દૂર રાખે છે.

શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને બીમારીઓ સામે લડવા માટે નિયમિત ફણગાવેલા મગનું સેવન કરો. તે શરીરને શક્તિ આપે છે. તેમાં રહેલા એન્ટી-માઈક્રોબીયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ શરીરની ઇમ્યુનિટી પાવરને વધારે છે. અંકુરિત મગમાં ફાઈબરનું પ્રમાણ ખુબ મળી આવે છે. જે પાચન ક્રિયાને સારી કરીને કબજીયાતથી છુટકારો અપાવે છે.

ફણગાવેલા મગ નું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા માં રાહત મળે છે. તે બોડી માટે એલ્કાલાઈન હોય છે. જે એસીડ લેવલ એ ઓછુ કરે છે. અને તમારી બોડી ના પીએચ લેવલ ને રેગ્યુલર રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આંખ માટે પણ ફણગાવેલા મગ ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામીન એ પણ મળે છે. જે આંખ ની રોશની વધારવામાં મદદ કરે છે. સાથે રતોધી જેવી આંખ ની બીમારી સામે પણ રક્ષણ આપે છે.

ફણગાવેલા મગમાં પેપિસાઇડ મળી આવે છે જે શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે. તેથી આના સેવનથી બીપીના દર્દીને રાહત મળે છે. ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે નબળાઈને દૂર કરે છે. અને આપણા શરીરમાં એનર્જી  આપે છે. ફણગાવેલા મગ કબજિયાતની સમસ્યા તેમજ કેન્સર જેવા ગંભીર રોગોથી રાહત આપે છે.

ફણગાવેલા મગ માં ફાઈબર સારી માત્રામાં હોય છે, પરિણામે ભૂખ ઓછી લાગે છે, પરિણામે પેટ ભર્યું ભર્યું લાગે છે. તેમા કેલરીની માત્ર પણ ઓછી હોય છે તેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ફણગાવેલા મગમાં વધારે ફાઈબર હોવાને કારણે તે ચહેરા પરનું તેલ અને પિમ્પલ્સ ઘટાડે છે .

ફણગાવેલા મગમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સને મજબૂત બનાવે છે.જો વાળની સમસ્યાની ચિંતા થાય છે, તો દરરોજ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરો. આ કરવાથી વાળને યોગ્ય પોષણ મળશે. ફણગાવેલા મગ વાળને બરછટ થતા અટકાવે છે અને સાથે ત્વચાને જરૂરી પોષક તત્વો વધારવામાં મદદ કરે છે. ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે નબળાઈને દૂર કરે છે.

ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે. ફણગાવેલા મગમાં પોલીફીનોલ્સ હોય છે. જે આપણા શરીરમાં કેન્સર સામે રક્ષણ કરે છે. ફણગાવેલા મગમાં એન્ટીઇન્ફ્લામેટરી ના ગુણો હોય છે. જે આર્થએટીસ ની અસરને ઓછી કરવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. જેનાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top