ઉનાળાની ગરમીમાં અળાઈ અને ચામડીના રોગને દૂર કરવા આજે જ અજમાવો આ ઉપચાર, તરત જ મળશે સચોટ પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગરમીમી ઋતુમા અળાઈની સમસ્યા થવી એ ખુબ જ સામાન્ય વાત છે. આ સમસ્યા આપણને વધારે પડતો પરસેવો થવાને કારણે થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે, તેનાથી મુક્તિ મેળવવા માટેના ઉપાય પણ તમારા ઘરમા જ હાજર છે. આજે અમે તમે જણાવીશું ઉનાળાની ઋતુમાં થતી અળાઈને દૂર કરવા મટેના ઘરેલુ ઉપચાર.

હળદર એ એક ખુબ જ સારું એન્ટિસેપ્ટિક છે. હળદરમાં તેમા ગુલાબજળ તથા ચણાના લોટ ઉમેરીને તેની ત્વચા પર લગાવો. તમારી ત્વચા એકદમ કોમળ રહેશે અને આ અળાઈની સમસ્યામાથી રાહત પણ મળશે. લીમડાના ૨૦-૩૦ પાનને એક ગ્લાસ પાણીમા ઉકાળીને પાણી ઠંડુ થયા પછી અળાઈ પર લગાવો તો તમને આ સમસ્યામા રાહત મળી શકે છે.

એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નીચોવી અને આ પાણીમાં કાકડીના પાતળા પાતળા ટુકડા કાપીને નાખી દો. ત્યાર પછી આ ટુકડાને અળાઈઓ વાળા ભાગ ઉપર લગાવો. એમ કરવાથી અળાઈઓ જલ્દી ઠીક થઇ જાય છે અને ખંજવાળ અને બળતરા માંથી પણ રાહત મળે છે. અનાનસના રસને અળાઈઓ વાળા ભાગ ઉપર લગાવવાથી આરામ મળે છે.

નારીયેર તેલમાં કપૂર વાટીને ભેળવી લો અને તેને સ્નાન પછી આખા શરીર ઉપર લગાવીને માલીશ કરો. દરરોજ દિવસમાં 2 વખત શરીરનું માલીશ કરવાથી અળાઈઓ ઠીક થઇ જશે. લીમડાના થોડા પાંદડાને વાટીને તેનો લેપ બનાવીને લગાવો અથવા પાંદડાને પાણીમાં ઉકાળો. આ પાણીથી સ્નાન કરવાથી પણ અળાઈઓ માંથી રાહત મળશે.

પીપળાની છાલ બાળીને તેની ભસ્મ શરીરે લગાવવાથી કે તેની છાલની ભસ્મ પાણીમાં ઓગાળી તેનાથી નાહવાથી અળાઈ થતી નથી. સવાર-સાંજ નાહીને શરીર પર જીરુ લગાવવાથી અળાઈ થતી નથી. એક ચમચી નાળિયેર તેલમાં એક કપૂર મિક્સ કરો. આને અળાઈ પર લગાવવાથી ફાયદો થાય છે.

અળાઈઓ થવાથી શરીર ઉપર મુલતાની માટીનો લેપ લગાવીને રાખો. તેનાથી શરીરને ઠંડક મળે છે, સાથે સાથે અળાઈઓમાં ઘણો ફાયદો થાય છે. તેનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસોમાં અળાઈઓની સમસ્યા દૂર થઇ જાય છે. કુવારપાઠુંનો રસ અળાઈઓ ઉપર લગાવવાથી જલ્દી આરામ મળે છે.

શરીરના જે પણ ભાગ પર અળાઈઓ હોય ત્યા દહી લગાવી રાખો. 15 મિનિટ પછી તેને ઠંડા પાણીથી સાફ કરો અને ટોવેલથી સારી રીતે લૂંછી લો. તેનાથી શરીરને ઠંડક મળશે અને અળાઈઓથી પણ રાહત મળે છે. સંતરાની છાલને સુકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને ગુલાબજળમાં ભેળવીને અળાઈઓ વાળા ભાગ ઉપર લગાવવાથી અળાઈઓમાં ઘણો લાભ થાય છે.

અળાઈઓની સમસ્યા માંથી તરત રાહત મેળવવા માટે મહેંદીનો લેપ સૌથી સારો ઉપચાર માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને શરીરને ઠંડક મળે છે અને અળાઈઓ ઠીક થાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમે લેપ બનાવીને લગાવી શકો છો કે પછી સ્નાનના પાણીમાં મહેંદીના પાંદડાને વાટીને ભેળવો અને તેનાથી સ્નાન કરો. કપડામાં બરફના ટુકડા રાખીને એને અળાઈઓ ઉપર લગાવો. ધ્યાન રાખશો બરફને સીધો ત્વચા ઉપર ન લાગે. તે કોઈ કપડા કે પ્લાસ્ટિકમાં રાખીને જ ઉપયોગ કરો. ૫ થી ૧૦ મિનીટ સુધી તેને લગાવી રાખો. આનાથી અળાઈમાં રાહત મળે છે.

ચંદન પાવડર અને ધાણા પાવડરને સરખા પ્રમાણમાં ભેળવીને તેમાં ગુલાબજળ નાખીને ઘાટો લેપ તૈયાર કરો. આ લેપને શરીર ઉપર લગાવો અને થોડી વાર માટે રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી અળાઈઓ બળીને દુર થશે અને ત્વચાને તાજગી મળશે. ગુલાબની પાંખડીઓથી પણ તમે અળાઈઓ માંથી છુટકારો મેળવી શકાય છે. ગુલાબના ફૂલોનું તેલ લગભગ 12 મિલી લઈ થોડું એવું કપૂર, ત્રણ ગ્રામ ફટકડી વગેરે ભેળવી લો. પછી બધાને ભેળવીને પેસ્ટ બનાવી લો. આ લગાવવાથી અળાઈમાં ફાયદો થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top