શિયાળામાં સ્વસ્થ રહેવા તેમજ વાયુથી થતાં દરેક રોગથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અડદ ને સામાન્ય રીતે કાળી દાળ કહેવામાં આવે છે. દાળ મખનીમાં કાળી અડદ દાળ મુખ્ય સામગ્રી છે. અડદ દાળનો ઉપયોગ પાપડ, મેંદુ વડા, પાયસમ અને ઢોસા બનાવવા માટે પણ થાય છે. તુવેરની દાળ પછી, જે દાળને લોકો સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે તે અડદની દાળ તરીકે ઓળખાય છે. અડદ દાળ માત્ર સ્વાદથી જ ભરપુર નથી હોતી પરંતુ તેમાં ઘણા પૌષ્ટિક ગુણધર્મો પણ હોય છે.

અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. કદાચ અડદના આ માંસવર્ધક પૌષ્ટિક ગુણને લીધે જ શિયાળામાં અડદિયો પાક ખાવાનું ગોઠવાયું છે.

અડદની દાળને કોઈપણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. આ દાળને પલાળીને, વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં આરામ મળે છે. અડદ દાળમાં સારી માત્રામાં આયર્ન મળી આવે છે. પેટની બળતરા દૂર કરવામાં ફાયદાકારક છે.

અડદ એ ચમકતી ત્વચા મેળવવા માટે અસરકારક. જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના લોટને ગુલાબજળમાં મિક્સ કરીને તેને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. ચાર મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઈ જશે.

અડદની દાળને 3-4 કલાક પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ તેને વાટી તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. ત્યારબાદ તેને ઘીમાં તાપે તેલમાં તળીને ખાવાથી શુળ મટે છે. ધાવણ વધારનાર અને વાયુના રોગો મટાડનાર કહેવાયા છે. જે પ્રસૂતા સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય એવી સ્ત્રીઓએ અડદની દાળનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.

રાત્રે થોડી અડની દાળને પલાળી દો. ત્યારબાદ તેને સવારે વાટીને દૂધ કે સાકર સાથે મિક્સ કરી ખાવ. રોજ આ પ્રોસેસ કરવાથી શરીરમાં હૃદયને લગતી બિમારીઓ થતી અટકાવે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્ર સાફ લાવનાર, રુચિકારક, બળપ્રદ, શુક્રના દોષો દૂર કરી શુક્રજંતુઓ વધારનાર, મસા, મોઢાનો લકવા, આમાશય, શ્વાસ, આહાર પચ્યા પછી પેટમાં થતો ધીમો દુખાવો વગેરે અડદના સેવનથી મટે છે.

અડદ વાયુથી થતી વિકૃતિઓનો નાશ કરે છે. અડદિયો વા અથવા ફેસ્યલ પેરાલિસીસમાં અડદ ઉત્તમ પરિણામ આપે છે. આ વિકૃતિમાં અડદના લોટમાં વાયુનાશક ઔષધો નાંખીને તલના તેલમાં બનાવેલાં વડાં ખાવા આપવાની સૂચના અપાય છે. આ ઉપરાંત હાથપગનો કંપ, સંધિવા, લકવા વગેરેથી વિકૃતિઓમાં વાતજન્ય કારણો જ્ઞાનતંતુઓની ક્રિયાશીલતાને અટકાવે છે.

રાત્રે નવટાંક (5 રૂપિયાના વજન જેટલુ) અડની દાળને પલાળી દો. સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરી ખાવ. હ્રદય અને મગજને લાભ મળશે.  જો હિચકી બંધ ન થઈ રહી હોય તો આખી અડદની દાળને કોલસા પર નાખી તેનો ધુમાલો સૂંઘો. હિચકી ઠીક થઈ જશે.

અડદની દાલને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લવાવો. માથાના ટાલ પર ફાયદો થશે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધી થાય છે.

અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તી-મૈથુનશક્તી વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદીયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળાએ તો લાંબાસમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદીયો પાક નીયમીત ખાવાં જોઈએ.

અડદની દાળ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલને મેન્ટેઈન કરે છે. આથી પુરુષોએ તો રોજ અડદની દાળ ખાવી જોઈએ. તેનાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ વધશે અને તમારી સેક્સ લાઈફ સુપરડુપર બનશે.આ દાળ સ્પર્મ કાઉન્ટ વધારે છે અને સ્પર્મ મોટિલિટી પણ જાળવી રાખે છે.

અડદની દાળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે કામોત્તેજના વધારે છે. આથી અડદની દાળને સેક્સ લાઈફ માટે ખાસ રેકમન્ડ કરવામાં આવે છે. અડદની દાળ સેક્સ પાવર વધારવામાં તો મદદ કરે જ છે પરંતુ સાથે સાથે સેક્સમાં તમારી ઈચ્છાને વધુ પ્રબળ પણ બનાવે છે.

આયુર્વેદમાં પણ અડદની દાળને સેક્સ લાઈફ માટે ખુબ કારગર ગણાવી છે. સેક્સ પાવર વધારવા માટે આયુર્વેદિક નુસ્ખાઓમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. અડદની દાળ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યાને બરાબર કરવામાં મદદ કરે છે. ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એક એવી સમસ્યા છે જેમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટ ઈન્ટરકોસ દરમિયાન સંપૂર્ણ રીતે ઉત્તેજિત થઈ શકતા નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top