મળી ગયો વગર ખર્ચે થાઇરોઇડનો બેસ્ટ ઈલાજ, 100% જીવનભર નહીં પડે દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના યુગમાં ઘણા લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે પુરુષો કરતાં મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. શરીરની અંદર ગળામાં રહેલી સ્વરપેટી ની આસપાસ થાયરોઇડ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. આ ગ્રંથિનો આકાર પતંગિયા જેવો હોય છે.

આ ગ્રંથિ થાયરોક્સિન નામના હોર્મોન્સ બનાવે છે, જે શરીરની એનર્જી જાળવી રાખે છે, અને સાથે સાથે પ્રોટીન ઉત્પાદન અને સંવેદનશીલતાને કંટ્રોલ કરે છે. થાઈરોઈડની સમસ્યાના કારણે વ્યક્તિના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, અને આથી જ વ્યક્તિના શરીરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. 

થાઈરોઈડની સમસ્યાના લક્ષણો :

ગળામાં સોજો આવી જાય છે. ગળામાં સોઈના ઘુસવા જેવો દુ:ખાવો થાય છે. રોગીનું મોઢું ફિક્કું અને ગળું અને તાળવું સુકું રહે છે. ધબકારાની ગતી ધીમી થઇ જાય છે. સાંધામાં પાણી આવી જાય છે તેથી દુ:ખાવો થાય છે, અને ચાલવામાં પણ તકલીફ થાય છે. શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે અને શરીરમાં સોજો આવવા લાગે છે.

ઠંડી વધુ લાગવી, ગરદનમાં ગાંઠ અને ગરદન નીચેના ભાગમાં દુ:ખાવો થવો. બોલવામાં અને શ્વાસ લેવામાં દુ:ખાવો થવો. વાળનું ખરવું અને દુ:ખાવો થવો. ભૂખ વધી જવી અને કામ કરવામાં મન ન લાગવું. ડીપ્રેશન અનુભવવું, વાત વાતમાં ભાવુક થઇ જવું અને કામમાં અરુચિ વગેરે જેવા થાઈરોઈડના લક્ષણો છે. હવે આપણે જાણીશું થાઈરોઈડના ઉપચારો વિશે.

થાઈરોઈડ ગ્રંથીને વધતી અટકાવવા માટે તમે ઘઉંના જવારાનું સેવન કરવું જોઈએ.ઘઉંના જવારા આયુર્વેદમાં થાઈરોઈડની તકલીફને દુર કરવાનો ઉત્તમ અને સરળ કુદરતી ઉપાય છે. અખરોટમાં પાચ માઈક્રોગ્રામ સેલેનિયમ હોય છે. અખરોટ અને બદામના સેવનથી થાઈરોઈડને કારણે ગળામાં થતા સોજાને પણ ઘટાડી શકાય છે. પાંચ કિલો લોટ સાથે ૧ કિલો બાજરીનો લોટ અને એક કિલો જુવારનો લોટ ભેળવીને તે લોટમાંથી બનેલી રોટલીઓ ખાવાથી આ રોગમાં ઘણી રાહત મળે છે.

એક કપ દૂધમાં અડધી ચમચી અળસી નાંખીને 3 થી 4 વખત ઉભરો આવે તે રીતે ઉકાળો. આ દૂધમાં અડધી ચમચી ખાંડ નાંખીને તેને થોડું ગરમ જ પીઓ. તેનું રોજ એકવાર સેવન કરવાથી મહિનામાં ફરક દેખાશે. 250 ગ્રામ અળસીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો. તેને એકદમ ઝીણો વાટો. રોજ સવારે એક ચમચી અળસીનો પાઉડર ખાવાથી થાઇરોઇડ કંટ્રોલમાં આવશે.

થાઈરોઈડની સમસ્યાથી પીડાતા લોકોને દહીં અને દૂધનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. દૂધ અને દહીંમાં રહેલ કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સ થાઈરોઈડથી પીડાતા લોકોને સ્વસ્થ બનાવી રાખે છે. થાઈરોઈડના દર્દીઓને થાક વધુ લાગે છે મુલેઠીનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે.

સવારે ઉઠતા જ ખાલી પેટ એક ચમચી મધમાં ૫-૧૦ ગ્રામ આંબળા ચૂર્ણ ઉમેરીને આંગળીથી ચાટો. આ પ્રક્રિયા રાત્રી ભોજનના ૨ કલાક પછી કે સુતી વખતે ફરીથી કરો. આનાથી થાઈરોઈડની સમસ્યામાં રાહત મળે છે. રોજ સવારે ખાલી પેટ દૂધીનુ જ્યુસ પીવાથી પણ થાઈરોઈડ ખતમ કરવામાં મદદ મળે છે.

કાળા મરી થાઈરોઈડનાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરો. બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરવુ પણ થાઈરોઈડની બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે. થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે તમે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવો. જો હળદરવાળુ દૂધ ન પીવો તો હળદર સેકીને તેનુ સેવન કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top