હરસ-મસા, કોલેસ્ટ્રોલ જેવી 50 થી વધુ બીમારીઓ નો સફાયો કરે છે માત્ર આ એક કંદ, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેનો આયુર્વેદિક ઉપયોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સૂરણનું નામ સાંભળતા આપણા સૌના મનમાં ઉપાવસમાં ખાવા માટેના શાકભાજી તરીકેની છાપ છે. સૂરણનો દેખાવ બ્રોકલી કે અસ્પોરેગસ જેવો નથી પરંતુ તેના ફાયદા ઘણા છે. મોંઘા અને ફેન્સી શાકભાજીને લાઈમલાઈટ આપાવની સાથે આપણા દેશી શાકભાજીને પણ લાઈમલાઈટ આપવી જોઈએ.

આયુર્વેદમાં ‘સૂરણ’ને ‘અર્શોઘ્ન’ નામ આપવામાં આવ્યું છે. અર્શ એટલે હરસ-મસા અને તેનો નાશ કરનાર એ અર્શોઘ્ન. સૂરણ એ મળમાર્ગના હરસ-મસાને મટાડનાર ઉત્તમ ઔષધ છે. બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે. આ કારણે તેમના હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.

પોતાની ઉંમર કરતા મોટા દેખાતા લોકો માટે પણ સૂરણ ફાયદાકારક છે. જે લોકોની ચામડી ઢીલી પડી ગઈ હોય, ચહેરા પર ધબ્બા પડી ગયા હોય તેવા લોકોએ નિયમિત સૂરણ ખાવુ જોઈએ. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.

સૂરણને જીમીકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે.  ઔષધિ તરીકે વાપરવામાં આવતા સૂરણની તીખાશ ખોરાકને પચવામાં મદદ કરે છે. તેને થોડું ખાવાથી તમારું પેટ ભરાયેલું હોય તેવી ફિલીંગ આપશે અને તમારી ડાયજેસ્ટીવ સિસ્ટમને ક્લિન કરવામાં મદદ કરે છે. જીમીકંદ યુવાન અવસ્થામાં પ્રવેશતા છોકરા અને છોકરી બંને માટે ઘણું સારું ફૂડ છે. સૂરણ તેમને મજબૂત, લાંબા અને પાતળા થવામાં મદદ કરે છે.

જે લોકોને કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો ફાંદ મોટી હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રમ અથવા તો અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે.

સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. આયુર્વેદમાં જણાવ્યાનુસાર થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ  આ કંદમૂળ રામબાણ ઇલાજ છે.

આ સિવાય સૂરણ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે જેને કારણે આ તમામ રોગોમાં સુધારો જોવા મળે છે.

સૂરણ એ જમીનની અંદર થનાર કંદ છે. રેતાળ જમીનમાં તેનો પાક ખૂબ સારો થાય છે. આયુર્વેદ પ્રમાણે સર્વ પ્રકારના કંદ-શાકોમાં સૂરણ સર્વોત્તમ, સ્વાદમાં (સફેદ સૂરણ) તીખું અને તૂરું, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હળવું, મળછેદક અને મળને રોકનાર, વાયુ-કફનો નાશ કરનાર તથા કબજિયાત, મંદાગ્નિ, આમવાત, ઉદરશૂળ, ખાંસી, શ્વાસ વગેરેને દૂર કરનાર છે. લાલ સૂરણ ભૂખ લગાડનાર, પાચક, હળવું, ખંજવાળ ઉત્પન્ન કરનાર, ઝાડાને રોકનાર, મેદ, કફ, કૃમિ, ઉધરસ, ઊલટી અને હરસને મટાડનાર છે.

આયુર્વેદ પ્રમાણે સૂરણ એ હરસ-મસાનો નાશ કરનાર શ્રેષ્ઠ ઔષધ છે. હરસની તકલીફમાં સૂરણના કંદને સૂકવીને બનાવેલું ચૂર્ણ ૩૦૦ ગ્રામ, ચિત્રક ૧૫૦ ગ્રામ અને કાળા મરી ૧૫ ગ્રામ લઈ બધાનું ચૂર્ણ કરી તેમાં બમણો ગોળ મેળવીને મોટા બોર જેવડી ગોળીઓ બનાવી લેવી. સવાર-સાંજ જમ્યા પછી આ એક-એક ગોળીનું સેવન કરવાથી બધા પ્રકારના હરસ મટે છે.

સૂરણ મંદાગ્નિ અને આમદોષને દૂર કરનાર ઉત્તમ ઔષધ છે. સૂરણના કંદને સૂકવીને તેનું ચૂર્ણ કરી એક ચમચી જેટલા આ ચૂર્ણને ઘીમાં શેકીને, સાકર સાથે લેવાથી આમ અને મંદાગ્નિ મટે છે.

હાથીપગામાં સૂરણનો લેપ ઉત્તમ પરિણામ આપે છે. હાથીપગા પર સૂરણ અને ઘીને મધમાં વાટીને સવાર-સાંજ તેનો લેપ કરવો. હાથીપગાના સોજામાં રાહત જણાશે. અવારનવાર બરોળ વધી જતી હોય તેમના માટે સૂરણનું શાક ઉત્તમ છે. બરોળ વધી ગઈ હોય તેમને રોજ સૂરણનું શાક ઘીમાં શેકીને તેનું સેવન કરવું. અવશ્ય લાભ થશે.

સૂરણ રક્તસ્રાવી મસાને પણ મટાડે છે. રક્તસ્રાવી મસામાં સૂરણ અને કડાછાલનું સમભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ છાશ સાથે લેવું. થોડા દિવસમાં જ રક્તસ્રાવી મસામાં લાભ જણાશે.

સૂરણમાં આઈસોફલેવોનીસ આવેલું છે, જે સ્કીનની ઘણી મુશ્કેલીઓ જેવી કે પીગમેન્ટશન, સેગીંગ અને રફ સ્કીન માટે ફાયદાકારક છે. લાંબા સમય સુધી તેને પોતાના ડાયેટમાં રાખવાથી તમારી સ્કીન સોફ્ટ અને સ્મૂધ થશે.

સૂરણની બાહરની સ્કીન થોડી સખત હોવાન લીધે તેને કાપવામાં મુશ્કેલી પડી શકે છે. તેને પહેલા હંમેશા પાણીથી ધોઈને વધારાની માટી કાઢીને જ કાપવું જોઈએ. પછી તમને જોઈતા શેપમાં તેને કાપી લો. કાપી લીધા પછી તેને વિનેગર, લીંબુ અથવા આમલીના પાણીમાં બાફી લો. પછી કોઈ પણ ફોર્મમાં તેને ખાઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top