ઘઉ દલાવતી વખતે મિક્સ કરો આ એક વસ્તુ થઈ જશે 100 ગણું શક્તિશાળી, કોલેસ્ટ્રોલ અને હાડકાંની નબળી રહેશે કાયમી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક ઘરમાં સવાર સાંજ રોટલી બને છે. જો તમે રોટલી બનાવતા તેમાં મોણ ઉમેરો તો તેની પૌષ્ટિકતા વધી જાય છે. આ સાથે રોટલી ફૂલેલી અને નરમ બને છે. પણ શું તમે જાણો છો કે ઘઉં અને સોયાબીનને મિક્સ કરીને લેવાથી હેલ્થ સારી રહે છે અને રોટલીની પૌષ્ટિકતા પણ વધે છે. ઘઉં તથા સોયાબીનને મિક્સ કરીને તેના લોટની રોટલી બનાવીને તેને ખાવામાં આવે તો તમારુ શરીર સારુ રહે છે.

સોયાબીનમાથી તમારા શરીરને પ્રોટીનની સાથે એમિનો એસિડ , વિટામિન-કે , રીબોફ્લેવીન , ફોલેટ , વિટામીન-બી૬, થાયમીન, વિટામિન-સી , લોહતત્વ , મેગેંનીઝ , ફોસ્ફરસ , કોપર , પોટેશિયમ , મેગ્નેશિયમ , ઝિંક , સેલેનિયમ અને કેલ્શિયમ પણ પ્રાપ્ત થઇ રહે છે. આ સિવાય એન્ટી-ઓક્સીડન્ટ્સ અને ફાઈબર તથા કાર્બોહાઈડ્રેટસ માટેનો પણ તે શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાનુ લેસિથિન એ ત્વચા અને હૃદય માટે પણ લાભદાયી સાબિત થાય છે.

જ્યારે પણ ઘઉં દળાવવા માટે જાઓ છો ત્યારે ઘઉંની સાથે સોયાબીન પણ તેમા મિક્સ કરીને દળાવી લો. જો તમે ૧૦ કિલો ઘઉ લો છો તો તેની સામે તમે ૧ કિલો સોયાબીન લઈ શકો છો. આ સોયાબીનને કારણે તમારી રોટલી એકદમ નરમ અને પૌષ્ટિક તો બને જ છે તેની સાથે તમારા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. તો તમે પણ એકવાર આ લોટની રોટલી બનાવવાનો પ્રયત્ન અવશ્ય કરો, તેનાથી થતા લાભ તમે જાતે જ અનુભવશો.

સોયાની રોટલી ખાવા તથા દૂધ પીવાથી ગઠીયા (સાંધાનો દુ:ખાવો) રોગ દુર થાય છે. દૂધ પીવરાવતી સ્ત્રીઓ જો સોયા દૂધ (સોયાબીનનું દૂધ) પીવી તો બાળકને પીવરાવવા માટે તેમના સ્તનમાં દૂધનું પ્રમાણ વધી જાય છે. પ્રોટીન શરીરના વિકાસ માટે જરૂરી છે. ત્વચા, માંસપેશીઓ, નખ, વાળ વગેરેની રચના પ્રોટીનથી થાય છે. તે ઉપરાંત મસ્તિક, હ્રદય, ફેફસા વગેરે મનુષ્યના શરીરના આંતરિક અંગોની રચનામાં પ્રોટીનનો સ્ત્રોત સોયાબીન, અંકુરિત ઘઉં, બીનોલનો લોટ, ચણા, મસુર, વટાણા, સેમ અને જુદા જુદા પ્રકારની દાળ, મગફળી વગેરેમાં છે.

સોયાબીનમાં ફોસ્ફરસ એટલુ હોય છે કે તે મસ્તિક અને જ્ઞાન તંતુઓની બીમારી, જેવી કે મીર્ગી, હિસ્ટીરિયા, યાદશક્તિની નબળાઈ, સુકા રોગ, અને ફેફસા સબંધી બીમારીઓમાં ઉત્તમ પથ્યનું કામ કરે છે. સોયાબીનના લોટમાં લેસીથીન નામનો એક પદાર્થ તપેકિન અને જ્ઞાન તંતુની બીમારીમાં ઘણો ફાયદો પહોચાડે છે. ભારતમાં જે લોકો ગરીબ છે. કે જે લોકો મચ્છી વગેરે નથી ખાઈ શકતા, તેમના માટે આ મુખ્ય ફાસ્ફોરસ આપતો ખાદ્યપદાર્થ છે.

સોયાબીન માં ૨૦ થી ૨૨ ટકા ચરબી જોવા મેળે છે. સોયાબીનની ચરબીમાં લગભગ ૮૫ ટકા અસન્તૃપ્ત ચરબી અમ્લ હોય છે, જે હ્રદયના રોગીઓ માટે ફાયદાકારક છે. તેમાં ‘લેસીથીન’ નામનું પદાર્થ હોય છે, જે હ્રદયની નળીઓ માટે જરૂરી છે. તે કોલેસ્ટ્રોલને હ્રદયની નળીઓમાં જમવાથી અટકાવે છે.

તે લોહીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી તે હ્રદયના રોગીઓ માટે ફાયદાકારક છે. ખાસ કરીને હ્રદયના રોગોમાં લોહીમાં અમુક પ્રકારની ચરબી વધી જાય છે, જેને ટ્રાયગ્લીસરોઇડસ, કોલેસ્ટ્રોલ અને એલડીએલ, જો કે ફાયદાકારક ચરબી એટલે એચડીએલ ઓછી થઇ જાય છે.

સોયાબીન હાડકા સાથે જોડાયેલ રોગ જેવા કે નબળાઈને દુર કરે છે. તે અપનાવીને આપણે વ્યસ્ત જીવન પસાર કરી શકીએ છીએ. હાડકા ક્ષારતા એક એવો રોગ છે જેમાં હાડકા નબળા થઇ જાય છે અને તેમાં ફેકચર થઇ જાય છે. હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઇ જાય છે.  તેની છાશ પીવાથી પેટની જીવાત મરી જાય છે.

સોયાબીન મોટા ભારે ભરખમ શરીર વાળાના મધુમેહ (ડાયાબીટીસ) વાળા લોકો માટે ઉત્તમ પથ્ય છે. સોયા લોટની રોટલી ઉત્તમ આહાર છે. તેનું રોજ સેવન કરવાથી મધુમેહ (ડાયાબીટીસ) ના રોગીનો મૂત્રરોગ (વારંવાર પેશાબ આવવાનો રોગ) ઠીક થઇ જાય છે. સોયાબીન અથવા સોયાબીનથી બનેલા ખાદ્ય પદાર્થોમાં આઈસોફ્લેવોન નામનું ફાઈટોરસાયણ ઉપસ્થિત થાય છે. આ રસાયણ જુદા જુદા મહત્વ જોવા મળે છે. તે શરીરમાં કેન્સરનું પ્રતિકારકનું કાર્ય પણ કરે છે. ખાસ કરીને સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરમાં.

મહિલાઓમાં ૪૫ થી ૫૦ વર્ષની ઉંમર પછી રજોનિવૃત્તિ (મોનીપોજ) ની તકલીફ શરુ થઇ જાય છે. જેના લક્ષણ છે એકદમથી રાત્રે પરસેવો આવવો, ચીડિયાપણું બની જવું, મોઢાનું લાલ કે ગરમ થઇ જવું વગેરે. પચાસ ગ્રામ સોયાબીન રોજની ગણતરીએ ઉપયોગમાં લેવાથી મહિલાઓ આ તકલીફમાં ઘણે અંશે ઓછી કરી શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top