આ સામન્ય લાગતું વૃક્ષ શરદી-કફ, તાવ, લોહી શુદ્ધ કરવા ઉપરાંત 50થી વધુ રોગોમાં છે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પીપળાનુ વૃક્ષ એ ફક્ત એક જ એવુ વૃક્ષ છે કે જે આપણ ને 24 કલાક ઓક્સિજન પુરો પાડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવન ને ટકાવી રાખવા માટે ઓક્સિજન કેટલો મહત્વપૂર્ણ છે. પીપળા ના પર્ણો એ શરીર ના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. આયુર્વેદ મુજબ પીપળા ના વૃક્ષ મા અનેક પ્રકાર ના ઔષધિય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે.

આ પીપળાનો ઔષધ તરીકે આદિકાળથી ઉપયોગ કરવામા આવે છે. તેના ઉપયોગ દ્વારા આપણે અનેકવિધ બિમારીઓમાથી મુક્તિ મેળવી શકીએ. પીપળાના પાનનો ઉપયોગ કરીને લોહીના પિત્તનો નાશ કરનાર, લોહી શુદ્ધિકરણ કરનાર તથા બળતરા મટાડવા માટે થાય છે. તેનુ સેવન કરવાથી ગેસ, કબજિયાત, પેટનો દુખાવો, શ્વાસને લગતી મુશ્કેલીઓ અને શરદી-ઉધરસ જેવી સમસ્યા દૂર કરી શકાય છે. તો ચાલો હવે આપણે જાણીએ પીપળાના અણમોલ ફાયદાઓ વિશે.

દાંત ને સ્વસ્થ તેમજ ચમકદાર રાખવા ઈચ્છતા હોવ તો પીપળાના દાંતણનો ઉપયોગ તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. પીપળાના દાંતણનો ઉપયોગ કરવા થી તમે દાંત ને લગતી અનેકવિધ સમસ્યાઓ માથી મુક્તિ મેળવી શકો. આ ઉપરાંત ૧૦ ગ્રામ પીપળાની છાલમા ૨ ગ્રામ કાળા મરીને ક્રશ કરીને દાંત માટેનુ મંજન બનાવીને તેનો પણ ઉપયોગ કરી શકાય.

હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહેવા ઇચ્છતા હોવ તો પીપળાના 15 તાજા લીલાં પાંદડા સારી રીતે ઉકાળો. ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધાના રહી જાય. ઉકયાળ્યાં પછી ઠંડુ કરી ને તેને ગાળી લો. આ ઉકાળને  દિવસ માં 3 વાર પીવો. આવું કરવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે.

પીપળાના વૃક્ષ ની છાલ નું ચૂર્ણ ખાવાથી શ્વાસ ને લગતી બીમારી દૂર થાય છે. શ્વાસ સંબધિત બીમારી હોય ત્યારે પીપળાની છાલનું અંદરના ભાગનું ચૂર્ણ બનાવી આ ચૂર્ણ ખાવાથી બીમારી દૂર થઈ જશે. ચામડી પર થનારી સમસ્યા જેવી કે દાદર, ખંજવાળ અને ચામડીનું  ઇન્ફેક્શન દૂર કરવા માટે પીપળાના પાનનો ઉકાળો બનાવીને પીવો જોઇએ. તે સિવાય ખીલ, ફોલ્લી થવા પર પીપળાની છાલને પીસીને તેની પર લગાવવાથી રાહત મળે છે.

પીપળાના પાકેલા ફળોના ઉપયોગથી ભૂખ,કફ,પિત્ત,લોહીના વિકાર અને ઉલ્ટીની સમસ્યા માં કાયમી સારવાર શક્ય છે. પીપળા છોડના 2-5 પાંદડાની પેસ્ટ બનાવીને 50 ગ્રામ ગોળનું મિશ્રણ બનાવો અને આ મિશ્રણની નાની ગોળીઓ દિવસમાં 3-4 વખત ખાઓ અને પેટના દુખાવામાં રાહત મળે છે. જ્યારે ઝેરી સાપ કરડે છે,ત્યારે પીપળાના નરમ પાનના રસ નાં બે ટીપાં નાંખો અને તેના પાન ચાવો.તે સાપના ઝેરની અસર ઘટાડશે.

શરદી કે તાવ આવે ત્યારે તમે પીપળાના થોડા પત્તા લઈને સુકવી દો જયારે તે સુકાય જાય ત્યારે પછી એને પીસી નાખો અને એમાં મીશ્રી મિલાવી દો.અને પછી પાણી ની અંદર આ મિશ્રણને નાખી દો. અને પાણીને ઉકાળીને ઉકાળો બનાવી લો આ ઉકાળાને પીવાથી શરદી જલ્દી મટી જશે. ઘણીવાર ગરમીમાં લોકોને નાકમાંથી લોહી નીકળે છે. નાકમાંથી લોહી નીકળે ત્યારે તમે પીપળાના તાજા પત્તાનો રસ કાઢીને પછી આને નાકમાં નાખો આ રસને નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થઇ જશે.

રોજ પીપળાની છાલનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી ડાયાબિટીસનો ખતરો દૂર થાય છે. તે સિવાય તેના પાનના રસનો રોજ સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. પેટમાં ગેસ, એસીડિટી, કબજિયાત, પેટમા દુખાવો, અલ્સર અને ઇંફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે તેના તાજા પાનનો રોજ પીઓ. સવાર-સાંજ તેનું સેવન કરવાથી પેટને લગતી દરેક સમસ્યાથી છૂટકારો મળશે.

પીપળાના પાનનો ઉપયોગ કબજિયાત અથવા ગેસની સમસ્યાઓ માટે દવા તરીકે થાય છે. તેને પિત્તનો નાશ કરનાર પણ માનવામાં આવે છે, તેથી તેનો ઉપયોગ પેટની સમસ્યાઓમાં ફાયદાકારક છે. તેના તાજા પાનનો રસ અને સવાર-સાંજ એક ચમચી પીવાથી પિત્તની સમસ્યા દૂર થાય છે. પીપળાના પાનનું દૂધ આંખો પર લગાવવાથી આંખોનો દુખાવો ઓછો થઈ શકે છે.જો આંખોમાં ચેપ લાગે તો પણ પીપળાના પાંદડા ફાયદાકારક હોઈ શકે છે.

ખડી સાકર માં  3-4 તાજી પીપળા પાંદડા ભેળવીને પાવડર બનાવો.આ પાવડરને 250 ગ્રામ પાણીમાં મિક્સ કરો અને મિશ્રણને ગાળી લો.તેને દિવસમાં બે વખત દર્દીને 5 દિવસ માટે આપો.આ મિશ્રણ કમળામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. 50-100 ગ્રામ પીપળાની છાલનો કોલસો બનાવો અને તેને પાણીથી ઓલવી દો.આ પાણીના સેવનથી હિંચકી અટકે છે. ફાટેલા પગની ઘૂંટી પર પીપળાના પાનનો રસ અથવા દૂધ નાખો,આ સારવાર આ સમસ્યામાં મદદ મળી શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top