મળી ગયો 100% અસરકારક બાળકોને પથારીમાં પેશાબનો જબરજસ્ત દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સાહજિક છે. પરંતુ બાળકની ઉમર વધતાં વધતાં રાત્રે પથારીમાં પેશાબ થઇ જાય તે બાળક તેમજ માતા-પિતા માટે સંકોચ અને ચિંતા કરાવે તેવો પ્રશ્ન છે. સદભાગ્યે મોટા ભાગનાં બાળકોમાં આ પ્રશ્ન કિડનીના કોઈ રોગને કારણે નથી હોતો. આ તકલીફ કોઈ રોગ નથી કે બાળક જાણીબૂઝીને પથારીમાં પેશાબ કરતું નથી. તેથી બાળકને ધમકાવવા કે એના પર ગુસ્સો કરવાને બદલે, આ પ્રશ્નની સારવારની શરૂઆત સહાનુભૂતિપૂર્વક કાળજીથી કરવામાં આવે છે. સારવારની શરૂઆતમાં બાળકને સમજણ અને પ્રોત્સાહન આપવું, પ્રવાહી લેવાની અને પેશાબ જવાની ટેવમાં ફેરફાર કરવો.

કયા બાળકોમાં આ પ્રશ્ન જોવા મળે છે?

જે બાળકનાં માતા-પિતામાં તેમના બચપણમાં આ તકલીફ જોવા મળી હોય. માનસિક તણાવને કારણે ઘણી વખત આ પ્રશ્ન સારું થતો કે વધતો જોવા મળે છે.માનસિક વિકાસ નબળો હોય તેવા બાળકો ને પેશાબ ભેગો થાય ત્યારે પેશાબ કરવા જવું જોઈએ તેનો ખ્યાલ આવતો નથી. છોકરી કરતાં છોકરામાં આ પ્રશ્ન ત્રણ ગણો વધારે જોવા મળે છે.ગાઢ ઊંઘ આવતી હોય તેવાં બાળકોમાં આ પ્રશ્ન વધુ જોવા મળે છે.

આ તકલીફ સામાન્ય રીતે ૬ વર્ષ થી નાની ઉમર ના બાળકો માં જોવા મળે છે. સામાન્ય રીતે ઉમર વધવા સાથે આ પ્રશ્ન આપમેળે ઘટતો જાય છે અને મટી જાય છે. ૫ વર્ષ કરતાં વધુ ઉંમરનાં ૧૦-૧૫% બાળકોમાં આ તકલીફ જોવા મળે છે. ૧૦ વર્ષની ઉમરે આ પ્રશ્ન ૩% અને ૧૫ વર્ષ કરતાં વધુ ઉમરે ૧% કરતાં ઓછા બાળકોમાંઆ પ્રશ્ન જોવા મળે છે

પથારીમાં થતાં પેશાબ ને રોકવાના ઉપાય :

બાળક રાત્રે પથારી ભીની કરી દે તેની સૌથી સારી દવા છે ખજુર.આ સમસ્યાના ઉપચાર માટે રાત્રે સુતા પહેલા ખજુર ને દુધમાં નાખો. એક ગ્લાસ દુધમાં ૩-૪ ખજુર નાખો અને તેને સારી રીતે ઉકાળો પછી બાળકને આપી કહેજો કે ખજુર ને બરોબર ચાવીને ખાઈ લે અને દૂધ પી જાય. જો આ ઉપાય તમે ૧૫ દિવસ કરી લીધો તો તમારા બાળક ની આ પથારી ભીની કરવાની સમસ્યા દુર થઇ જશે.

કુદરતી ફાઇબરમાં સમૃદ્ધ, અખરોટ અને કિસમિસ  બાળકને બેડ-વેલીંગથી બચાવવા માટે અન્ય અસરકારક ઘર ઉપાય છે. આ પોટેશિયમમાં પણ ઊંચા છે, જે વિકાસશીલ બાળકોમાં ખૂબ જરૂરી ખનિજ છે.આ ઉપરાંત કાળા તલ નું સેવન વધારવું. જે બાળક ને પથરીમાં પેશબ ની સમસ્યા હોય તેમણે દરરોજ 7 થી 8 ચાંચિ જેટલા કાળા તલ ખવરવવા. તજ અને મધનીપેસ્ટ બનાવી બાળકને સૂતા પહેલા 1 ચમચી ચટાડવી.

રાત્રે સૂતા પહેલાં ૨-૩ કલાક ઓછું પ્રવાહી લેવું. પરંતુ દિવસ દરમિયાન વધુ પ્રવાહી લેવાનું રાખવું. સાંજે ૬ વાગ્યા બાદ પ્રવાહી ઓછી માત્રામાં લેવું અને કેફીન ધરાવતાં પીણાં (ચા, કૉફી વગેરે) સાંજે ન લેવાં.લોધ્રાસવ તથા કૃમિ વિકારહર કાઢા સરખા ભાગે મેળવી તેમાંથી એક યા બે ચમચી પ્રવાહી એટલું જ પાણી મેળવીને પાવું. રાત્રે સૂતા પહેલાં હમેશાં બાળકને પેશાબ કરાવી સૂવાની ટેવ પાડવી. આ ઉપરાંત રાત્રે બાળકને ઉઠાડી ૨-૩ વખત પેશાબ કરાવી લેવાથી પથારીમાં પેશાબ થતો નથી. દરરોજ રાત્રે સૂતા પછીના ત્રણ કલાકે બાળકને ઉઠાડીને પેશાબ કરાવી લેવો અને શક્ય હોય તો એલાર્મ પણ રાખવો.

બાળકને આ તકલીફ વિશે યોગ્ય સમજણ આપવી અત્યંત જરૂરી છે. રાત્રે પથારીમાં પેશાબ થઈ જવો તે કોઈ ચિંતાજનક પ્રશ્ન નથી અને તે મટી જ જશે તેવી સમજણ માનસિક તણાવ ઘટાડવામાં અને પ્રશ્નને વહેલો હલ કરવામાં મદદરૂપ બને છે. આ પ્રશ્નની ચર્ચા કરી બાળકને કદી ઉતારી પાડવું નહીં, તેના પર ખિજાવું નહીં કે તેની નિંદા ન કરવી જોઈએ. જે રાત્રે બાળક પથારી ભીની ન કરે ત્યારે તેના પ્રયત્નની પ્રશંસા કરવી અને તે માટે નાની એવી ભેટ આપવી તે બાળકને આ પ્રશ્નહલ કરવામાં પ્રોત્સાહન આપે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top