દવા કરતાં 100 ગણી વધુ ફાયદાકારક છે આ ઔષધિ, તાવ, શરીરની બળતરા અને ડાયાબિટિસને તો કરી દેશે જડમૂળથી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડવું કરિયાતું તાવ ઉપર ઉત્તમ ઔષધ છે. કોઈપણ પ્રકારનો તાવ કરિયાતાથી સારો થાય છે. સંન્નિપાત જવર એટલે એકસરખો ન ઊતરનારો મોટો તાવ, એના ઉપર કડુ- કરિયાતું અચૂક ઔષધ છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કડવું કરિયાતુંથી થતાં અનેક ફાયદાઓ વિશે.

કડુ,કરિયાતું, વાવડિંગ, કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ. આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો જોઈએ અને બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો જોઈએ અને તેની સાથે જ એક કપ જેટલું દ્રવ્ય બાકી રહે ત્યારે ઉતારી અને ગાળી લેવી જોઈએ, તેને ઠંડું પાડીને પી જવું જોઈએ. થોડા દિવસ આમ તાજે તાજો ઉકાળો બનાવીને પીવાથી પેટના કૃમિ-કરમિયાં મરીને બહાર નીકળી જશે અને તેમજ તમને લીવર અને જઠરની સમસ્યા દૂર થવાથી ભૂખ પણ સારી લાગશે .

કડુ-કરિયાતું શીતળ છે. એટલે શરીરમાં થતી બળતરા શાંત કરે છે. હાથ-પગ, આંખો કે આખા શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તો થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. કરિયાતું, ધાણા અને સાકર 10-10 ગ્રામ લઈ, બધાને ભેગા ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી દઈ, સવારે તે પાણી પી જવું. મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચારથી મટે છે.

કડુ-કરિયાતું અને સુખડ-ચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ સાકર સાથે ફાકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે. હૃદયના રોગોમાં કડુ-કરિયાતું અને જેઠીમધ સરખા ભાગે લઈ સવાર-સાંજ સાકરના પાણી સાથે લેવું જોઈએ. અને ત્યારબાદ સુવાવડ પછી નવજાત શિશુને ધાવણ પચતું ન હોય તો કડુ નો ઉપયોગ કરી શકાય છે.

કોઈપણ પ્રકારના તાવમાં કડુ-કરિયાતું ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. તાવ સાથે મોટેભાગે કબજિયાત પણ જોવા મળે છે. ત્યાં કડુ બે રીતે કામ કરે છે. તે ઝાડો સાફ લાવી કબજિયાતને દૂર કરે છે તેમજ પિત્તનું સ્રવણ કરી તાવને ઉતારે છે. તાવ આવતો હોય ત્યારે આશરે અડધી ચમચી જેટલું કડુનું ચૂર્ણ દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી સાથે ફાકી જવું અથવા ગોળ સાથે મિશ્ર કરી તેની ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. દર ત્રણ-ચાર કલાકે આ એકથી બે ગોળી ગરમ પાણી સાથે ગળી જવી. તાવ ઉતરશે અને કબજિયાત પણ દૂર થશે.

1૦ ગ્રામ કડવું કરિયાતું અને 10 ગ્રામ સૂંઠ ખાંડી અડધા લિટર પાણી લઈ ઉકાળવું. ઉકાળો કરી તેને સવાર સાંજ પીવો જોઈએ. આનાથી પસીનો થઈ જલદી તાવ ઊતરે છે. દશ ગ્રામ કરિયાતું લઈ ખોખરું કરી 30 ગ્રામ પાણીમાં રાત્રે પલાળવું, સવારે તે પાણી ગાળી લઈ તેમાં 10 ગ્રામ મધ અને 3 ગ્રામ ખડીસાકર નાખવી આ મિશ્રણ સારી ભૂખ લાગાડે છે અને શક્તિ આપે છે.

હ્રદય ની શક્તિ વધારનાર, હૃદયને શાંત કરનાર, બ્લડપ્રેશરને સપ્રમાણ કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂર કરનાર છે આ કડુ-કરિયાતું લીવરની ક્રિયાને સુધારનાર છે. ત્વચા રોગ અને ત્વચાના સોજા માટે કરિયાતુંની પેસ્ટ બનાવીને તેનો ઈલાજ કરી શકાય છે. કડુ-કરિયાતું ઘા મટાડે છે, અને ત્વચાને જલ્દી સારી કરે છે. આને પાણી સાથે મીક્સ કરી ઘા પર લગાવો. આનાથી તમને ઘણો ફાયદો થશે. એ સીવાય કડુ-કરિયાતુંની પેસ્ટ ખીલના ઈલાજ માટે પણ ઉપયોગી થાય છે.

આજના સમયમાં ઉંમર વધવાની સાથે સાથે લોકોને સાંધાની સમસ્યા વધતી જઈ રહી છે. પણ જો લોકો કડુ-કરિયાતુંનો ઉપયોગ કરશે, તો સોજા અને સાંધાનો દુઃખાવો દૂર થશે. કરિયાતુંને લાલીમા, દુ:ખાવો, સોજો અને સાંધાના રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને રુમેટીયડ ગઠીયામાં આનો સારા પ્રમાણમાં ફાયદો મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top