મળી ગયું પેટમાં ગેસ થવાનું મુખ્ય કારણ અને 5 મિનિટમાં ગેરેન્ટી સાથે છુટકારો મેળવવાનો જોરદાર ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણું શરીર ખોરાકને ઉર્જામાં રૂપાંતર કરે છે. ત્યારે પેટમાં અને આંતરડામાં ગેસ ઉત્પન્ન થાય છે અને તેને વાયુ તરીકે ઓળખાય છે. ઘણીવાર અપાનવાયુ દ્વારા બહાર નીકળી જાય છે. અને ઘણી વખત ગેસ ઓડકાર કે અપાનવાયુ આ બહાર ન નીકળી શકે ત્યારે પેટમાં ખૂબ જ દુખાવો થાય છે. તો ચાલો આજે આપણે ગેસ થવાના મુખ્ય કારણો વિશે જાણીશું.

ગેસ થવાના મુખ્ય કારણ માં ઘણીવાર ખાવાનું બરાબર પચી શકતું નથી. અને પેટમાં ગેસ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત ઘણી વખત પાચનતંત્ર કામ નથી કરતા તો તેના કારણે ભોજન પચવામાં ભાર લાગે છે. અને પેટમાં ગેસ થઈ જાય છે. ઘણી વખત મસાલેદાર ખાવાનું ખાવાથી પણ પેટમાં ગેસ થઈ શકે છે. આ ઉપરાંત વધતી ઉંમરે પણ ગેસ થવાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

આ ઉપરાંત ઘણી વાર આપણે જો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બન્યું હોય તો વધારે પડતું ખાઈ લઈએ છીએ. જેના કારણે પાચનતંત્ર તેનું પાચન કરી શકતું નથી, અને પેટમાં ગેસ થવાની તકલીફ ઉભી થઇ છે. ઘણી વખત જમવાની વધારે ઉતાવળ હોય અને ફટાફટ જમી લઈએ છીએ એટલે વધુ પડતું ખાવાથી આ ઉપરાંત ચાવ્યા વિના જેવુંતેવું ખાઈ લેવાથી પણ ગેસ થઈ શકે છે.

જે લોકો વાલ, વટાણા, પાપડી, ચણા, ગુવાર, મગફળી, મકાઈ, બટાટા, શક્કરીયા, ચોળા વગેરે જેવા વાયુકારક ખોરાકનો વધારે પડતો ઉપયોગ કરે છે. તે લોકોને પણ ગેસ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત જે લોકો ગાંઠિયા, સેન્ડવીચ, પાઉં, બ્રેડ જેવા બજારુ ખાદ્ય ખાય છે તે લોકોને પણ ગેસ થવાની સમસ્યા વધી શકે છે. આ ઉપરાંત ગેસ થવાના બીજા અનેક લક્ષણો છે ઘણી વખત ગુદાના સ્થાને ખૂબ જ વેદના થાય છે. અને ગુદાના સ્થાને ખૂબ જ અત્યંત ખંજવાળ આવે છે. આ ઉપરાંત વાયુથી પગ સ્થિર થઈ જાય છે. અને વાયુ વધારે થઇ જાય તો પગમાં રસી થઈ શકે છે.

વધારે પડતો ગેસ થવાને કારણે ગોઠણ સુધી અકડાઈ જાય છે. અને ઘૂંટણ નિષ્ક્રિય થવાની સંભાવના પણ વધી જાય છે. આ ઉપરાંત પેટમા દુખાવો થાય છે. જીભ જડ બની જાય છે. અને ભોજન ગળામાં ઉતારતી વખતે તકલીફ થાય છે. અને મૂત્રાશયમાં તકલીફ થાય છે. ઘણી વખત ચાલતા ચાલતા પણ પગમાં ખાલી આવી જાય છે. વાયુ કમરના નીચેના ભાગમાં જઈને મોટી શિલાઓ અને નબળી પાડે છે. અને પગને લબડાવી દે છે.

વાયુથી ભય પેદા થાય છે. વાયુથી શરીરમાં ખંજવાળ આવે છે. મોઢામાં સ્વાદ પણ ઓછો આવે છે. ઘણી વખત કાને બહેરાશ પણ આવી શકે છે. વાયુ થી ચામડી ની શક્તિ નાશ પામે છે. એટલે જ્યારે કોઈ પણ અડે છે ત્યારે ઓછી ખબર પડે છે. વાયુથી સુગંધ-દુર્ગંધ નો ખ્યાલ પણ નથી આવતો. વાયુથી પરસેવો ઓછો થાય છે. વાયુ ગર્ભાશયમાં જઈને બાળકને ને વિકૃત બનાવે છે, જેના કારણે બાળકની ઊંચાઇ વધી શકતી નથી. આ ઉપરાંત વાયુ થવાને કારણે છાતીમાં અત્યંત દુખાવો થાય છે. આ ઉપરાંત પેટમાં પણ દુખાવો થાય છે. શરીર જડ થઈ જાય છે.

ફુદીનો વારંવાર ઓડકાર આવવાની સમસ્યાને દૂર કરે છે અને ફુદીનાને અનેક રીતે આહારમાં સામેલ કરી શકો છો. ફુદીનાની ચટણી, ફુદીનાનું શરબત અને દહીં મા પણ ફુદીનો ઉમેરીને ખાય શકો છો અને રોજ એક કપ ગરમ પાણીમા ફુદીનાની કેટલાક પાન ઉમેરીને  રાખી મૂકો અને ત્યારબાદ તે પાણી પી લો તેનાથી તમને પેટમાં થતા ગેસ અને ઓડકાર ની સમસ્યાથી રાહત મળી શકે છે. હિંગ ગેસને દૂર કરવામાં મદદ કરે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી હિંગ, આદુ પાવડર અને મીઠું મિક્સ કરો અને હવે આ પાણી પીવો.

દહીં આપણા પેટમાં પકૃતિક રીતે રહેલા બેક્ટેરિયાને કાબૂમાં રાખે છે. આ બેક્ટેરિયા ને લીધે પેટમાં ગેસ તથા ઓડકાર જેવી તકલીફ ઊભી થાય છે. આવામાં દહીંનો આ ઘરગથ્થુ ઉપચાર તરત જ મદદ આપી શકે છે. તેનાથી બચવા માટે રોજ  ભોજનમાં દહીંનો સમાવશે કરવો જોઇએ. દહીં ખાવાથી તમને પેટમાં ઠંડક ની અનુભૂતિ થશે અને ખાટા ઓડકાર ની સમસ્યાથી તાત્કાલિક રાહત પણ મળશે.

જીરું અને અજમા ને દસ્તા વડે ખાંડી લ્યો, અને તેમાં કાળું મીઠું(સંચળ) નાખો. ત્રણેયને સરખા ભાગે લેવાના છે. એક ગ્લાસ પાણીમાં આ મિશ્રણની એક ચમચી નાખીને તેનું રોજ સેવન કરવાનું છે. આ પ્રયોગથી ખાટા ઓડકાર અને પેટ તેમજ છાતીમાં બળતરા થતી હોય તો શાંત થાય છે. કૈમોમાઈલ ટી પીવાથી પેટમાં ગેસ ઓછો થાય છે. તે સિવાય ઓડકાર અને પેટના દુખાવાથી પણ રાહત મળે છે. જેના માટે તમારે કૈમોમાઈલ ચા પીવી જોઇએ. વધારે ઓડકાર આવવા પર તમે દિવસમાં 2-3 કપ કૈમોમાઈલ ચા પી શકો છો.

જો ખાટા ઓડકાર આવે છે તો તમે ગોળનુ સેવન પણ કરી શકો છો કારણ કે ગોળમા ઘણી બીમારીઓને દૂર કરવાનો ઇલાજ રહેલો છે. માટે હવે તમને ખાટા ઓડકાર આવે છે તો તરત જ તમે ગોળનો ટુકડો ચુસવાનું ચાલુ કરી દો. અને તેનાથી તમને થોડી જ મિનિટોમાં આરામ મળી જશે માટે ગોળ માં રહેલા આ ડાયજેસ્ટિવ અને એન્જાઇમ ખાવાને જલ્દી પચાવવા મા મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top