શું તમારામાં પણ ક્યાંક નથીને આ લક્ષણો! તો હોય શકે છે આ ગંભીર એઇડ્સની બીમારી ,અહી ક્લિક કરી જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એચઆઈવીનો અર્થ એ વાયરસથી છે જેનાથી એચઆઈવીનો ચેપ લાગે છે. તે માણસની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યૂન સિસ્ટમ)ને શિકાર બનાવે છે. જેનાથી રોગો સામે લડવાની એમની શક્તિ ઓછી થઇ જાય છે. તેમને કેન્સર અને બીજા કેટલાક ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.

એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમ(એઇડ્સ) એચઆઈવીનો એડવાન્સ સ્ટેજ છે. જેના લીધે શરીરમાં સીડી4 કોશિકાઓની સંખ્યા બહુ ઘટી જાય છે. આ ચેપની સારવાર ના થાય તો રોગપ્રતિકારક શક્તિ નાશ પામે છે અને એઇડ્સનું જોખમ વધી જાય છે.

એચઆઈવી ચેપવાળા લોહી, સીમેન, રેક્ટલ ફ્લૂડ, વેજાઈનલ ફ્લૂડ અને એચઆઈવીગ્રસ્ત વ્યક્તિના દૂધથી ફેલાઈ શકે છે. જો કે તે કિસ કરવાથી, હાથ મિલાવવાથી કે વસ્તુઓ શેર કરવાથી થતો નથી.

ગુદા યોનિમાર્ગ – યોનિ મૈથુન સંભોગ તે ફેલાવવામાં વધુ મદદરૂપ થાય છે. આના માટેનું કારણ એ છે કે ગુદાની મ્યૂકોજા એટલે કે ઝિલ્લી ખૂબ કોમળ હોય છે અને ઝિલ્લી ક્ષતિગ્રસ્ત થયા પર, વાયરસ લોહી સુધી તરત પહોંચે છે. અસુરક્ષિત સંભોગ આ માટેના સૌથી અગ્રણી કારણો પૈકી એક છે, એડ્સ વાઇરસ એઇડ્સવાળા વ્યક્તિથી તાત્કાલિક તંદુરસ્ત વ્યક્તિમાં દાખલ કરે છે.

વગર તપાસ દર્દીને લોહી આપવા એઇડ્ઝ ફેલાવવાનો પણ મુખ્ય કારણ છે. લોહી દ્વારા, તેના વાયરસ સીધી રીતે લોહી સુધી પહોંચે છે અને રોગ ઝડપથી તેને ઘેરે છે. આજે એઇડ્ઝ ઇન્વેસ્ટિગેટિવ સેન્ટર દેશમાં ઘણા સ્થળોએ સ્થિત છે, પરંતુ કેટલા લોકો તેમના પરીક્ષણ કરાવી લોહી દાન કરતા હશે?

નશીલા પદાર્થ લેતા લોકો પણ એડ્સથી સંક્રમિત છે. તેઓ એકબીજાના સિરીંજ-સોયનો ઉપયોગ કરે છે, જેને સોય કહેવામાં આવે છે. તેઓને ઘણા એડ્સ પીડિતો હોય છે અને રોગ ફેલાવે છે. જો માતા એડ્સથી સંક્રમિત છે તો, તો થનારું બાળક પણ સંક્રમિત થાય છે. આમ, ટ્રાન્સપ્લાન્ટેશન ઇન્ફેક્શન એડ્સના 60 ટકા સુધી પણ ફેલે છે. બાકીના 40 ટકા માતાના દૂધથી શિશુ સુધી પહોંચે છે.

સમયસર સારવાર ના કરાવવામા આવે તો એચઆઈવીગ્રસ્ત વ્યક્તિને ટીબી, મેનિનજાઈટિસ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને લિંફોમા જેવા કેન્સર પણ થઇ શકે છે. દર બે-ત્રણ દિવસમાં તાવનો અનુભવ થવો અને ઘણી વખત તીવ્ર તાવ આવવો એચઆઈવીનું સૌથી પહેલું લક્ષણ હોય છે.

છેલ્લા કેટલાક દિવસોથી અગાઉ કરતા વધુ થાક લાગતો હોય કે દર વખતે થાક અનુભવાય, તો તે એચાઈવીનું શરુઆતનું એક લક્ષણ છે. આપે કોઈ પણ પ્રકારનું ભારે કામ નથી કર્યું કે આપ શારીરિક મહેનતનું કોઈ કામ નથી કરતા. છતા પણ માંશપેસીઓમાં કાયમ તાણ અને જકડણ રહેતી રહે છે. આ એચઆઈવીનું એક લક્ષણ છે.

ઢળતી વય પહેલા જ જો આપનાં સાંધામાં દુઃખાવો કે સોજો થઈ જાય છે, તો આપે એચઆઈવી ટેસ્ટ કરાવવાની જરૂર છે. સામાન્યતઃ ઓછું પાણી પીવાનાં કારણે ગળુ પાકવાની ફરિયાદ હોય છે, પરંતુ જો આપ પુરતા પ્રમાણમાં પાણી પીવો છો અને છતાં પણ આપનાં ગળામાં ભયંકર ખરાશ તેમજ પકન અનુભવાતી હોય, તો આ લક્ષણ સારા નથી.

માથામાં દર વખતે હળવો-હળવો દુઃખાવો રહેવો, સવારનાં સમયે દુઃખાવામાંઆરામ અને દિવસ ચઢતાની સાથે દુઃખાવામાં વધારો એચઆઈવીનું સૌથી મોટું લક્ષણ છે. એચઆઈવીમાં દર્દીનું વજન એકદમથી નથી ઘટતું. દરરોજ ધીમે-ધીમે બૉડીના સિસ્ટમ પર અસર પડે છે અને વજનમાં ઘટાડો થાય છે. જો છેલ્લા બે મહીનાઓમાં વગર પ્રયાસે આપનાં વજનમાં ઘટાડો આવ્યો હોય, તો તપાસ કરાવી લો.

શરીરમાં હળવા લાલ રંગનાં ચકામા પડવા કે રૅશેઝ થવું પણ એચઆઈવીનું લક્ષણ છે.આપને કોઈ પ્રોબ્લમ નથી, પરંતુ આમ છતાં આપને ટેંશન થઈ જાય છે. વાત-વાતમાં રડવું આવી જાય છે, તો નિઃશંકપણે આપે એચઆઈવીની તપાસ કરાવવી જરૂરી છે.

દરેક સમયે ઉબકા આવવા કે પછી જમ્યાનાં તરત બાદ ઉલ્ટી થવી પણ શરીરમાં એચઆઈવી વારયસ હોવાનો સંકેત કરે છે. મોસમ આપને બિલ્કુલ અનુકૂળ હોય, પરંતુ તેવી હાલતમાં પણ નાક વહેતી રહેતી હોય. દરેક વખતે છીંક આવતી હોય અને રૂમાલનો સાથ હંમેશા જોઇતુ હોય.

ખાંસી સાથે કફ આવતો રહે છે. કફમાં કોઈ બ્લડ નથી આવતું. મોઢાનો સ્વાદ ખરાબ રહે છે. જો આપને તેમાંનાં મોટાભાગનાં લક્ષણો પોતાનાં શરીરમાં અનુભવાતા હોય, તો આપ એચઆઈવી ટેસ્ટ જરૂર કરાવો.

HIV પીડિત વ્યક્તિ સાથે યૌન સબંધ ના બાંધો,અસુરક્ષિત સેક્સ માણવાથી દૂર રહો,એક વખત ઉપયોગમાં લેવાયેલી સોય અથવા ઈન્જેક્શનનો પુન: પ્રયોગ ના કરવો જોઈએ,લોહીની સારી રીતે તપાસ કરીને પછી જ ચઢાવવું જોઈએ.યૌન સંબંધ બાંધતી વખતે કોન્ડોમ નો ઉપયોગ કરો, એક નું એક કોન્ડોમ વારંવાર ઉપયોગ નાં કરવું તેનું ખાસ ધ્યાન રાખો.

દાઢી બનાવતા સમયે નાયી પાસે હંમેશા નવી બ્લેડનો ઉપયોગ કરવાનું જણાવો,એઈડ્સની સારવાર માટે એન્ટી રેટ્રોવાઈરલ થેરેપી દવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવાઓનો મુખ્ય ઉદ્દેશ્ય HIVની અસરને ઓછી કરવી, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો હોય છે

એચઆઈવીનો કોઈ ઇલાજ નથી પરંતુ એના વાયરસને ફેલાતા રોકી શકાય છે. જેથી દર્દી સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે. તેની સારવારમાં એન્ટીરેટ્રોવાયરલ થેરપી(એઆરટી) અને ટ્રાન્સમિશનના જોખમને ઓછુ કરવાની દવાઓ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top