ઘરે બનાવેલ આ બીજના ચૂર્ણ થી વાત્ત, પિત્ત અને કફના દરેક પ્રકારના રોગો ઉપરાંત કિડની ના રોગોમાં થાય છે અસરકારક ફાયદો, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં આમળાને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. વિટામિન સીથી ભરપૂર આંમળાના ફળની સાથે સાથે તેનું બીજ પણ ઘણુ ફાયદાકારક હોય છે. તે લગભગ ૨૦ બીમારીઓથી બચાવવામાં મદદરૂપ બને છે.

જે રીતે રોગો સામે લડવા માટે દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. તે રીતે આયુર્વેદમા પણ દરરોજ એક આમળાના સેવનથી ૨૦ થી વધુ રોગોથી બચવાની વાત કરવામાં આવી છે. આમળામાં વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટની ભરપૂર માત્રા હોય છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, કેરોટિન, કાર્બોહાઈડ્રેટ, આયરન, ફાઇબર, પ્રોટીન, વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ, ખનીજ, પોલિફેનોલ્સ અને ડાયયુરટીક એસિડ મળી આવે છે.

આમળાના ફળ, ફુલ, બીજ, પાંદડા, છાલ અને મૂળનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. તે આંખો, વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. આમળાના બીજ ક્યાં રોગો માટે ફાયદાકારક છે.

નાકમાંથી લોહી નીકળવું એટલે કે નસકોરી ફૂટવા પર વહેતા લોહીને રોકવા માટે આમળાના બીજને ઘીમાં તળી પછી તેને થોડા પાણી સાથે પીસી લેવું. આ પેસ્ટને માથા પર લેપની જેમ લગાવવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે.

આમળાના બીજનો ઉપયોગ આંખોની સમસ્યા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. આંખોમાં ખંજવાળ, બળતરા, લાલાશની સ્થિતિમાં આમળાના બીજને પીસીને આંખોની ઉપર અને નીચે લગાવવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત એક બે ટીપા આમળાનો રસ આંખમાં નાખવાથી આંખના દુખાવામાં પણ આરામ મળે છે.

‘એશિયન પેસિફિક જર્નલ ઓફ ટ્રોપિકલ ડીઝીઝ’ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન મુજબ, પીત, કિડની અને મૂત્રાશયમાં પથરીની સમસ્યા થાય ત્યારે આમળાના બીજના ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક નીવડે છે. પેશાબમાં પથરીને લીધે થતી બળતરાને ઓછી કરવા માટે તેના બીજના ચૂર્ણનું સેવન, આમળાનું જ્યુસ પીવાથી અને આમળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

લ્યુકોરીયાને મટાડવા માટે આબલાના સૂકા બીજને પીસીને બનાવવામાં આવેલું ચૂર્ણ અઠવાડિયામાં બે વાર લેવાથી ઘણો ફાયદો થાય છે. ત્યારબાદ ત્રણ આમળાના બીજ લઈને તેને છ ગ્રામ પાણી સાથે પીસી પછી તેને એક ગ્લાસ પાણીમાં સરખી રીતે ભેળવી નાખવું. હવે તેને ગાળીને તેમાં એક નાની ચમચી મધ અને થોડી સાકર ભેળવો. અને પછી તેને દિવસમાં એક વાર પીવું. થોડા જ દિવસોમાં સફેદ લ્યુકોરીયાની સમસ્યાથી છુટકારો મળી જશે.

આમળાના બીજના ચૂર્ણના ઉપયોગથી ધાધર, ખરજવું કે ખંજવાળ જેવી સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. આમળાના બીજનો પાવડર બનાવીને તેમાં નાળિયેરનું તેલ મેળવીને રાખી મૂકો. શરીરના જે ભાગમાં ચેપ લાગેલો હોય ત્યાં તેને લગાવો, થોડા જ દિવસોમાં ચેપની સમસ્યા દૂર થઈ જશે.

બીજો ઉપાય છે આમળાના બીજને બાળીને તેની રાખ બનાવી લેવી. હવે આ પાઉડરમાં શુદ્ધ નાળિયેરનું તેલ ભેળવીને બોટલમાં ભરી રાખવું. ભીની કે સુકી કોઈપણ પ્રકારની ખંજવાળ પર લગાવવાથી તેમાં ઘણી રાહત મળે છે.

આમળાના બીજ વીર્યવર્ધક હોય છે. આમળાના ૧૦ ગ્રામ બીજને તડકામાં સૂકવી નાખો. પછી તેને પીસીને ચૂર્ણ બનાવી લેવું. હવે તેમાં ૨૦ ગ્રામ સાકરનો પાવડર ભેળવીને રાખી મૂકવું. સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાઉડર ભેળવીને પંદર દિવસ સુધી સતત તેનું સેવન કરવાથી સ્વપ્નદોષ, શુક્રમેહ જેવા સારા ફાયદાઑ મળે છે.

આયુર્વેદ મુજબ, આમળા ના બીજ તાવ અને પિતને પણ દૂર કરવામાં મદદરૂપ બને છે. તેમાં તરસ છીપાવવાના પણ ગુણો રહેલા હોય છે. તે કફમાં પણ ઘણો ફાયદો આપે છે અને શરીરમાં પાણીને દૂર કરીને ઠંડક આપે છે. તેમાં રહેલું તત્વ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાની સાથે ફેફસાને પ્રદૂષણથી બચાવવામાં પણ મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top