ઠંડીમાં આનું સેવન આપે છે અઢળક ફાયદા, ડાયાબિટીસ અને મેદસ્વિતા સહિત આ બિમારીઓથી મળશે છુટકારો- જાણો અહી ક્લિક કરી વિગતે 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોઈ ઝાડના થડ પર ચીરો મૂકવામાં આવે તો તેમાંથી રસ કે સ્રાવ નીકળે છે. આ સ્રાવ સૂકાઈ જાય તો તે ભૂખરો અને કડક થઈ જાય છે. આ સૂકાઈ ગયેલા સ્રાવને ગુંદર કહેવામાં આવે છે. ગુંદર શીતળ અને પૌષ્ટિક હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. દવા, ગોળી કે વટી બનાવવામાં પણ ગુંદરનો ઉપયોગ થાય છે. તે પાવડરની બાઈંડિંગ માટે પણ વપરાય છે.

બાવળનો ગુંદર સૌથી વધુ પૌષ્ટિક હોય છે. અને ખાન પાનમાં સૌથી વધુ ઉપયોગમાં તે જ લેવાય છે. આ ગુંદરના લાડુ પણ બનાવવામાં આવે છે. લીમડાનો ગુંદર રક્તનું પરિભ્રમણ વધારે છે. તે સ્ફૂર્તિદાયક પદાર્થ છે. તેમાં લીમડા જેવા જ ઔષધિય ગુણો હોય છે. એ જ રીતે પલાશનો ગુંદર હાડકાને મજબૂત કરે છે. ખાંડવાળા દૂધ કે આમળાના રસ સાથે 1થી 3 ગ્રામ ગુંદર લેવાથી વીર્ય વૃદ્ધિ થાય છે.  અને શરીર પુષ્ટ બને છે.

હુંફાળા પાણી સાથે ગુંદર ખાવાથી શરદી, ખાંસી, અને તાવની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તેના સેવનથી પેટમાં ચેપ થવાનું જોખમ પણ ઓછું થાય છે. તેના સેવનથી સ્ટેમિના અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જે આખો દિવસ તાજગીભર્યો રાખે છે, તે અનેક રોગોથી પણ બચાવે છે. ગુંદર ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.

તે સ્કિન કેર એજન્ટ તરીકે કામ કરે છે. દરરોજ ગુંદર ખાવાથી હાડકાં મજબૂત બને છે. તે જ સમયે, દૂધ ગુંદરનું સેવન કરવા થી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. ગુંદર સેવન કરવાથી ધમનીઓ અને લોહીની નળીઓ બરાબર રહે છે. આ સાથે કોલેસ્ટરોલ પણ નિયંત્રણમાં રહે છે, જેથી તમે હૃદયરોગથી બચી શકો. આ સિવાય ગુંદર થી હતાશા અને તાણ પણ દૂર થાય છે.

જેમને ફેફસાની સમસ્યા, નબળાઇ અને થાક હોય છે, એવા લોકો માટે ગુંદરનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. ઓછી ઊંઘની સમસ્યામાં રાત્રે ગરમ દૂધ સાથે ગુંદર મિક્ષ કરીને પીવો જોઈએ. આ  અવાજ અને ઊંડી નીંદર આપે છે. આ સાથે અનિદ્રાની સમસ્યા પણ દૂર થશે. ગુંદરના લાડુ, પાંજેરી અથવા ચીકીનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. આ સિવાય તેના લાડુનું સેવન કરવાથી શિયાળામાં શરીર અંદરથી ગરમ રહે છે.

પીરિયડ પીડા, લ્યુકોરિયા, ડિલિવરી પછીની નબળાઇ અને શારીરિક વિસંગતતાઓને મટાડવા માટે, ગુંદર અને ખડી સાકર સમાન પ્રમાણમાં ભેળવીને કાચા દૂધ સાથે ખાઓ તેનાથી પીરિયડમાં થતી પીડા માં રાહત મળે છે. સગર્ભાવસ્થામાં ગુંદરનું સેવન કરવાથી મહિલાઓની કરોડરજ્જુ મજબૂત બને છે. આ સિવાય તેના સેવનથી માતાના દૂધમાં પણ વધારો થાય છે.

હ્રદયને લગતા બધા રોગ ને અને હાર્ટ એટેક નો ભય ઓછો કરવા માટે શેકેલો ગુંદર ખુબજ ફાયદાકારક છે. તે ઉપરાંત તેના સેવન થી માંસપેશીઓ પણ મજબુત બને છે. જે લોકો ને રેગ્યુલર કબજિયાત અને એસીડીટી ની તકલીફ છે. તેવા લોકોએ  ૧ ચમચી ગુંદર નું સેવન કરવું જોઈએ, રોજ એક વખત તેનું સેવન કરવાથી કબજિયાત ની તકલીફ દુર થઈ જાય છે.

ઘણા લોકો શરીર થી ખુબજ નબળા હોય છે. તો આવા લોકોએ રોજ અડધો ગ્લાસ દુધમાં ગુંદર ભેળવીને પીવો. તેના સેવનથી થાક, નબળાઈ, ચક્કર આવવા, ઉલટી અને માઈગ્રેન જેવી તકલીફોને દુર કરે છે. જો ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરવા ઇચ્છો છો તો દરરોજ 1 2 લાડુનું સેવન દૂધની સાથે કરવું જોઇએ.

ગુંદર વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ શરીરથી વસાને ઓછી કરવામાં મદદ કરે છે. એક રિસર્ચ અનુસાર જો મહિલાઓ ગુંદરનું સેવન સતત 6 સપ્તાહ કરે તો શરીરમાં વસા ખૂબ જ ઓછા થઇ જાય છે.

ગુંદર માં એન્ટીકાર્સિનોજેનિક નામનું તત્વ મળી આવે છે. જે કેન્સરના સેલ્સને ખતમ કરવામાં મદદ કરે છે. ગુંદરમાં એવા ગુણ મળી આવે છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે. અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થી બચી શકો છો. ગુંદર ડિપ્રેશનમાંથી નિકળવામાં મદદ કરે છે.

એમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ હોય છે, જે ઑક્સીડેનટિવ સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે.  ગુંદરમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. જે ટૉન્સિલથી રાહત અપાવવામાં મદદ કરે છે. શરીર માં રહેલા લોહી ને વધારવા માટે ગુંદરને લગતા ખોરાક ખાવા જોઈએ જેનાથી લોહી માં વધારો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top